TET-TAT ઉમેદવારના આંદોલનને કેમ Yuvrajsinhએ GSRTC, GETCO,TRB જેવા આંદોલનો સાથે સરખાવ્યા? જુઓ વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 13:26:16

જ્ઞાન સહાયકનો વિરોધ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. અલગ અલગ રીતે ઉમેદવારો પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અનેક સમય વિત્યો આંદોલન કરે પરંતુ હજી સુધી ટેટ ટાટ પાસ ઉમેદવારો સફળ નથી થયા. ગુજરાતના ભાવિ શિક્ષકોના સમર્થનમાં અનેક વખત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોસ્ટ કરી છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા. સરકારને અનેક વખત તેમણે  પ્રશ્ન પૂછ્યા પરંતુ આ વખતે તેમણે વિરોધ કરી રહેલા ઉમેદવારોને પ્રશ્ન પૂછ્યા અને આંદોલન સફળ ન થવાના અનેક કારણો પણ જણાવ્યા છે. 

જ્ઞાનસહાયકનો સ્વીકાર એટલે 50 ટકા હાર!

કહેવાય છે કે એકતામાં તાકાત રહેલી છે. જો લોકો સંગઠિત હશે તો પણ મુસીબતનો સામનો થઈ શકશે. પરંતુ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોમાં એકતાની કમી દેખાઈ રહી છે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી છે. યુવરાજસિંહે પોતાના ટ્વિટમાં લખ્યું કે  જ્ઞાનસહાયકનો સ્વીકાર એટલે આંદોલનની 50 ટકા હાર. વધુમાં તેમણે લખ્યું કે ગાંધીજીનું અસહકાર અને બહિષ્કાર આંદોલન યાદ છે? એમાં લોકો એવું નોહતા કહેતા કે અમે વિદેશી વસ્તુ પણ લેશું ને વિરોધ પણ કરીશું. 


અનેક આંદોલનોનો યુવરાજસિંહે કર્યો ઉલ્લેખ 

એવી માહિતી પણ સામે આવી છે કે વિરોધ કરી રહેલા ઉમેદવારોમાંથી અનેક ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે. યુવરાજસિંહે ટ્વિટમાં લખ્યું કે એકતા, સંગઠન, સંકલન વિના જગતની કોઈ લડાઈ જીતી નથી શકાતી. મહત્વનું છે કે જે આંદોલનનો ઉલ્લેખ યુવરાજસિંહે કર્યા તેના સફળ થવા પાછળનું કારણ એકતા હોઈ શકે છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.