Bharuch Loksabhaમાં Dediapadaનું બમ્પર મતદાન કોને જીતાડશે? Mansukh Vasavaને કે Chaitar Vasavaને? સમજો પત્રકાર પાસેથી ત્યાંના સમીકરણો


  • Published By :
  • Published Date : 2024-05-11 21:13:18

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે.. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે આ બેઠક ચર્ચામાં રહેતી હતી.. 


ડેડિયાપાડા સહિતના વિસ્તારોમાં થયું છે સારા પ્રમાણમાં મતદાન 

જે બેઠકો પર ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતા તે બેઠકો પર સારા પ્રમાણમાં મતદાન થયું છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણીની પેટર્ન કેવી રહી તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ પત્રકારો સાથે ચર્ચા કરી રહી છે... વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સાથે જમાવટની ટીમે ચર્ચા કરી હતી અને ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠકના સમીકરણો જાણવાની કોશિશ કરી હતી.. ડેડિયાપાડા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે જે અનેક સમીકરણોને બદલી શકે છે. 


ભરૂચ લોકસભા બેઠકમાં હતો ત્રિ પાંખીયો જંગ 

ભરૂચ જિલ્લામાં ગયા વખતની સરખામણીમાં ઓછું મતદાન થયું છે. તો બીજી તરફ આદિવાસી વિસ્તારમાં મતદાન વધ્યું છે.. ડેડીયાપાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં મતદાનનું પ્રમાણ વધ્યું છે જેને કારણે સમીકરણો બદલાઈ ગયા છે. મતદાનનું પ્રમાણ તો વધ્યું પરંતુ આ વધેલા મતનો ફાયદો કોને થાય છે તે એક મોટો પ્રશ્ન છે.. કારણ કે ભરૂચ લોકસભા બેઠકમાં ત્રિ પાંખીયો જંગ જોવા મળ્યો હતો. છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર હતા, ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતા અને ભારતીય જનતા પાર્ટીના પણ ઉમેદવાર હતા. આ વખતે ટફ કોમ્પીટિશન જોવા મળી શકે છે આ બેઠક પર તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. 


ભરૂચ લોકસભા બેઠકમાં જોવા મળી શકે છે રસાકસી

ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમના ઉમેદવાર જીતશે તો ચૈતર વસાવા દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે તે જીતશે.. ભરૂચ લોકસભા બેઠકના પરિણામોમાં રસાકસી જોવા મળી શકે છે તેવું દેખાઈ રહ્યું છે.. મતોનું વિભાજન થશે તેવી વાત કરવામાં આવી હતી. અનેક જગ્યાઓ પર મતદાનનું પ્રમાણ વધ્યું છે તે શું જોઈને વોટ કરવા આવ્યા તે પણ એક મહત્વનું ફેક્ટર છે..


કોંગ્રેસ માટે પણ તેમણે વાત કરી... 

મતદાન કરવા બહાર આવેલા મતદાતા ભાજપના ઉમેદવારને ફાયદો કરાવે છે કે અન્ય કોઈ ઉમેદવારને તે એક ચર્ચાનો વિષય છે.. પરિણામની ભવિષ્યવાણી કરવાનું અઘરૂં થતું જઈ રહ્યું છે કારણ કે પેટર્ન બદલાયું છે મતદાતાઓનું.. તે સિવાય મોંઘવારીની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે.. મનસુખ વસાવાના શાસનકાળની વાત પણ તેમણે કરી હતી. તે સિવાય કોંગ્રેસ માટે પણ તેમણે વાત કરી હતી.. 


જોવું રહ્યું ભરૂચ લોકસભા બેઠક પર કોની થશે જીત?

આ વખતની લડાઈમાં કોની હાર થશે કોની જીત થશે તે કહેવું અઘરૂં છે. ભરૂચ જિલ્લો કેસરિયો ગઢ ગણવામાં આવે છે, મનસુખ વસાવાને પહેલો ચાન્સ મળે પરંતુ ચૈતર વસાવા જેવા મજબૂત ઉમેદવારને ઉભા રાખવામાં આવ્યા. જો આ વખતે મતદારોએ ચૈતર વસાવાને વોટ આપ્યો હશે તો તેનું નુકસાન મનસુખ વસાવાને થઈ શકે છે.. ચૈતર વસાવા પણ જીતી શકે છે તેવા સંજોગોનું નિર્માણ થયું છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી...  ત્યારે હવે જોવું રહ્યું કે ભરૂચના મતદાતાઓએ કોને પસંદ કર્યા છે.. પરિણામ ચોથી જૂને આવવાનું છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.