ક્યારે યોજાશે ટેટ 1 અને 2ની પરીક્ષા, શું કરી જીતુ વાઘણીએ જાહેરાત ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:30:08

ટેટની પરીક્ષા જાહેરાત 


ટેટની પરીક્ષા આપવા માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર . ટેટની પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે .2018થી ટેટ 1 અને 2 ની પરીક્ષા લેવાઈ ન હતી અને એની રાહ જોવાય રહી હતી ત્યારે સરકારે આજે ટેટ 1 અને 2નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. શિક્ષકોની ખાલી જગ્યા ભરવા ટેટ 1 અને 2ની પરીક્ષા યોજાશે અને 17 ઑક્ટોમ્બરે જાહેરનામું બહાર પડસે અને 21 ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે . લગભગ 3 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભરશે જ્યારે ફેબ્રુઆરી માર્ચ 2023માં પરીક્ષા લેવામાં આવશે. 



શું કહ્યું શિક્ષણ મંત્રીએ ? 


શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યું કે ટેટ 1 અને 2ની પરીક્ષાનું જાહેરનામું 17 ઑક્ટોમ્બરે સુધી આવી જશે અને 21 ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે અને ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકશે .



સમાચાર ઉપડેટ થશે..............



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.