સાંસદ મોહન કુંડારીયાને બીજેપીના કયા નેતાથી છે વાંધો? મોરબીમાં સામે આવ્યો બીજેપીનો જૂથવાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-17 17:01:40

આમ તો ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને એક બીજાથી વાંધા છે પણ આ વાંધા બહાર નથી આવતા કારણ કે તેની પાછળ અનેક કારણો છે, જો બધુ બહાર આવવા લાગે તો કાલે નેતાજી નજર આવતા બંધ થઈ જાય, ઠીક છે મતભેદો તો રહેવાના જ બધે પણ સૌરાષ્ટ્રના ભાજપના રાજકારણમાં વધુ એક જૂથવાદ સામે આવ્યો છે. વિગતવાર વાત કરીએ સાંસદ મોહન કુંડારિયા ભાજપના કયા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે. પોતાના ભાષણમાં સાંસદ મોહન કુંડારીયાએ કહ્યું હતું કે કોઈ એમ માનતું હોય કે 2024 સુધી સાંસદ છું પરંતુ 2029 સુધી સાંસદ રહેવાનો છું. 

સત્કાર સમારોહમાં સાંસદે આપ્યું ભાષણ

મોરબીના વાંકાનેરમાં ભાજપનો વધુ એક જૂથવાદ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજવી પરિવાર સાથે સંબંધ રાખતા કેશરીસિંહ ઝાલાને રાજ્યસભા લડવા માટે પસંદ કર્યા છે એવામાં તે પોતાના વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. જ્યારે તે સત્કાર સમારંભ કાર્યક્રમમાં વાંકાનેર પહોંચ્યા હતા. સાંસદ મોહન કુંડારિયા પણ સત્કાર સમારંભમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કંઈક આવી રીતે ભાષણ આપ્યું હતું. 


વિધાનસભા પહેલા ભાજપે ગૌરવ યાત્રા કાઢી હતી

મોહન કુંડારિયાએ આમ તો નામ લીધા વગર વાત કરી રહ્યા હતા પણ સ્થાનિક સુત્રોને અમે પૂછ્યું કે કયા નેતાજીનું તે નામ લઈ રહ્યા છે તો તેમણે જણાવ્યું હતું કે જે વિસ્તારમાં કાર્યક્રમ છે તે વિસ્તારના ધારાસભ્યની વાત થઈ રહી છે. ટૂંકમાં ચૂંટણી પહેલા તો અનેક નેતાઓ વચ્ચેનો જૂથવાદ સામે આવ્યો હતો પણ હવે ફરીથી સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓનો જૂથવાદ સામે આવ્યો હતો. જો કે અગાઉ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ગૌરવ યાત્રા કાઢી હતી જેમાં વાંકાનેરમાં મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યા હતા. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.