ઋષભ પંતના નામથી ઉર્વશી રૌતેલાને કેમ આવ્યો ગુસ્સો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:00:30

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને રૂષભ પંતને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. 2018માં બંને એક સાથે અનેક વખત દેખાતા તેમની વચ્ચે રિલેશનશિપ હોવાની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. ત્યારે ફરી એક વખત ઉર્વશી રૌતેલાના નામને રૂષભ પંત સાથે જોડી દેવાતા ઉર્વશી ગુસ્સે ભરાઈ હતી.       

ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બતાવી નારજગી 

હમેશાં સુર્ખિયોમાં રહેનારી અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એક વખત ચર્ચામાં આવી છે. ગણપતિ મહોત્સવમાં સામેલ થવા પહોંચેલી ઉર્વશી નારાજ થઈ છે. વાત જાણે એમ છે કે ગણપતિ પંડાલમાં તેને જોતા જ ત્યાં ઉપસ્થિત દર્શનાર્થીઓએ રૂષભ પંતની બુમો પાડવાની શરૂ કરી દીધી હતી. એ વખતે મૌન રહેલી અભિનેત્રીએ બાદમાં સોશિયલ મીડિયા દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું ‘યે સબ બંધ કરો, નહિંતો…’





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.