સુમુલ ડેરીએ શા માટે કરી ત્રણ અધિકારીઓની હકાલપટ્ટી? અધિકારીઓ પર શેના લાગ્યા હતા આરોપ??


  • Published By :
  • Published Date : 2023-01-22 09:37:51

સુમુલ ડેરી ફરી એક વખત ચર્ચામાં આવી છે. વહીવટમાં ગેરરીતી આચરી હોવાને કારણે સુમુલ ડેરીએ ત્રણ અધિકારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. ત્રણ ઉચ્ચ અધિકારીઓને ટર્મિનેટર કરી દેવાતા ગુજરાતના સહકારી ક્ષેત્રમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. 


ત્રણ અધિકારી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી 

પ્રાપ્ત વિગતો અનુસાર ડેરીમાંથી દૂધ ચોરી કરાતું હોવાની આશંકાને પગલે તેમજ દૂધને બારોબાર સગેવગે કરવાના આક્ષેપોને પગલે ડેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જીએમ-માર્કેટિંગ મનીષ ભટ્ટ, ડીજીએમ ઓપરેશન અલ્પેશ શાહ અને મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 


દૂધની ચોરી કરાતું હોવાની આશંકા

ડેરીમાં થતો ભ્રષ્ટાચાર ધીરે ધીરે સામે આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી પણ ચર્ચામાં આવી છે. સુમુલ ડેરીએ પોતાના ત્રણ ઉચ્ચ અધિકારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. કયા કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી તે અંગે જાણી શકાયું નથી પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર ડેરીમાં દૂધની ચોરી થઈ રહી હતી. ત્રણેય અધિકારીઓ દ્વારા ગેરરીતી અપનાવામાં આવી રહી હતી. જેને લઈ અધિકારીઓને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે.   




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .