AAP કોને બનાવશે મુખ્યમંત્રીનો ચહેરો?? કાલે ખુલશે સસ્પેન્સ


  • Published By :
  • Published Date : 2022-11-03 10:43:30

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્રણેય પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે આપ કોને મુખ્યમંત્રીનો ચહેરો બનાવશે તે પ્રશ્નનો અંત 4 નવેમ્બરના રોજ આવી જશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તે AAPના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરશે. 

Gujarat Election 2022: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં, આગમન  સાથે જ કહ્યુ,'ભાજપના શાસનથી પ્રજા પરેશાન', ગુજરાત માટે પહેલી ગેરેંટીની ...

આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના નામને લઈ માગ્યા હતા સૂચનો 

દરેક પક્ષ તેમજ લોકો ચૂંટણીની તારીખની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કઈ તારીખે ચૂંટણી યોજાવાની છે તેનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આપે 29 ઓક્ટોબરના રોજ કોને મુખ્યમંત્રીનો ચહેરો બનાવો તે અંગે સૂઝાવો માગ્યા હતા. સૂચનો માગવાનો સમય પૂર્ણ થતા, 4 નવેમ્બરે આમ આદમી પાર્ટી પોતાના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઈસુદાન ગઢવી અથવા ગોપાલ ઈટાલિયાને આપ મુખ્યમંત્રી તરીકે મેદાનમાં ઉતારશે. પરંતુ આમ આદમી પાર્ટી કોઈ નવો ચહેરો પણ લાવી શકે છે. ત્યારે બધાની નજર અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર રહેવાની છે. 

ગુજરાત ચૂંટણી : આમ આદમી પાર્ટી ભાજપ સામે જેટલી સક્રિય દેખાય છે, એટલી બેઠકો  મેળવી શકશે? - BBC News ગુજરાતી

કોઈ જાણીતો ચહેરો આપમાં જોડાઈ શકે છે તેવું અનુમાન  

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. પોતાના પ્રચાર દરમિયાન બીજી રાજકીય પાર્ટીઓ પર પણ પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં અનેક દિગ્ગજ નેતાઓ આપનો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે આ વખતની મુલાકાતમાં પણ કોઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.             



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.