નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

થરાદ મામલતદાર કચેરીએ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. કેમ કે , કોંગ્રેસના કાર્યકરોનો આરોપ છે કે , અમારા ઉમેદવારોને પોલીસ ધમકાવી રહી છે. આ કારણે , થરાદ મામલતદાર કચેરીની બહાર આજે મામલો ગરમાઈ ગયો હતો. થરાદની મામલતદાર કચેરીએ , ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું છે કે , " જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં જે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની હાલમાં ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ ભરાયું આ પછી ભાજપના ઉમેદવારોનું ફોર્મ ભરાયું છે. બીજા અનેક નાના મોટા મુદ્દે અમે રજુઆત કરવા આવ્યા હતા. ત્યારે થરાદની અંદર , કોઈ પણ અધિકારી ઉમેદવાર કે ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી. આ ઉપરાંત , વકીલને આવવા દેવામાં આવતા નથી આવો ક્યાંય નિયમ નથી તેમ છતાં , ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચી લો. પોલીસનો જ્યાં પણ દુરુપયોગ થઇ રહ્યો છે તે માટે અમારે જ્યાં પણ લડવું પડે ત્યાં અમે લડીશું"
વાવ-થરાદ જિલ્લામાં રાજકીય ગરમીમાં ભોરોલ તાલુકા પંચાયતની બેઠક અત્યારે કેન્દ્રબિંદુ બની છે. એક તરફ ભાજપ આ બેઠક પર બિનહરીફ વિજયનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)એ મેદાનમાં ઉતરી ભાજપના દાવાને ફગાવી દીધો છે. ભોરોલ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના મેન્ડેટ સાથે જોગાજી રાજપૂતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરવાની સમય મર્યાદા બાદ કોંગ્રેસના કોઈ મજબૂત હરીફ સામે ન આવતા અથવા ઉમેદવાર હટી જતાં, ભાજપ છાવણીમાં વિજયનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં આ ઘટનાને કોંગ્રેસના ગઢમાં મોટા ગાબડા સમાન જોવામાં આવી રહી છે






.jpg)








