દિલ્હીના મુખ્યમંત્રીને કોણે આપી જાનથી મારી નાખવાની ધમકી, કેમ પોલીસે ન કરી આરોપીની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-01-31 14:42:20

અનેક વખત નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી મળતી હોય છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુખ્યમંત્રીને ધમકી મળતા પોલીસ પણ દોડતી  થઈ ગઈ હતી. પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી.  ધમકી આપનાર આરોપીની તપાસ કરવામાં લાગી ગઈ હતી. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે ધમકી આપનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર હતો જેને કારણે પોલીસે તેની ધરપકડ કરી નથી. 


અરવિંદ કેજરીવાલને મળી જાનથી મારી નાખવાની ધમકી 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પીસીઆરમાં ફોન આવ્યો હતો જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ધમકી આપનારની શોધખોળમાં લાગી ગઈ હતી. આરોપી સુધી પોલીસ પહોંચી પરંતુ તેની ધરપકડ કરવામાં ન આવી હતી. 


માનસિક રૂપે બીમાર વ્યક્તિએ કર્યો હતો ફોન 

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સોમવારે મધરાત બાદ દિલ્હીના મુખ્યમંત્રીને આ ધમકી આપવામાં આવી હતી. 12.05 વાગે પીસીઆરમાં તેમને ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે કહ્યું કે તે અરવિંદ કેજરીવાલને મારી નાખશે. પોલીસે લોકેશન ટ્રેસ કર્યા બાદ પોલીસ થોડી વારમાં જ આરોપી સુધી પહોંચી ગઈ હતી. આરોપી સુધી પહોંચ્યા બાદ પોલીસને જાણ થઈ કે માનસીક રીતે બિમાર છે. તેની સારવાર ચાલી રહી છે. માનસિક સ્થિતિને જોઈ પોલીસે તેની ધરપકડ કરી ન હતી.         




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.