ધોરણ 10ના પરિણામમાં રાજ્યની કઈ શાળાઓનું નોંધાયું 100 ટકા પરિણામ? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-05-25 12:16:31

વિદ્યાર્થીના જીવનમાં બોર્ડ પરીક્ષાનું પરિણામ મહત્વનું હોય છે. કારકિર્દીમાં આ પરિણામ અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. ત્યારે આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. 64.62 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યની અનેક શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા આવ્યું છે જ્યારે અનેક શાળા એવી છે જેનું પરિણામ સો ટકા નોંધાયું છે. 272 શાળાઓ એવી છે જેનું પરિણામ સો ટકા આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળામાં ઘટાડો થયો છે. ગયા વર્ષે  294 શાળાઓ હતી જેનું પરિણામ 100 ટકા આવ્યું હતું જ્યારે આ વર્ષે શાળાઓની સંખ્યામાં 22નો ઘટાડો થયો છે.


જાણો ક્યાં કેટલી શાળાનું નોંધાયું 100 ટકા પરિણામ? 

સુરત જિલ્લાનું પરિણામ સૌથી વધારે નોંધાયું છે જ્યારે દાહોદનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. જો પરિણામની વાત કરીએ તો 272 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા નોંધાયું છે. રાજકોટની 29 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે, સુરતની 20 શાળાઓ, ગાંધીનગરની 12 શાળાઓ, વડોદરાની 9 શાળાઓ, જૂનાગઢની 8 શાળાઓ, ભાવનગરની 8 શાળાઓ, જામનગરની 7 શાળાઓ જ્યારે અમદાવાદની માત્ર 3 શાળાઓ જ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું હોય. 



જો વિગતવાર વાત કરીએ તો રાજકોટની 29 શાળાઓ, બનાસકાંઠાની 18 શાળાઓ, કચ્છની 14 શાળા, ભરૂચની 13, ગાંધીનગરની 12 શાળા, સુરેન્દ્રનગરની 11 શાળાઓ, અમરેલીની 10 શાળા, ગીર સોમનાથની 10 શાળા, ખેડાની 10 શાળા, અરવલ્લીની 9 શાળા, વડોદરાની 9 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે. તે સિવાય ભાવનગરની 8 શાળા, જૂનાગઢની 8 શાળા, મહેસાણાની 8 શાળા, અમદાવાદ રૂરલની 7, જામનગરની 7, પંચમહાલની 7, ડાંગની 6, મોરબીની 6, તાપીની 6 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. તે સિવાય આણંદની 5, મહિસાગરની 5, નર્મદાની 5, વલસાડની 5, બોટાદની 5, અમદાવાદ શહેરની 3, છોટા ઉદેપુરની 3, નવસારીની 3, પાટણની 3, પોરબંદરની 3, સાબરકાંઠાની 3 જ્યારે દેવભૂમિ દ્વારકાની 1 શાળા, દમણની 1 શાળાનો સમાવેશ આ શ્રેણીમાં થાય છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.