Social Media Platform X પર ગુજરાત કોંગ્રેસે શા માટે લખ્યું Gujarat Model is a myth? કાયમી ભરતી અને બ્રિજની ઘટનાને કોંગ્રેસે આ રીતે જોડી!


  • Published By :
  • Published Date : 2023-10-25 11:50:25

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્ઞાન સહાયકનો વિરોધ ભાવિ શિક્ષકો કરી રહ્યા છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની એક જ માગ છે કે કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને શિક્ષકોને કાયમી ધોરણે રાખવામાં આવે. સરકાર સુધી પોતાની વાત પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહી. રાજકીય પાર્ટીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે પાલનપુર બ્રિજ અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી એક ટ્વિટ કરી છે. ગુજરાત કોંગ્રેસે લખ્યું છે કે #GujaratModel is a  myth.

જ્ઞાન સહાયક રદ્દ કરાવા ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન 

ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. શાળામાં ભણાવતા શિક્ષકોની જ નોકરી જો કાયમી નહીં હોય, શિક્ષકોનું ભવિષ્ય જ જો સ્થિર નહીં હોય તો તે દેશના ભાવિનું ઘડતર કેવી રીતે કરી શકશે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. અલગ અલગ રીતે સરકારને રજૂઆત કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક રદ્દ કરવામા આવે પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ છે.


ગુજરાત કોંગ્રેસે ગુજરાત મોડલને લઈ સરકાર પર કર્યા પ્રહાર

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આવી છે. સમર્થનમાં આવીને કોંગ્રેસે શિક્ષણ બચાવ રેલીનું આયોજન કર્યું હતું તો આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. દાંડી યાત્રા 2.0 પૂર્ણ થયા બાદ યુવરાજસિંહે સમાજને આગળ આવવા આહ્વાહન કર્યું હતું, ત્યારે પાલનપુર બ્રિજ દુર્ઘટના અને કામયી શિક્ષકોને એક સાથે કોંગ્રેસે જોડી દીધી છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે  #GujaratModel is a myth. આપણે સૌ તો જાણીએ જ છીએ કે ગુજરાત મોડેલ એક ભ્રમ છે. હવે આ ભ્રમ કડાકાભૂસ થઈ રહ્યો છે. એવું તે કેવું મોડેલ કે કાયમી શિક્ષકો પણ ન હોય?   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.