ક્યારે યોજાશે ટેટ 1 અને 2ની પરીક્ષા, શું કરી જીતુ વાઘણીએ જાહેરાત ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:30:08

ટેટની પરીક્ષા જાહેરાત 


ટેટની પરીક્ષા આપવા માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર . ટેટની પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે .2018થી ટેટ 1 અને 2 ની પરીક્ષા લેવાઈ ન હતી અને એની રાહ જોવાય રહી હતી ત્યારે સરકારે આજે ટેટ 1 અને 2નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. શિક્ષકોની ખાલી જગ્યા ભરવા ટેટ 1 અને 2ની પરીક્ષા યોજાશે અને 17 ઑક્ટોમ્બરે જાહેરનામું બહાર પડસે અને 21 ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે . લગભગ 3 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભરશે જ્યારે ફેબ્રુઆરી માર્ચ 2023માં પરીક્ષા લેવામાં આવશે. 



શું કહ્યું શિક્ષણ મંત્રીએ ? 


શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યું કે ટેટ 1 અને 2ની પરીક્ષાનું જાહેરનામું 17 ઑક્ટોમ્બરે સુધી આવી જશે અને 21 ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે અને ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકશે .



સમાચાર ઉપડેટ થશે..............



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."