શિવજીને બિલીપત્ર શા માટે કરાય છે અર્પણ? જાણો બિલીપત્રનો મહિમા


  • Published By :
  • Published Date : 2022-11-27 13:48:38

આપણે ત્યાં અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ દેવોની પૂજા કરવામાં આવે છે. સોમવારે મહાદેવજીની પૂજા કરવામાં આવે છે. ભગવાન શંકરને અનેક વસ્તુઓ પ્રિય હોય છે. ભસ્મ, રૂદ્રાક્ષ, ડમરૂ જેવી અનેક વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. તેમાં પણ ભગવાન શંકરને બિલીપત્ર અતિશય પ્રિય માનવામાં આવે છે. બિલીપત્ર અર્પણ કરવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે.

સોમનાથ મહાદેવને બિલ્વદલ શૃંગાર somnath temple gujarat bilva patra shringar

હિંદુ ધર્મમાં બિલીપત્રના ઝાડને વિશેષ મહત્વ આપવામાં આવે છે. બિલીપત્રને ત્રણ પાંદડા હોય છે. બિલીપત્ર વગર ભગવાન શંકરની પૂજા અધૂરી ગણવામાં આવે છે. 3 પત્તા હોવાને કારણે તેને ત્રિમૂર્તિનું પ્રતિક માનવામાં આવે છે. પૂજા દરમિયાન આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. સર્વકામ પ્રદે બિલ્વં દારિદ્રયસ્ય પ્રણાશનમ્| બિલ્વાત્પરતરં નાસ્તિ યેન તુષ્યતિ શંકર:|| દરેક પુષ્પને આપણે સીધૂ અર્પણ કરવામાં આવતું હોય છે પરંતુ બિલીપત્રને ઉંધું ચઢાવવામાં આવે છે. 

બિલીપત્રમાં ત્રણ દળ હોય છે જેને સત્વ, રજસ અને તમો ગુણનું પ્રતિક માનવામાં આવે છે. આ ગુણોને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ગણવામાં આવ્યા છે. બ્રહ્મા સંસારનું સર્જન કરે છે, વિષ્ણુ ભગવાન વિશ્વનું પાલન કરે છે જ્યારે ભગવાન શિવ સંસારનો નાશ કરે છે. એવું માનવામાં આવે છે કે બિલીપત્રમાં ત્રણેય દેવતાઓનો વાસ હોય છે. 

પવિત્ર શ્રાવણ માસમાં ચડાવો મહાદેવ ને આ વસ્તુ અને મેળવો ,કન્યાદાન કર્યાનું  અને આંકડાના ફૂલથી સોનાનું દાન કર્યાનું ફળ . - MT News Gujarati

અનેક લોકો ભગવાન શંકરને બિલીપત્ર અર્પણ કરતા હોય છે. તો અનેક ભક્ત સોમવારના દિવસે બિલીપત્ર અર્પણ કરે છે. બિલીપત્રની સાથે સાથે દૂધ તેમજ મધનો અભિષેક પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે અને મનોવાંચ્છિત ફળ આપે છે.

પવિત્ર શ્રાવણ માસમાં દરેક લોકો શિવલિંગ પર બીલીપત્ર ચડાવતાં હશે પરંતુ  બીલીપત્રનું આ મહત્વ તમે ભાગ્ય જ જાણતાં હશો, જાણો મહત્વપૂર્ણ વાતો ...

શ્રાવણ મહિનાને મહાદેવજીનો મહિનો ગણવામાં આવે છે. આ મહિના દરમિયાન ભગવાન શંકરની વિશેષ પ્રકારે પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકરને બિલીપત્ર અવશ્યપણે અર્પણ કરવામાં આવે છે. આપણે ત્યાં ચાલતી પરંપરા પાછળ વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું હોય છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસ દરમિયાન બીમારીઓ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધારે હોય છે. ત્યારે બિલીપત્રનો સ્પર્શ કરવાથી જીવાણું દૂર રહે છે. ઉપરાંત બિલીપત્રનો ઉપયોગ રસાયણ બનાવામાં પણ થતો હોય છે. વિષનાશનનો ગુણ ધર્મ બિલીપત્રમાં હોય છે. આયુર્વેદમાં પણ બિલીપત્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.       




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.