Bharuch Loksabhaમાં Dediapadaનું બમ્પર મતદાન કોને જીતાડશે? Mansukh Vasavaને કે Chaitar Vasavaને? સમજો પત્રકાર પાસેથી ત્યાંના સમીકરણો


  • Published By :
  • Published Date : 2024-05-11 21:13:18

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે.. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે આ બેઠક ચર્ચામાં રહેતી હતી.. 


ડેડિયાપાડા સહિતના વિસ્તારોમાં થયું છે સારા પ્રમાણમાં મતદાન 

જે બેઠકો પર ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતા તે બેઠકો પર સારા પ્રમાણમાં મતદાન થયું છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણીની પેટર્ન કેવી રહી તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ પત્રકારો સાથે ચર્ચા કરી રહી છે... વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સાથે જમાવટની ટીમે ચર્ચા કરી હતી અને ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠકના સમીકરણો જાણવાની કોશિશ કરી હતી.. ડેડિયાપાડા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે જે અનેક સમીકરણોને બદલી શકે છે. 


ભરૂચ લોકસભા બેઠકમાં હતો ત્રિ પાંખીયો જંગ 

ભરૂચ જિલ્લામાં ગયા વખતની સરખામણીમાં ઓછું મતદાન થયું છે. તો બીજી તરફ આદિવાસી વિસ્તારમાં મતદાન વધ્યું છે.. ડેડીયાપાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં મતદાનનું પ્રમાણ વધ્યું છે જેને કારણે સમીકરણો બદલાઈ ગયા છે. મતદાનનું પ્રમાણ તો વધ્યું પરંતુ આ વધેલા મતનો ફાયદો કોને થાય છે તે એક મોટો પ્રશ્ન છે.. કારણ કે ભરૂચ લોકસભા બેઠકમાં ત્રિ પાંખીયો જંગ જોવા મળ્યો હતો. છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર હતા, ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતા અને ભારતીય જનતા પાર્ટીના પણ ઉમેદવાર હતા. આ વખતે ટફ કોમ્પીટિશન જોવા મળી શકે છે આ બેઠક પર તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. 


ભરૂચ લોકસભા બેઠકમાં જોવા મળી શકે છે રસાકસી

ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમના ઉમેદવાર જીતશે તો ચૈતર વસાવા દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે તે જીતશે.. ભરૂચ લોકસભા બેઠકના પરિણામોમાં રસાકસી જોવા મળી શકે છે તેવું દેખાઈ રહ્યું છે.. મતોનું વિભાજન થશે તેવી વાત કરવામાં આવી હતી. અનેક જગ્યાઓ પર મતદાનનું પ્રમાણ વધ્યું છે તે શું જોઈને વોટ કરવા આવ્યા તે પણ એક મહત્વનું ફેક્ટર છે..


કોંગ્રેસ માટે પણ તેમણે વાત કરી... 

મતદાન કરવા બહાર આવેલા મતદાતા ભાજપના ઉમેદવારને ફાયદો કરાવે છે કે અન્ય કોઈ ઉમેદવારને તે એક ચર્ચાનો વિષય છે.. પરિણામની ભવિષ્યવાણી કરવાનું અઘરૂં થતું જઈ રહ્યું છે કારણ કે પેટર્ન બદલાયું છે મતદાતાઓનું.. તે સિવાય મોંઘવારીની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે.. મનસુખ વસાવાના શાસનકાળની વાત પણ તેમણે કરી હતી. તે સિવાય કોંગ્રેસ માટે પણ તેમણે વાત કરી હતી.. 


જોવું રહ્યું ભરૂચ લોકસભા બેઠક પર કોની થશે જીત?

આ વખતની લડાઈમાં કોની હાર થશે કોની જીત થશે તે કહેવું અઘરૂં છે. ભરૂચ જિલ્લો કેસરિયો ગઢ ગણવામાં આવે છે, મનસુખ વસાવાને પહેલો ચાન્સ મળે પરંતુ ચૈતર વસાવા જેવા મજબૂત ઉમેદવારને ઉભા રાખવામાં આવ્યા. જો આ વખતે મતદારોએ ચૈતર વસાવાને વોટ આપ્યો હશે તો તેનું નુકસાન મનસુખ વસાવાને થઈ શકે છે.. ચૈતર વસાવા પણ જીતી શકે છે તેવા સંજોગોનું નિર્માણ થયું છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી...  ત્યારે હવે જોવું રહ્યું કે ભરૂચના મતદાતાઓએ કોને પસંદ કર્યા છે.. પરિણામ ચોથી જૂને આવવાનું છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.