ઋષભ પંતના નામથી ઉર્વશી રૌતેલાને કેમ આવ્યો ગુસ્સો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:00:30

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને રૂષભ પંતને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. 2018માં બંને એક સાથે અનેક વખત દેખાતા તેમની વચ્ચે રિલેશનશિપ હોવાની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. ત્યારે ફરી એક વખત ઉર્વશી રૌતેલાના નામને રૂષભ પંત સાથે જોડી દેવાતા ઉર્વશી ગુસ્સે ભરાઈ હતી.       

ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બતાવી નારજગી 

હમેશાં સુર્ખિયોમાં રહેનારી અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એક વખત ચર્ચામાં આવી છે. ગણપતિ મહોત્સવમાં સામેલ થવા પહોંચેલી ઉર્વશી નારાજ થઈ છે. વાત જાણે એમ છે કે ગણપતિ પંડાલમાં તેને જોતા જ ત્યાં ઉપસ્થિત દર્શનાર્થીઓએ રૂષભ પંતની બુમો પાડવાની શરૂ કરી દીધી હતી. એ વખતે મૌન રહેલી અભિનેત્રીએ બાદમાં સોશિયલ મીડિયા દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું ‘યે સબ બંધ કરો, નહિંતો…’





સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે