AAPનો મુખ્યમંત્રી ચેહરો કોણ હશે ? અરવિંદ કેજરીવાલએ કરી જાહેરાત !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-29 12:44:54


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતનીચૂંટણીમાં દરરોજ નવા નવા દાવપેચ સામે આવી રહ્યા છે. ગુજરાતણા રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ તેમનું ફોકસ ગુજરાત પર છે. આમ આદમી પાર્ટી પંજાબની જેમ ગુજરાત માટે મુખ્યમંત્રીનો ચેહરો પણ જાહેર કરશે. 



CM ચેહરા સાથે AAP લડશે ચૂંટણી !!

ગુજરાતમાં આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ આમ આદમી પાર્ટીએ 7 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા પંજાબની જેમ મુખ્યમંત્રીનો ચેહરો પણ પસંદ કરી લેશે. પંજાબની જેમ આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરાને મેદાનમાં ઉતારશે. જોકે મુખ્યમંત્રી ચેહરા માટે આમ આદમી પાર્ટી જનતા પાસેથી સૂચનો માંગવી શકે છે.


કોણ નક્કી કરશે મુખ્યમંત્રી ચેહરો ??

ચૂંટણી જાહેર થયા બાદ AAP CM ચહેરા સાથે પ્રચાર કરશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર AAP સર્વે કરશે અને ગુજરાતના લોકો પાસેથી સૂચનો માંગશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ટેલિફોન દ્વારા ઓપિનિયન પોલ કરવામાં આવશે અને સીએમ ચહેરા માટે ઓપીનિયન પોલ કરવામાં આવશે. ગ્રાઉન્ડ સર્વે પણ કરવામાં આવશે તેમ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર AAP પંજાબની જેમ ગુજરાતમાં પણ ચૂંટણી લડવા માંગે છે. પંજાબમાં AAPએ CM ચહેરાને ભગવંત માન તરીકે જાહેર કર્યો હતો અને તેથી જ ગુજરાતમાં ઓપિનિયન પોલ હાથ ધરવામાં આવશે અને જનતા સીએમ ચહેરો નક્કી કરશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.