ચૂંટણીમાં કયા પક્ષને આપશે પાટીદાર સમાજ સમર્થન? અમદાવાદ ખાતે પાટીદારો કરશે મંથન


  • Published By :
  • Published Date : 2022-11-08 10:36:49

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે અનેક સમાજો મિટીંગ કરી રહી છે. ત્યારે ગુજરાતની ચૂંટણી પર સૌથી વધારે પ્રભાવ નાખનાર પાટીદાર સમાજની બેઠક યોજાવાની છે. અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં પાટીદાર સમાજની અનેક સંસ્થાઓ ભાગ લેવાની છે ઉપરાંત અનેક સંસ્થાના પ્રમુખ, ટ્રસ્ટી ઉપસ્થિત રહેવાના છે.  આ બેઠકમાં ઉમિયાધામ ઊંઝા, ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસરના પ્રમુખ તેમજ ટ્રસ્ટી હાજર રહેશે. 


ખોડલધામના ટ્રસ્ટી આ બેઠકમાં નહીં રહે હાજર 

બપોરના સમયે પાટીદાર સમાજની બેઠક મળવાની છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજની આવી બેઠક થવાથી ચૂંટણીના પરિણામ પર આની સીધી અસર થઈ શકે છે.  ત્રણ મુખ્ય સંસ્થાઓના પ્રમુખ હાજર રહેવાના હતા. પરંતુ એવી જાહેરાત કરવામાં આવી કે આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી હાજર નહીં રહે. 


અનેક સંસ્થાના પ્રમુખ નથી આપવાના બેઠકમાં હાજરી 

આ બેઠકમાં માત્ર બે સંસ્થા ઉમિાયાધામ ઊંઝા અને સિદસર જ હાજર રહેશે. બેઠકમાં ઉપસ્થિત રહેવાનું કારણ જણાવતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે કહ્યું કે અમે બહાર છીએ જેથી બેઠકમાં હાજરી નહીં આપી શકીએ. જ્યારે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ કહ્યું કે અમને પૂછ્યા વગર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ અમે આ બેઠકમાં ભાગ નહીં લઈએ. ખોડલધામના ટ્રેસ્ટીએ કહ્યું કે નરેશભાઈ પણ આ બેઠકમાં હાજરી નહીં આપી શકે. ઉપરાંત શૈક્ષણિક સંસ્થા સરદાર ધામના પ્રમુખે કહ્યું કે અને તો શૈક્ષણિક સંસ્થા છીએ. આ બેઠકમાં ભાગ લઈ અમે શું કરીશું. પાટીદાર સમાજના અનેક આગેવાનો આ બેઠકમાં હાજરી આપવાનું ટાળી રહ્યા છે. શું પાટીદાર સમાજની એકતા ભંગ થઈ રહી છે?  

બેઠક પૂર્વે નરેશ પટેલે લીધી છે દિલ્હીની મુલાકાત 

આ બેઠક અમદાવાદના સોલા કેમ્પસ ખાતે યોજાઈ રહી છે. વર્લ્ડ પાટીદાર ફેડરેશન દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સી.કે.પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે પરંતુ આ બેઠકમાં ખોડલધામના નરેશ પટેલ ઉપસ્થિત નથી રહેવાના. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીને અનુલક્ષીને આ બેઠક મળી રહી છે ત્યારે નરેશ પટેલની ગેરહાજરીને કારણે અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. કારણ કે થોડા દિવસો પહેલાં જ તેઓ દિલ્હીનો પ્રવાસ કરીને આવ્યા છે. જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. 

    

આ બેઠકની ચૂંટણી પર પડી શકે છે અસર     

પાટીદાર સમાજને એમ પણ ગુજરાતના રાજકારણમાં મહત્વનું માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ સમાજ જે પાર્ટીને સાથે આપે તે પાર્ટીની જીત થઈ જાય છે. ત્યારે આ બેઠકમાં કયા પક્ષને સાથ આપવો તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ઉમેદવારોના નામની ચર્ચા કરવા સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. આ બેઠક પર તેમજ ભાજપના ઉમેદવારોના નામ પર સૌ કોઈની નજર છે.   




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.