AAP ગુજરાતે શા માટે લખ્યું કે ચૂંટણી પૂર્ણ થતા જ સરકારે પોતાનો અસલી રંગ બતાવી દીધો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-02 17:06:32

30 નવેમ્બરે પાંચ ચૂંટણી માટે યોજાયેલી ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું. આવતી કાલે ચાર રાજ્યોનું પરિણામ જાહેર થવાનું છે. મિઝોરમ માટેનું પરિણામ સોમવારે આવવાનું છે. હજી પરિણામ આવવાનું બાકી છે એ પહેલા જ 19 કિલોના ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો ઝિંકાયો હતો. 21 રુપિયાનો વધારો એક જ દિવસમાં થઈ ગયો. ચૂંટણી પૂર્ણ થવાના બીજા જ દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ત્યારે આ ભાવ વધારા બાદ સરકાર પર વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા તેમજ કોંગ્રેસ દ્વારા આને લઈ ટ્વિટ કર્યું છે.


ભાવ વધારાને લઈ કોંગ્રેસ અને આપે સરકાર પર કર્યા પ્રહાર  

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતાં કોંગ્રેસ દ્વારા લખવામાં આવ્યું કે ચૂંટણી ખતમ થતાં જ જનતા પર મોંઘવારીનો ચાબુક ચાલવા લાગ્યો. 19 કિલો વાળા કોમર્શિયલ ગૈસ સિલિંડર મોંઘા થયા. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ લખ્યું કે મોદીજીએ તો મોયે મોયે કરી દીધી. તે ઉપરાંત આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પણ આને લઈ ટ્વિટ કર્યું છે. આપ ગુજરાતે લખ્યું કે ચૂંટણી ખતમ થતાં જ લૂંટેરી ભાજપ સરકારે એલપીજી ગેસનો ભાવ વધારીને પોતાનો અસલી રંગ બતાવી દીધો.  


ગુજરાત આપે પણ કર્યું ટ્વિટ

ઉલ્લેખનિય છે કે ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતો હોય છે. મોંઘવારી થોડાક અંશે કાબુમાં રહેતી હોય છે. જીવન જરૂરી વસ્તુમાં તોતિંગ ભાવ વધારો નથી કરવામાં આવતો. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવ વધારો ઝિંકાયો છે જેની અસર સામાન્ય માણસને થતી હોય છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી