મનસુખ વસાવાએ ભાજપની સામે કર્યો બળવો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-08 21:14:35

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે. 

गुजरात से सांसद मनसुख भाई वसावा ने दिया BJP से इस्तीफा, बात न सुने जाने पर  थे नाराज | Gujarat bharuch MP Mansukhbhai vasava Resigned from BJP

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં , ૬૦થી વધુ વયના ઉમેદવારોને ટિકિટ ના આપવી , ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને ટિકિટ ના આપવી, સંગઠનમાં પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટ ના આપવી. તો હવે , ભારતીય જનતા પાર્ટીના આ નિયમોની સામે , ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ કહ્યું છે કે, " આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટો આપવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. એ નિયમો જ પાર્ટીને નુક્શાન કરવાના છે. જેમ કે, ૬૦થી વર્ષથી ઉપરવાળાને ટિકિટ નઈ આપવાની , ત્રણ ટર્મ વાળાને ટિકિટ નઈ આપવાની, જે લોકો સંગઠનમાં હોય તેમને ટિકિટ નઈ આપવાની. પાર્ટીના આ બધા નિયમોના કારણે , કાર્યકર્તાઓ સખત નારાજ છે. આ નિયમોના કારણે પાર્ટીને ભયંકર નુકશાન થવાનું છે. વિધાનસભા કે લોકસભા માટે આવા નિયમો નથી. તો પછી નાનો કાર્યકર કે જે ચૂંટણીઓ લડે છે તેની માટે કેમ આવા નિયમો છે. " ભારતીય જનતા પાર્ટીના પાર્લિયામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, ૬૦થી વધુ ઉમરના નેતાઓને સ્થાન નઈ અપાય. આ ઉપરાંત , ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોની ટિકિટ કપાશે. આ ઉપરાંત , સરકાર કે સંગઠનના પદાધિકારીઓના પરિજનોને ટિકિટ આપવામાં નઈ આવે. આમ , ભારતીય જનતા પાર્ટીએ પરિવારવાદને ડામવા માટેની ગતિવિધિ હાથ ધરી છે. 

ભાજપે ઉમેદવારોની પસંદગી કરવા માટે નવા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. વાત કરીએ , જાતિગત સમીકરણોની તો , આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૭ ટકા oBC અનામતની અમલવારી કરવામાં આવી છે. એવામાં શક્ય તેટલી વધુમાં વધુ જ્ઞાતિ કે સમાજને ટિકિટ આપવાની ભાજપની વ્યૂહરચના છે. શક્ય તેટલી વધુ જ્ઞાતિને ટિકિટ મળે તેવી રીતે પેનલો બનાવવા પણ સૂચના ભાજપ હાઇકમાન્ડ તરફથી આપવામાં આવી છે .



ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.