સાંસદ મોહન કુંડારીયાને બીજેપીના કયા નેતાથી છે વાંધો? મોરબીમાં સામે આવ્યો બીજેપીનો જૂથવાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-17 17:01:40

આમ તો ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને એક બીજાથી વાંધા છે પણ આ વાંધા બહાર નથી આવતા કારણ કે તેની પાછળ અનેક કારણો છે, જો બધુ બહાર આવવા લાગે તો કાલે નેતાજી નજર આવતા બંધ થઈ જાય, ઠીક છે મતભેદો તો રહેવાના જ બધે પણ સૌરાષ્ટ્રના ભાજપના રાજકારણમાં વધુ એક જૂથવાદ સામે આવ્યો છે. વિગતવાર વાત કરીએ સાંસદ મોહન કુંડારિયા ભાજપના કયા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે. પોતાના ભાષણમાં સાંસદ મોહન કુંડારીયાએ કહ્યું હતું કે કોઈ એમ માનતું હોય કે 2024 સુધી સાંસદ છું પરંતુ 2029 સુધી સાંસદ રહેવાનો છું. 

સત્કાર સમારોહમાં સાંસદે આપ્યું ભાષણ

મોરબીના વાંકાનેરમાં ભાજપનો વધુ એક જૂથવાદ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજવી પરિવાર સાથે સંબંધ રાખતા કેશરીસિંહ ઝાલાને રાજ્યસભા લડવા માટે પસંદ કર્યા છે એવામાં તે પોતાના વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. જ્યારે તે સત્કાર સમારંભ કાર્યક્રમમાં વાંકાનેર પહોંચ્યા હતા. સાંસદ મોહન કુંડારિયા પણ સત્કાર સમારંભમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કંઈક આવી રીતે ભાષણ આપ્યું હતું. 


વિધાનસભા પહેલા ભાજપે ગૌરવ યાત્રા કાઢી હતી

મોહન કુંડારિયાએ આમ તો નામ લીધા વગર વાત કરી રહ્યા હતા પણ સ્થાનિક સુત્રોને અમે પૂછ્યું કે કયા નેતાજીનું તે નામ લઈ રહ્યા છે તો તેમણે જણાવ્યું હતું કે જે વિસ્તારમાં કાર્યક્રમ છે તે વિસ્તારના ધારાસભ્યની વાત થઈ રહી છે. ટૂંકમાં ચૂંટણી પહેલા તો અનેક નેતાઓ વચ્ચેનો જૂથવાદ સામે આવ્યો હતો પણ હવે ફરીથી સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓનો જૂથવાદ સામે આવ્યો હતો. જો કે અગાઉ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ગૌરવ યાત્રા કાઢી હતી જેમાં વાંકાનેરમાં મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યા હતા. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.