AAP ગુજરાતે શા માટે લખ્યું કે ચૂંટણી પૂર્ણ થતા જ સરકારે પોતાનો અસલી રંગ બતાવી દીધો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-02 17:06:32

30 નવેમ્બરે પાંચ ચૂંટણી માટે યોજાયેલી ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું. આવતી કાલે ચાર રાજ્યોનું પરિણામ જાહેર થવાનું છે. મિઝોરમ માટેનું પરિણામ સોમવારે આવવાનું છે. હજી પરિણામ આવવાનું બાકી છે એ પહેલા જ 19 કિલોના ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો ઝિંકાયો હતો. 21 રુપિયાનો વધારો એક જ દિવસમાં થઈ ગયો. ચૂંટણી પૂર્ણ થવાના બીજા જ દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ત્યારે આ ભાવ વધારા બાદ સરકાર પર વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા તેમજ કોંગ્રેસ દ્વારા આને લઈ ટ્વિટ કર્યું છે.


ભાવ વધારાને લઈ કોંગ્રેસ અને આપે સરકાર પર કર્યા પ્રહાર  

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતાં કોંગ્રેસ દ્વારા લખવામાં આવ્યું કે ચૂંટણી ખતમ થતાં જ જનતા પર મોંઘવારીનો ચાબુક ચાલવા લાગ્યો. 19 કિલો વાળા કોમર્શિયલ ગૈસ સિલિંડર મોંઘા થયા. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ લખ્યું કે મોદીજીએ તો મોયે મોયે કરી દીધી. તે ઉપરાંત આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પણ આને લઈ ટ્વિટ કર્યું છે. આપ ગુજરાતે લખ્યું કે ચૂંટણી ખતમ થતાં જ લૂંટેરી ભાજપ સરકારે એલપીજી ગેસનો ભાવ વધારીને પોતાનો અસલી રંગ બતાવી દીધો.  


ગુજરાત આપે પણ કર્યું ટ્વિટ

ઉલ્લેખનિય છે કે ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતો હોય છે. મોંઘવારી થોડાક અંશે કાબુમાં રહેતી હોય છે. જીવન જરૂરી વસ્તુમાં તોતિંગ ભાવ વધારો નથી કરવામાં આવતો. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવ વધારો ઝિંકાયો છે જેની અસર સામાન્ય માણસને થતી હોય છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.