ધોરણ 10ના પરિણામમાં રાજ્યની કઈ શાળાઓનું નોંધાયું 100 ટકા પરિણામ? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-05-25 12:16:31

વિદ્યાર્થીના જીવનમાં બોર્ડ પરીક્ષાનું પરિણામ મહત્વનું હોય છે. કારકિર્દીમાં આ પરિણામ અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. ત્યારે આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. 64.62 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યની અનેક શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા આવ્યું છે જ્યારે અનેક શાળા એવી છે જેનું પરિણામ સો ટકા નોંધાયું છે. 272 શાળાઓ એવી છે જેનું પરિણામ સો ટકા આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળામાં ઘટાડો થયો છે. ગયા વર્ષે  294 શાળાઓ હતી જેનું પરિણામ 100 ટકા આવ્યું હતું જ્યારે આ વર્ષે શાળાઓની સંખ્યામાં 22નો ઘટાડો થયો છે.


જાણો ક્યાં કેટલી શાળાનું નોંધાયું 100 ટકા પરિણામ? 

સુરત જિલ્લાનું પરિણામ સૌથી વધારે નોંધાયું છે જ્યારે દાહોદનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. જો પરિણામની વાત કરીએ તો 272 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા નોંધાયું છે. રાજકોટની 29 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે, સુરતની 20 શાળાઓ, ગાંધીનગરની 12 શાળાઓ, વડોદરાની 9 શાળાઓ, જૂનાગઢની 8 શાળાઓ, ભાવનગરની 8 શાળાઓ, જામનગરની 7 શાળાઓ જ્યારે અમદાવાદની માત્ર 3 શાળાઓ જ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું હોય. 



જો વિગતવાર વાત કરીએ તો રાજકોટની 29 શાળાઓ, બનાસકાંઠાની 18 શાળાઓ, કચ્છની 14 શાળા, ભરૂચની 13, ગાંધીનગરની 12 શાળા, સુરેન્દ્રનગરની 11 શાળાઓ, અમરેલીની 10 શાળા, ગીર સોમનાથની 10 શાળા, ખેડાની 10 શાળા, અરવલ્લીની 9 શાળા, વડોદરાની 9 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે. તે સિવાય ભાવનગરની 8 શાળા, જૂનાગઢની 8 શાળા, મહેસાણાની 8 શાળા, અમદાવાદ રૂરલની 7, જામનગરની 7, પંચમહાલની 7, ડાંગની 6, મોરબીની 6, તાપીની 6 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. તે સિવાય આણંદની 5, મહિસાગરની 5, નર્મદાની 5, વલસાડની 5, બોટાદની 5, અમદાવાદ શહેરની 3, છોટા ઉદેપુરની 3, નવસારીની 3, પાટણની 3, પોરબંદરની 3, સાબરકાંઠાની 3 જ્યારે દેવભૂમિ દ્વારકાની 1 શાળા, દમણની 1 શાળાનો સમાવેશ આ શ્રેણીમાં થાય છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.