જગદીશ વિશ્વકર્માએ કેમ કરવું પડ્યું "ડેમેજ કંટ્રોલ"?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-12 18:34:33

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી માટે ખુબ કફોડી સ્થિતિ બની છે. ટિકિટ ન મળવાથી પાયાના કાર્યકરો અને પૂર્વ કોર્પોરેટરો આડકતરી રીતે વિરોધ કરી રહ્યા છે. ભાજપને સૌથી મોટો ડર "પેનલ તૂટવાનો" લાગી રહ્યો છે. હવે , ડેમેજ કંટ્રોલના ભાગરૂપે પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ પહોંચ્યા છે. રાજકોટમાં તેમણે "જનસેવા સંકલ્પ" કાર્યક્રમમાં ભાગ લીધો છે જેમાં તેમણે ભાજપના કાર્યકરોને જનસેવા સંકલ્પની પ્રતિજ્ઞા લેવડાવી છે. આ પછી , ડેમેજ કંટ્રોલના ભાગરૂપે જગદીશ વિશ્વકર્માએ રાજકોટમાં વિરોધ કરી રહેલા કાર્યકરો અને વિવિધ સમાજના આગેવાનો સાથે બંધ બારણે મુલાકારો કરી છે. વોર્ડ નંબર ૭માં છેલ્લી ઘડીએ મેન્ડેટ મેળવનાર ડો નેહલ શુક્લની પીઠ થપથપાવી કાર્યકરોને એક થવા માટે સંદેશો આપ્યો છે. 

આ ઉપરાંત , છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા પૂર્વે શૈલેષ જાનીના બદલે નેહલ શુક્લને ફોર્મ આપી દેવાતા નારાજ થયેલા શૈલેષ જાની સહીત એક ડઝન જેટલા કાર્યકર્તાઓને મળી ખુબ પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અસંતોષ ખાળવાનો પ્રયાસ કર્યો છે. આ માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના નિવાસસ્થાને તમામ નારાજ કાર્યકર્તાને બોલાવી આશ્વાસન આપવામાં આવ્યું છે. આ નારાજ કાર્યકરોમાં , હેમુ પરમાર , નીતિન રામાણી , શૈલેષ ડાંગર , સુરેન્દ્રસિંહ વાળા, ધર્મેન્દ્ર ભગત , સંજય દવે અને જીગ્નેશ જોશીનો સમાવેશ થાય છે. આ પછી , જગદીશ વિશ્વકર્માએ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા જ્યોતીન્દ્ર મહેતા મામાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યોતીન્દ્ર મહેતાના પુત્ર રાહુલ મહેતાએ પક્ષ પાસે ટિકિટ માંગી હતી, પરંતુ ટિકિટ ન મળતા તેમના પરિવારજનો અને સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુલાકાતમાં પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્માની સાથે રાજ્યસભાના MP રામ મોકરિયા અને શહેર પ્રમુખ માધવ દવે પણ હાજરઃ હતા. આ બેઠકનું મુખ્ય કારણ , રાજકોટમાં જૈન વણિક સમાજમાં નારાજ ના થઇ જાય તે પણ છે. કેમ કે , જૈન સમાજની વસ્તી રાજકોટમાં પોણા બે લાખની છે , ભાજપે જે ૭૨ બેઠકો પર નામ જાહેર કર્યા છે તેમાંથી માત્ર એક જ ઉમેદવાર ધૈર્ય પારેખને આ સમાજમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ જ કારણે છે, ભાજપે ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું છે. 




ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.