AAP ગુજરાતે શા માટે લખ્યું કે ચૂંટણી પૂર્ણ થતા જ સરકારે પોતાનો અસલી રંગ બતાવી દીધો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-02 17:06:32

30 નવેમ્બરે પાંચ ચૂંટણી માટે યોજાયેલી ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું. આવતી કાલે ચાર રાજ્યોનું પરિણામ જાહેર થવાનું છે. મિઝોરમ માટેનું પરિણામ સોમવારે આવવાનું છે. હજી પરિણામ આવવાનું બાકી છે એ પહેલા જ 19 કિલોના ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો ઝિંકાયો હતો. 21 રુપિયાનો વધારો એક જ દિવસમાં થઈ ગયો. ચૂંટણી પૂર્ણ થવાના બીજા જ દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ત્યારે આ ભાવ વધારા બાદ સરકાર પર વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા તેમજ કોંગ્રેસ દ્વારા આને લઈ ટ્વિટ કર્યું છે.


ભાવ વધારાને લઈ કોંગ્રેસ અને આપે સરકાર પર કર્યા પ્રહાર  

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતાં કોંગ્રેસ દ્વારા લખવામાં આવ્યું કે ચૂંટણી ખતમ થતાં જ જનતા પર મોંઘવારીનો ચાબુક ચાલવા લાગ્યો. 19 કિલો વાળા કોમર્શિયલ ગૈસ સિલિંડર મોંઘા થયા. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ લખ્યું કે મોદીજીએ તો મોયે મોયે કરી દીધી. તે ઉપરાંત આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પણ આને લઈ ટ્વિટ કર્યું છે. આપ ગુજરાતે લખ્યું કે ચૂંટણી ખતમ થતાં જ લૂંટેરી ભાજપ સરકારે એલપીજી ગેસનો ભાવ વધારીને પોતાનો અસલી રંગ બતાવી દીધો.  


ગુજરાત આપે પણ કર્યું ટ્વિટ

ઉલ્લેખનિય છે કે ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતો હોય છે. મોંઘવારી થોડાક અંશે કાબુમાં રહેતી હોય છે. જીવન જરૂરી વસ્તુમાં તોતિંગ ભાવ વધારો નથી કરવામાં આવતો. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવ વધારો ઝિંકાયો છે જેની અસર સામાન્ય માણસને થતી હોય છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે