ક્યારે યોજાશે ટેટ 1 અને 2ની પરીક્ષા, શું કરી જીતુ વાઘણીએ જાહેરાત ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:30:08

ટેટની પરીક્ષા જાહેરાત 


ટેટની પરીક્ષા આપવા માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર . ટેટની પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે .2018થી ટેટ 1 અને 2 ની પરીક્ષા લેવાઈ ન હતી અને એની રાહ જોવાય રહી હતી ત્યારે સરકારે આજે ટેટ 1 અને 2નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. શિક્ષકોની ખાલી જગ્યા ભરવા ટેટ 1 અને 2ની પરીક્ષા યોજાશે અને 17 ઑક્ટોમ્બરે જાહેરનામું બહાર પડસે અને 21 ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે . લગભગ 3 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભરશે જ્યારે ફેબ્રુઆરી માર્ચ 2023માં પરીક્ષા લેવામાં આવશે. 



શું કહ્યું શિક્ષણ મંત્રીએ ? 


શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યું કે ટેટ 1 અને 2ની પરીક્ષાનું જાહેરનામું 17 ઑક્ટોમ્બરે સુધી આવી જશે અને 21 ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે અને ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકશે .



સમાચાર ઉપડેટ થશે..............



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.