TET-TAT ઉમેદવારના આંદોલનને કેમ Yuvrajsinhએ GSRTC, GETCO,TRB જેવા આંદોલનો સાથે સરખાવ્યા? જુઓ વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 13:26:16

જ્ઞાન સહાયકનો વિરોધ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. અલગ અલગ રીતે ઉમેદવારો પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અનેક સમય વિત્યો આંદોલન કરે પરંતુ હજી સુધી ટેટ ટાટ પાસ ઉમેદવારો સફળ નથી થયા. ગુજરાતના ભાવિ શિક્ષકોના સમર્થનમાં અનેક વખત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોસ્ટ કરી છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા. સરકારને અનેક વખત તેમણે  પ્રશ્ન પૂછ્યા પરંતુ આ વખતે તેમણે વિરોધ કરી રહેલા ઉમેદવારોને પ્રશ્ન પૂછ્યા અને આંદોલન સફળ ન થવાના અનેક કારણો પણ જણાવ્યા છે. 

જ્ઞાનસહાયકનો સ્વીકાર એટલે 50 ટકા હાર!

કહેવાય છે કે એકતામાં તાકાત રહેલી છે. જો લોકો સંગઠિત હશે તો પણ મુસીબતનો સામનો થઈ શકશે. પરંતુ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોમાં એકતાની કમી દેખાઈ રહી છે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી છે. યુવરાજસિંહે પોતાના ટ્વિટમાં લખ્યું કે  જ્ઞાનસહાયકનો સ્વીકાર એટલે આંદોલનની 50 ટકા હાર. વધુમાં તેમણે લખ્યું કે ગાંધીજીનું અસહકાર અને બહિષ્કાર આંદોલન યાદ છે? એમાં લોકો એવું નોહતા કહેતા કે અમે વિદેશી વસ્તુ પણ લેશું ને વિરોધ પણ કરીશું. 


અનેક આંદોલનોનો યુવરાજસિંહે કર્યો ઉલ્લેખ 

એવી માહિતી પણ સામે આવી છે કે વિરોધ કરી રહેલા ઉમેદવારોમાંથી અનેક ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે. યુવરાજસિંહે ટ્વિટમાં લખ્યું કે એકતા, સંગઠન, સંકલન વિના જગતની કોઈ લડાઈ જીતી નથી શકાતી. મહત્વનું છે કે જે આંદોલનનો ઉલ્લેખ યુવરાજસિંહે કર્યા તેના સફળ થવા પાછળનું કારણ એકતા હોઈ શકે છે.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.