ઋષભ પંતના નામથી ઉર્વશી રૌતેલાને કેમ આવ્યો ગુસ્સો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:00:30

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને રૂષભ પંતને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. 2018માં બંને એક સાથે અનેક વખત દેખાતા તેમની વચ્ચે રિલેશનશિપ હોવાની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. ત્યારે ફરી એક વખત ઉર્વશી રૌતેલાના નામને રૂષભ પંત સાથે જોડી દેવાતા ઉર્વશી ગુસ્સે ભરાઈ હતી.       

ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બતાવી નારજગી 

હમેશાં સુર્ખિયોમાં રહેનારી અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એક વખત ચર્ચામાં આવી છે. ગણપતિ મહોત્સવમાં સામેલ થવા પહોંચેલી ઉર્વશી નારાજ થઈ છે. વાત જાણે એમ છે કે ગણપતિ પંડાલમાં તેને જોતા જ ત્યાં ઉપસ્થિત દર્શનાર્થીઓએ રૂષભ પંતની બુમો પાડવાની શરૂ કરી દીધી હતી. એ વખતે મૌન રહેલી અભિનેત્રીએ બાદમાં સોશિયલ મીડિયા દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું ‘યે સબ બંધ કરો, નહિંતો…’





જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.