સાંસદ મોહન કુંડારીયાને બીજેપીના કયા નેતાથી છે વાંધો? મોરબીમાં સામે આવ્યો બીજેપીનો જૂથવાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-17 17:01:40

આમ તો ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને એક બીજાથી વાંધા છે પણ આ વાંધા બહાર નથી આવતા કારણ કે તેની પાછળ અનેક કારણો છે, જો બધુ બહાર આવવા લાગે તો કાલે નેતાજી નજર આવતા બંધ થઈ જાય, ઠીક છે મતભેદો તો રહેવાના જ બધે પણ સૌરાષ્ટ્રના ભાજપના રાજકારણમાં વધુ એક જૂથવાદ સામે આવ્યો છે. વિગતવાર વાત કરીએ સાંસદ મોહન કુંડારિયા ભાજપના કયા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે. પોતાના ભાષણમાં સાંસદ મોહન કુંડારીયાએ કહ્યું હતું કે કોઈ એમ માનતું હોય કે 2024 સુધી સાંસદ છું પરંતુ 2029 સુધી સાંસદ રહેવાનો છું. 

સત્કાર સમારોહમાં સાંસદે આપ્યું ભાષણ

મોરબીના વાંકાનેરમાં ભાજપનો વધુ એક જૂથવાદ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજવી પરિવાર સાથે સંબંધ રાખતા કેશરીસિંહ ઝાલાને રાજ્યસભા લડવા માટે પસંદ કર્યા છે એવામાં તે પોતાના વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. જ્યારે તે સત્કાર સમારંભ કાર્યક્રમમાં વાંકાનેર પહોંચ્યા હતા. સાંસદ મોહન કુંડારિયા પણ સત્કાર સમારંભમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કંઈક આવી રીતે ભાષણ આપ્યું હતું. 


વિધાનસભા પહેલા ભાજપે ગૌરવ યાત્રા કાઢી હતી

મોહન કુંડારિયાએ આમ તો નામ લીધા વગર વાત કરી રહ્યા હતા પણ સ્થાનિક સુત્રોને અમે પૂછ્યું કે કયા નેતાજીનું તે નામ લઈ રહ્યા છે તો તેમણે જણાવ્યું હતું કે જે વિસ્તારમાં કાર્યક્રમ છે તે વિસ્તારના ધારાસભ્યની વાત થઈ રહી છે. ટૂંકમાં ચૂંટણી પહેલા તો અનેક નેતાઓ વચ્ચેનો જૂથવાદ સામે આવ્યો હતો પણ હવે ફરીથી સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓનો જૂથવાદ સામે આવ્યો હતો. જો કે અગાઉ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ગૌરવ યાત્રા કાઢી હતી જેમાં વાંકાનેરમાં મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યા હતા. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.