Social Media Platform X પર ગુજરાત કોંગ્રેસે શા માટે લખ્યું Gujarat Model is a myth? કાયમી ભરતી અને બ્રિજની ઘટનાને કોંગ્રેસે આ રીતે જોડી!


  • Published By :
  • Published Date : 2023-10-25 11:50:25

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્ઞાન સહાયકનો વિરોધ ભાવિ શિક્ષકો કરી રહ્યા છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની એક જ માગ છે કે કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને શિક્ષકોને કાયમી ધોરણે રાખવામાં આવે. સરકાર સુધી પોતાની વાત પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહી. રાજકીય પાર્ટીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે પાલનપુર બ્રિજ અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી એક ટ્વિટ કરી છે. ગુજરાત કોંગ્રેસે લખ્યું છે કે #GujaratModel is a  myth.

જ્ઞાન સહાયક રદ્દ કરાવા ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન 

ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. શાળામાં ભણાવતા શિક્ષકોની જ નોકરી જો કાયમી નહીં હોય, શિક્ષકોનું ભવિષ્ય જ જો સ્થિર નહીં હોય તો તે દેશના ભાવિનું ઘડતર કેવી રીતે કરી શકશે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. અલગ અલગ રીતે સરકારને રજૂઆત કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક રદ્દ કરવામા આવે પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ છે.


ગુજરાત કોંગ્રેસે ગુજરાત મોડલને લઈ સરકાર પર કર્યા પ્રહાર

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આવી છે. સમર્થનમાં આવીને કોંગ્રેસે શિક્ષણ બચાવ રેલીનું આયોજન કર્યું હતું તો આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. દાંડી યાત્રા 2.0 પૂર્ણ થયા બાદ યુવરાજસિંહે સમાજને આગળ આવવા આહ્વાહન કર્યું હતું, ત્યારે પાલનપુર બ્રિજ દુર્ઘટના અને કામયી શિક્ષકોને એક સાથે કોંગ્રેસે જોડી દીધી છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે  #GujaratModel is a myth. આપણે સૌ તો જાણીએ જ છીએ કે ગુજરાત મોડેલ એક ભ્રમ છે. હવે આ ભ્રમ કડાકાભૂસ થઈ રહ્યો છે. એવું તે કેવું મોડેલ કે કાયમી શિક્ષકો પણ ન હોય?   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.