TET-TAT ઉમેદવારના આંદોલનને કેમ Yuvrajsinhએ GSRTC, GETCO,TRB જેવા આંદોલનો સાથે સરખાવ્યા? જુઓ વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 13:26:16

જ્ઞાન સહાયકનો વિરોધ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. અલગ અલગ રીતે ઉમેદવારો પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અનેક સમય વિત્યો આંદોલન કરે પરંતુ હજી સુધી ટેટ ટાટ પાસ ઉમેદવારો સફળ નથી થયા. ગુજરાતના ભાવિ શિક્ષકોના સમર્થનમાં અનેક વખત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોસ્ટ કરી છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા. સરકારને અનેક વખત તેમણે  પ્રશ્ન પૂછ્યા પરંતુ આ વખતે તેમણે વિરોધ કરી રહેલા ઉમેદવારોને પ્રશ્ન પૂછ્યા અને આંદોલન સફળ ન થવાના અનેક કારણો પણ જણાવ્યા છે. 

જ્ઞાનસહાયકનો સ્વીકાર એટલે 50 ટકા હાર!

કહેવાય છે કે એકતામાં તાકાત રહેલી છે. જો લોકો સંગઠિત હશે તો પણ મુસીબતનો સામનો થઈ શકશે. પરંતુ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોમાં એકતાની કમી દેખાઈ રહી છે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી છે. યુવરાજસિંહે પોતાના ટ્વિટમાં લખ્યું કે  જ્ઞાનસહાયકનો સ્વીકાર એટલે આંદોલનની 50 ટકા હાર. વધુમાં તેમણે લખ્યું કે ગાંધીજીનું અસહકાર અને બહિષ્કાર આંદોલન યાદ છે? એમાં લોકો એવું નોહતા કહેતા કે અમે વિદેશી વસ્તુ પણ લેશું ને વિરોધ પણ કરીશું. 


અનેક આંદોલનોનો યુવરાજસિંહે કર્યો ઉલ્લેખ 

એવી માહિતી પણ સામે આવી છે કે વિરોધ કરી રહેલા ઉમેદવારોમાંથી અનેક ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે. યુવરાજસિંહે ટ્વિટમાં લખ્યું કે એકતા, સંગઠન, સંકલન વિના જગતની કોઈ લડાઈ જીતી નથી શકાતી. મહત્વનું છે કે જે આંદોલનનો ઉલ્લેખ યુવરાજસિંહે કર્યા તેના સફળ થવા પાછળનું કારણ એકતા હોઈ શકે છે.  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .