ધોરણ 10ના પરિણામમાં રાજ્યની કઈ શાળાઓનું નોંધાયું 100 ટકા પરિણામ? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-05-25 12:16:31

વિદ્યાર્થીના જીવનમાં બોર્ડ પરીક્ષાનું પરિણામ મહત્વનું હોય છે. કારકિર્દીમાં આ પરિણામ અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. ત્યારે આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. 64.62 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યની અનેક શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા આવ્યું છે જ્યારે અનેક શાળા એવી છે જેનું પરિણામ સો ટકા નોંધાયું છે. 272 શાળાઓ એવી છે જેનું પરિણામ સો ટકા આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળામાં ઘટાડો થયો છે. ગયા વર્ષે  294 શાળાઓ હતી જેનું પરિણામ 100 ટકા આવ્યું હતું જ્યારે આ વર્ષે શાળાઓની સંખ્યામાં 22નો ઘટાડો થયો છે.


જાણો ક્યાં કેટલી શાળાનું નોંધાયું 100 ટકા પરિણામ? 

સુરત જિલ્લાનું પરિણામ સૌથી વધારે નોંધાયું છે જ્યારે દાહોદનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. જો પરિણામની વાત કરીએ તો 272 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા નોંધાયું છે. રાજકોટની 29 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે, સુરતની 20 શાળાઓ, ગાંધીનગરની 12 શાળાઓ, વડોદરાની 9 શાળાઓ, જૂનાગઢની 8 શાળાઓ, ભાવનગરની 8 શાળાઓ, જામનગરની 7 શાળાઓ જ્યારે અમદાવાદની માત્ર 3 શાળાઓ જ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું હોય. 



જો વિગતવાર વાત કરીએ તો રાજકોટની 29 શાળાઓ, બનાસકાંઠાની 18 શાળાઓ, કચ્છની 14 શાળા, ભરૂચની 13, ગાંધીનગરની 12 શાળા, સુરેન્દ્રનગરની 11 શાળાઓ, અમરેલીની 10 શાળા, ગીર સોમનાથની 10 શાળા, ખેડાની 10 શાળા, અરવલ્લીની 9 શાળા, વડોદરાની 9 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે. તે સિવાય ભાવનગરની 8 શાળા, જૂનાગઢની 8 શાળા, મહેસાણાની 8 શાળા, અમદાવાદ રૂરલની 7, જામનગરની 7, પંચમહાલની 7, ડાંગની 6, મોરબીની 6, તાપીની 6 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. તે સિવાય આણંદની 5, મહિસાગરની 5, નર્મદાની 5, વલસાડની 5, બોટાદની 5, અમદાવાદ શહેરની 3, છોટા ઉદેપુરની 3, નવસારીની 3, પાટણની 3, પોરબંદરની 3, સાબરકાંઠાની 3 જ્યારે દેવભૂમિ દ્વારકાની 1 શાળા, દમણની 1 શાળાનો સમાવેશ આ શ્રેણીમાં થાય છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .