AAP કોને બનાવશે મુખ્યમંત્રીનો ચહેરો?? કાલે ખુલશે સસ્પેન્સ


  • Published By :
  • Published Date : 2022-11-03 10:43:30

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્રણેય પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે આપ કોને મુખ્યમંત્રીનો ચહેરો બનાવશે તે પ્રશ્નનો અંત 4 નવેમ્બરના રોજ આવી જશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તે AAPના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરશે. 

Gujarat Election 2022: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં, આગમન  સાથે જ કહ્યુ,'ભાજપના શાસનથી પ્રજા પરેશાન', ગુજરાત માટે પહેલી ગેરેંટીની ...

આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના નામને લઈ માગ્યા હતા સૂચનો 

દરેક પક્ષ તેમજ લોકો ચૂંટણીની તારીખની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કઈ તારીખે ચૂંટણી યોજાવાની છે તેનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આપે 29 ઓક્ટોબરના રોજ કોને મુખ્યમંત્રીનો ચહેરો બનાવો તે અંગે સૂઝાવો માગ્યા હતા. સૂચનો માગવાનો સમય પૂર્ણ થતા, 4 નવેમ્બરે આમ આદમી પાર્ટી પોતાના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઈસુદાન ગઢવી અથવા ગોપાલ ઈટાલિયાને આપ મુખ્યમંત્રી તરીકે મેદાનમાં ઉતારશે. પરંતુ આમ આદમી પાર્ટી કોઈ નવો ચહેરો પણ લાવી શકે છે. ત્યારે બધાની નજર અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર રહેવાની છે. 

ગુજરાત ચૂંટણી : આમ આદમી પાર્ટી ભાજપ સામે જેટલી સક્રિય દેખાય છે, એટલી બેઠકો  મેળવી શકશે? - BBC News ગુજરાતી

કોઈ જાણીતો ચહેરો આપમાં જોડાઈ શકે છે તેવું અનુમાન  

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. પોતાના પ્રચાર દરમિયાન બીજી રાજકીય પાર્ટીઓ પર પણ પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં અનેક દિગ્ગજ નેતાઓ આપનો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે આ વખતની મુલાકાતમાં પણ કોઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.             



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.