AAP ગુજરાતે શા માટે લખ્યું કે ચૂંટણી પૂર્ણ થતા જ સરકારે પોતાનો અસલી રંગ બતાવી દીધો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-02 17:06:32

30 નવેમ્બરે પાંચ ચૂંટણી માટે યોજાયેલી ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું. આવતી કાલે ચાર રાજ્યોનું પરિણામ જાહેર થવાનું છે. મિઝોરમ માટેનું પરિણામ સોમવારે આવવાનું છે. હજી પરિણામ આવવાનું બાકી છે એ પહેલા જ 19 કિલોના ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો ઝિંકાયો હતો. 21 રુપિયાનો વધારો એક જ દિવસમાં થઈ ગયો. ચૂંટણી પૂર્ણ થવાના બીજા જ દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ત્યારે આ ભાવ વધારા બાદ સરકાર પર વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા તેમજ કોંગ્રેસ દ્વારા આને લઈ ટ્વિટ કર્યું છે.


ભાવ વધારાને લઈ કોંગ્રેસ અને આપે સરકાર પર કર્યા પ્રહાર  

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતાં કોંગ્રેસ દ્વારા લખવામાં આવ્યું કે ચૂંટણી ખતમ થતાં જ જનતા પર મોંઘવારીનો ચાબુક ચાલવા લાગ્યો. 19 કિલો વાળા કોમર્શિયલ ગૈસ સિલિંડર મોંઘા થયા. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ લખ્યું કે મોદીજીએ તો મોયે મોયે કરી દીધી. તે ઉપરાંત આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પણ આને લઈ ટ્વિટ કર્યું છે. આપ ગુજરાતે લખ્યું કે ચૂંટણી ખતમ થતાં જ લૂંટેરી ભાજપ સરકારે એલપીજી ગેસનો ભાવ વધારીને પોતાનો અસલી રંગ બતાવી દીધો.  


ગુજરાત આપે પણ કર્યું ટ્વિટ

ઉલ્લેખનિય છે કે ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતો હોય છે. મોંઘવારી થોડાક અંશે કાબુમાં રહેતી હોય છે. જીવન જરૂરી વસ્તુમાં તોતિંગ ભાવ વધારો નથી કરવામાં આવતો. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવ વધારો ઝિંકાયો છે જેની અસર સામાન્ય માણસને થતી હોય છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.