બિચારી સરકાર! કોણ જબરદસ્તીથી સરકારને આંખે પાટો બાંધી રાખે છે? Chhotaudepurનો વિકાસ જુઓ અને સાંભળો સ્થાનિકોની સમસ્યા....


  • Published By :
  • Published Date : 2023-09-06 09:59:46

આપણી સામે અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં રસ્તા ન હોવાને કારણે,  ઉબડખાબડ રસ્તા હોવાને કારણે લોકોને આવવા-જવામાં તો મુશ્કેલી પડે છે, પરંતુ સૌથી વધારે મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે કોઈ દર્દીને હોસ્પિટલ લઈ જવાના હોય. ખરાબ રસ્તા હોવાને કારણે 108 ત્યાં પહોંચી શક્તી નથી અને 108 સુધી પહોંચાડવા માટે દર્દીને ખાટલા પર બેસાડી લઈ જવાય છે. રસ્તા ન હોવાને કારણે અનેક વખત મૃતદેહોને પણ લઈ જવામાં લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે. અંતરિયાળ વિસ્તારોથી અનેક વખત આવા દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેને જોઈ પૂછવાનું મન થાય કે શું આ લોકો ગુજરાત રાજ્યમાં નથી આવતા? 

છોટા ઉદેપુરથી સામે આવ્યા દયનીય દ્રશ્યો 

ગુજરાત માટે અનેક વખત આપણે સાંભળીએ છીએ કે ગુજરાત એટલે ગતિશિલ ગુજરાત, ગુજરાત એટલે વિકાસશીલ ગુજરાત વગેરે વગેરે.... પરંતુ લાગે આ વિકાસની વ્યાખ્યામાં ગુજરાતના અંતરિયાળ વિસ્તાર નથી આવતા. કારણ કે અંતરિયાળ વિસ્તાર આજે પણ વિકાસ માટે ઝંખી રહ્યા છે. સારા રસ્તા માટે, પાણી માટે, વીજળી માટે. પ્રકૃતિએ તો તેમને ઘણું બધું આપ્યું છે પરંતુ સરકારે તેમને કંઈ નથી આપ્યું. સરકારે તેમને તો તેમના હકનું પણ નથી આપ્યું. આ વાત અમે છોટા ઉદેપુરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને કહી રહ્યા છીએ. ખરાબ રસ્તા હોવાને કારણે ગ્રામજનોને મૃતદેહને લઈ જવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લોકોને મૃત્યુના દુ:ખ કરતા ખરાબ રસ્તા હોવાને કારણે દુખી હતા.


આ સમસ્યા એક ગામની નથી પરંતુ અનેક ગામોની છે...!

સરકારને અનેક વખત અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોએ રજૂઆત કરી છે કે અમને સારા રસ્તા બનાઈને આપવામાં આવે. ખરાબ રસ્તા હોવાને કારણે આવન-જાવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારી ટીમ પણ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટીંગ માટે આવા અંતરિયાળ વિસ્તારમાં જાય છે ત્યારે પણ સ્થાનિક લોકોની આવી જ માગ હોય છે. સરકારને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ હજી સુધી સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. હવે તો લોકો કરતા સરકાર પર દયા આવવા લાગી છે. 'બિચારી સરકાર' કહેવાનું મન થાય છે. આ માત્ર  એક ગામના લોકોની સમસ્યા નથી પરંતુ અનેક અંતરિયાળ વિસ્તારોની સમસ્યા છે જે પ્રકૃતિની નજીક છે પરંતુ સરકારથી દૂર છે.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .