સુમુલ ડેરીએ શા માટે કરી ત્રણ અધિકારીઓની હકાલપટ્ટી? અધિકારીઓ પર શેના લાગ્યા હતા આરોપ??


  • Published By :
  • Published Date : 2023-01-22 09:37:51

સુમુલ ડેરી ફરી એક વખત ચર્ચામાં આવી છે. વહીવટમાં ગેરરીતી આચરી હોવાને કારણે સુમુલ ડેરીએ ત્રણ અધિકારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. ત્રણ ઉચ્ચ અધિકારીઓને ટર્મિનેટર કરી દેવાતા ગુજરાતના સહકારી ક્ષેત્રમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. 


ત્રણ અધિકારી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી 

પ્રાપ્ત વિગતો અનુસાર ડેરીમાંથી દૂધ ચોરી કરાતું હોવાની આશંકાને પગલે તેમજ દૂધને બારોબાર સગેવગે કરવાના આક્ષેપોને પગલે ડેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જીએમ-માર્કેટિંગ મનીષ ભટ્ટ, ડીજીએમ ઓપરેશન અલ્પેશ શાહ અને મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 


દૂધની ચોરી કરાતું હોવાની આશંકા

ડેરીમાં થતો ભ્રષ્ટાચાર ધીરે ધીરે સામે આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી પણ ચર્ચામાં આવી છે. સુમુલ ડેરીએ પોતાના ત્રણ ઉચ્ચ અધિકારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. કયા કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી તે અંગે જાણી શકાયું નથી પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર ડેરીમાં દૂધની ચોરી થઈ રહી હતી. ત્રણેય અધિકારીઓ દ્વારા ગેરરીતી અપનાવામાં આવી રહી હતી. જેને લઈ અધિકારીઓને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.