ઋષભ પંતના નામથી ઉર્વશી રૌતેલાને કેમ આવ્યો ગુસ્સો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:00:30

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને રૂષભ પંતને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. 2018માં બંને એક સાથે અનેક વખત દેખાતા તેમની વચ્ચે રિલેશનશિપ હોવાની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. ત્યારે ફરી એક વખત ઉર્વશી રૌતેલાના નામને રૂષભ પંત સાથે જોડી દેવાતા ઉર્વશી ગુસ્સે ભરાઈ હતી.       

ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બતાવી નારજગી 

હમેશાં સુર્ખિયોમાં રહેનારી અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એક વખત ચર્ચામાં આવી છે. ગણપતિ મહોત્સવમાં સામેલ થવા પહોંચેલી ઉર્વશી નારાજ થઈ છે. વાત જાણે એમ છે કે ગણપતિ પંડાલમાં તેને જોતા જ ત્યાં ઉપસ્થિત દર્શનાર્થીઓએ રૂષભ પંતની બુમો પાડવાની શરૂ કરી દીધી હતી. એ વખતે મૌન રહેલી અભિનેત્રીએ બાદમાં સોશિયલ મીડિયા દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું ‘યે સબ બંધ કરો, નહિંતો…’





થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .