Social Media Platform X પર ગુજરાત કોંગ્રેસે શા માટે લખ્યું Gujarat Model is a myth? કાયમી ભરતી અને બ્રિજની ઘટનાને કોંગ્રેસે આ રીતે જોડી!


  • Published By :
  • Published Date : 2023-10-25 11:50:25

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્ઞાન સહાયકનો વિરોધ ભાવિ શિક્ષકો કરી રહ્યા છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની એક જ માગ છે કે કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને શિક્ષકોને કાયમી ધોરણે રાખવામાં આવે. સરકાર સુધી પોતાની વાત પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહી. રાજકીય પાર્ટીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે પાલનપુર બ્રિજ અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી એક ટ્વિટ કરી છે. ગુજરાત કોંગ્રેસે લખ્યું છે કે #GujaratModel is a  myth.

જ્ઞાન સહાયક રદ્દ કરાવા ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન 

ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. શાળામાં ભણાવતા શિક્ષકોની જ નોકરી જો કાયમી નહીં હોય, શિક્ષકોનું ભવિષ્ય જ જો સ્થિર નહીં હોય તો તે દેશના ભાવિનું ઘડતર કેવી રીતે કરી શકશે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. અલગ અલગ રીતે સરકારને રજૂઆત કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક રદ્દ કરવામા આવે પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ છે.


ગુજરાત કોંગ્રેસે ગુજરાત મોડલને લઈ સરકાર પર કર્યા પ્રહાર

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આવી છે. સમર્થનમાં આવીને કોંગ્રેસે શિક્ષણ બચાવ રેલીનું આયોજન કર્યું હતું તો આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. દાંડી યાત્રા 2.0 પૂર્ણ થયા બાદ યુવરાજસિંહે સમાજને આગળ આવવા આહ્વાહન કર્યું હતું, ત્યારે પાલનપુર બ્રિજ દુર્ઘટના અને કામયી શિક્ષકોને એક સાથે કોંગ્રેસે જોડી દીધી છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે  #GujaratModel is a myth. આપણે સૌ તો જાણીએ જ છીએ કે ગુજરાત મોડેલ એક ભ્રમ છે. હવે આ ભ્રમ કડાકાભૂસ થઈ રહ્યો છે. એવું તે કેવું મોડેલ કે કાયમી શિક્ષકો પણ ન હોય?   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી