ચહેરા પર ખીલ કે ડાઘ કેમ થાય છે? આ કરવાથી પિમ્પલને કહો બાય-બાય | Chhe ne Jordar Vaat


  • Published By :
  • Published Date : 2023-05-26 18:19:05

સ્ટોરી- Samir Parmar 

Chhe ne Jordar Vaat 

રાત્રે તમે મસ્ત રીતે મોં ધોઈને સૂઈ ગયા. એક સરસ મજાની ઉંઘ લીધી અને સવારે ઉઠ્યાં. ઉઠીને અરીસામાં તમારું મોઢું જોઈને તમે ચોંકી જાવ છો, કારણ કે તમારા મોઢા પર હોય છે નાનું એવું ખીલ. પણ શું તમને ખબર છે કે આ ખીલ કેમ થાય છે? જુવાન છોકરા છોકરીઓને તો ખીલથી મોઢું ભરાઈ જાય એવું કેમ થાય છે ચાલો વિગતવાર સમજીએ. 


મહિલાઓને એક વસ્તુથી ખૂબ ચીડ હોય છે, જેનું નામ છે પિમ્પલ. પણ આ વસ્તુ પર તેમની ઈચ્છા નથી ચાલતી. તે ઈચ્છે કે ના ઈચ્છે તેમના મોઢા પર ખીલ થઈ જ જાય છે. જો કે માત્ર એવું નથી કે છોકરીઓને જ આ તકલીફ થાય હોય, છોકરાઓને પણ અમુક ઉંમરે ખીલ થતા હોય છે. આ ખીલ મટાડવા માટે તે અનેક પ્રકારની દવા કરે, ઘરગથ્થુ ઉપચાર કરે તો પણ આ તકલીફ દૂર નથી થતી. પણ આજે આ ખીલ કે ડાઘા વિશે વિસ્તારથી વાત કરીશું કે કેમ થાય છે? ખીલ થવા પાછળ કારણ શું હોય છે? ઉપચાર શું હોય? ખીલ એટલે ત્વચાની એવી પરિસ્થિતિ જ્યારે તેલ અને મરેલી ચામડી એક છીદ્રમાં ભરાઈ જાય. એવું નથી હોતું કે ખીલ મોઢા પર જ થાય છે. ખીલ ગરદન, પીઠ, છાતી અને ખભા પર પણ થઈ શકે છે. જ્યારે યુવાની ચાલતી હોય ત્યારે હાર્મોનલ બદલાવોના લીધે યુવાનોને આ તકલીફ વધારે થતી હોય. જો કે એવું પણ જરૂરી નથી કે ખાલી યુવાન છોકરો કે છોકરી જ આ તકલીફથી પરેશાન હોય. એક વાત સમજી લેવી જોઈએ કે ખીલ ગમે તે ઉંમરે થઈ શકે છે, પણ યુવાન હોઈએ ત્યારે કંઈક વધારે જ આ તકલીફ જોવા મળે છે. 

Worried About Acne? 10 Best Face Wash for Pimples to Help You Get the  Beautiful Complexion

ખીલ કેમ થાય છે? 

માણસની ચામડીમાં છીદ્રો હોય છે જે નરી આંખે નથી જોઈ શકાતા. જો આ છીદ્રો જોવા હોય તો પેલું સુક્ષ્મદર્શક યંત્ર લઈને જોવું પડે. આ ત્વચા નીચે સિબેસીય ગ્લેન્ડ આવેલી હોય. સિબેસિયસ ગ્લેન્ડ એટલે તેમાંથી તેલ નીકળે. કાનમાં નાકમાં અને ચામડીમાં પણ આ ગ્રંથી જોવા મળે છે. ત્વચા પર કચરો જમા થાય, મૃત ચામડીમાં ભળે અને સીબેસિયસ ગ્લાન્ડથી નિકળેલું તેમ આમાં જમા થઈ જાય છે ત્યારે પીમ્પલ્સ થાય છે. બેક્ટેરિયાના કારણે આ પીમ્પલ્સમાં ચેપ લાગી જાય છે. ધૂળ અને માટી પણ જવાબદાર છે કારણ કે જે લોકો મોઢું નથી ધોતા તેના મોઢા પર ગંદગી જામી જવાથી ખીલ થવાની શક્યતા રહે છે. હાર્મોનલ કારણની વાત કરીએ તો જુવાનીના સમયમાં મહિલામાં ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હાર્મોન અતિ પ્રમાણમાં બને છે. છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોન અતિ પ્રમાણમાં બને છે. પણ ખીલ માટે એન્ડ્રોજન હાર્મોનમાં વધારો થવો જવાબદાર હોય છે તેવું સાબીત થયું છે.

Why You Have Male Acne in Your 20s: How to Fix It | Tiege Hanley

સૌથી પહેલા ડોક્ટરને મળો

ખીલ માટે ઉપચાર કરવો હોય તો સૌથી પહેલો ઉપાય છે ડોક્ટર(ડર્મેટોલોજિસ્ટ) સંપર્ક કરો. તેમની પાસે નિદાન કરાવો. ત્યારબાદ ડોક્ટર જે દવા આપે એ દવાને નિયમિત લેતા રહેવાનું. અમુકવાર લોકો રેટિનોઈડ્સ અને રેટિનોઈડ જેવી દવા પણ લેતા હોય છે જે ક્રિમ, જેલ કે લોશનના રુપે રાતે ચહેરા પર લગાવી શકાય છે. આ સિવાય ડોક્ટર ત્વચાની તકલીફ મુજબ એંટી બાયોટિક્સ, સેલિસિકલ એસિડ, એલેજિક એસિડ, ડેપસન, બેંજોઈલ પેરોક્સાઈડ વગેરે દવા તરીકે આપતા હોય છે. 

Why Pimples Pop Up in the Same Spot | LovelySkin™

શું ધ્યાન રાખવું?

આપણે પણ આપણી રીતે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે. દિવસમાં બે વાર માઈલ્ડ ક્લિન્ઝરનો ઉપયોગ કરવો જોઈએ, તેલવાળો ખોરાક નહીં ખાવાનો, બને એટલું પાણી વધારે પીવાનું, કૉફી ઓછી પીવાની, સૂતા પહેલાં મહિલાઓએ મેકઅપ હટાવી દેવો, ખીલ ફોડવા ન જોઈએ, સનસ્ક્રીન, કંસીલર વગેરે ન લગાડવું જોઈએ. ખીલના ભાગમાં બહુ અડ-અડ પણ ન કરવું જોઈએ. જો આવું કરીએ તો ચપ થવાનો ચાન્સ રહે છે. 

Ayurvedic Treatment for Pimple and Acne: Everything You Need to Know!

અમુક ઘરેલું ઉપચાર પણ કરી શકાય!

જો તમને ખીલ થાય તો તમે ઘરે પણ આનો ઈલાજ કરી શકો છો. સફરજનનું સિરકા ખીલવાળા ભાગ પર લગાવવું જોઈએ કારણ કે તે બેક્ટેરિયા સામે લડે છે. જોજોબાનું તેલ ચામડીના બાંધકામમાં કામ કરે છે. ખીલ ના ડાઘને ભરવામાં મદદ કરે છે. ચહેરા પર મધને પણ લગાવી શકાય કારણ કે મધ એન્ટીઓક્સિડેન્ટ હોય છે, મધ ચહેરાની ગંદગીને પણ દૂર કરે છે. સૌથી રામબાણ ઈલાજ એલોવેરા છે જેને આપણે કુંવારપાઠું કહીએ છીએ. તે શરીરને તાજું કરી દે છે. આ સીવાય ગ્રીન ટી અને નારિયલના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે.



પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે ભાવનગરમાં નિમુબેનના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરવા પહોંચ્યા હતા. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી વિરોધ દર્શાવ્યો હતો.

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. 26 બેઠકોમાંથી અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. અલગ અલગ લોકસભા બેઠકોના સમીકરણો આપણે જાણ્યા ત્યારે આજે બીજી બે બેઠકોના સમીકરણો જાણીશું... એક બેઠક છે નવસારી લોકસભા બેઠક અને બીજી બેઠક છે રાજકોટ લોકસભા બેઠક....

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ બધા વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂપાલાએ નામાંકન દાખલ કરાવ્યું છે. આ બધા વચ્ચે શક્તિસિંહ ગોહિલની એક પ્રતિક્રિયા સામે આવી છે.

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે આવનાર દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે...