સુમુલ ડેરીએ શા માટે કરી ત્રણ અધિકારીઓની હકાલપટ્ટી? અધિકારીઓ પર શેના લાગ્યા હતા આરોપ??


  • Published By :
  • Published Date : 2023-01-22 09:37:51

સુમુલ ડેરી ફરી એક વખત ચર્ચામાં આવી છે. વહીવટમાં ગેરરીતી આચરી હોવાને કારણે સુમુલ ડેરીએ ત્રણ અધિકારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. ત્રણ ઉચ્ચ અધિકારીઓને ટર્મિનેટર કરી દેવાતા ગુજરાતના સહકારી ક્ષેત્રમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. 


ત્રણ અધિકારી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી 

પ્રાપ્ત વિગતો અનુસાર ડેરીમાંથી દૂધ ચોરી કરાતું હોવાની આશંકાને પગલે તેમજ દૂધને બારોબાર સગેવગે કરવાના આક્ષેપોને પગલે ડેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જીએમ-માર્કેટિંગ મનીષ ભટ્ટ, ડીજીએમ ઓપરેશન અલ્પેશ શાહ અને મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 


દૂધની ચોરી કરાતું હોવાની આશંકા

ડેરીમાં થતો ભ્રષ્ટાચાર ધીરે ધીરે સામે આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી પણ ચર્ચામાં આવી છે. સુમુલ ડેરીએ પોતાના ત્રણ ઉચ્ચ અધિકારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. કયા કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી તે અંગે જાણી શકાયું નથી પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર ડેરીમાં દૂધની ચોરી થઈ રહી હતી. ત્રણેય અધિકારીઓ દ્વારા ગેરરીતી અપનાવામાં આવી રહી હતી. જેને લઈ અધિકારીઓને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.