દિલ્હીના મુખ્યમંત્રીને કોણે આપી જાનથી મારી નાખવાની ધમકી, કેમ પોલીસે ન કરી આરોપીની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-01-31 14:42:20

અનેક વખત નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી મળતી હોય છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુખ્યમંત્રીને ધમકી મળતા પોલીસ પણ દોડતી  થઈ ગઈ હતી. પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી.  ધમકી આપનાર આરોપીની તપાસ કરવામાં લાગી ગઈ હતી. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે ધમકી આપનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર હતો જેને કારણે પોલીસે તેની ધરપકડ કરી નથી. 


અરવિંદ કેજરીવાલને મળી જાનથી મારી નાખવાની ધમકી 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પીસીઆરમાં ફોન આવ્યો હતો જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ધમકી આપનારની શોધખોળમાં લાગી ગઈ હતી. આરોપી સુધી પોલીસ પહોંચી પરંતુ તેની ધરપકડ કરવામાં ન આવી હતી. 


માનસિક રૂપે બીમાર વ્યક્તિએ કર્યો હતો ફોન 

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સોમવારે મધરાત બાદ દિલ્હીના મુખ્યમંત્રીને આ ધમકી આપવામાં આવી હતી. 12.05 વાગે પીસીઆરમાં તેમને ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે કહ્યું કે તે અરવિંદ કેજરીવાલને મારી નાખશે. પોલીસે લોકેશન ટ્રેસ કર્યા બાદ પોલીસ થોડી વારમાં જ આરોપી સુધી પહોંચી ગઈ હતી. આરોપી સુધી પહોંચ્યા બાદ પોલીસને જાણ થઈ કે માનસીક રીતે બિમાર છે. તેની સારવાર ચાલી રહી છે. માનસિક સ્થિતિને જોઈ પોલીસે તેની ધરપકડ કરી ન હતી.         




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.