શા માટે રાજ્યના મુખ્યમંત્રી રથના પ્રસ્થાન પહેલા કરે છે પહિંદ વિધી? જાણો શું છે તેનું મહત્વ?


  • Published By :
  • Published Date : 2023-06-20 10:00:41

ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળે તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધી કરવામાં આવી. સામાન્ય વ્યક્તિની જેમ નગરનો રાજા રથની આસપાસની જગ્યાની સાફ સફાઈ કરે જે રસ્તેથી રથ પસાર થવાનો હોય તે રસ્તાને શુદ્ધ કરવાની વિધીને પહિંદ વિધી કહેવામાં આવે છે. પહેલાના સમયમાં આ હક રાજાને મળતો હતો પરંતુ હવે આ હક્ક રાજ્યના મુખ્યમંત્રીને આપવામાં આવે છે કારણ કે તેમને રાજ્યના રાજા માનવામાં આવે છે. 


સોનાની સાવરણીથી રસ્તો કરાય છે સાફ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્તાન થઈ ચૂક્યું છે. પોતાના રથ પર સવાર થઈ ભક્તોને આશીર્વાદ આપવા ભગવાન નગરયાત્રાએ નીકળ્યા છે. બહેન સુભદ્રા પોતાના બે ભાઈઓ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. સીએમ દ્વારા પહિંદ વિધી કરવામાં આવી અને તે બાદ રથયાત્રાનો પ્રારંભ થયો. લોકવાયકા અનુસાર સામાન્ય માણસની જેમ રથયાત્રાના પ્રારંભ પહેલા રાજા સોનાની સાવરણીથી ભગવાન માટે રથયાત્રાનો રસ્તો સાફ કરે છે. 


રથયાત્રાના પ્રસ્તાન વખતે મુખ્યમંત્રી પણ ખેંચે છે દોરડું

પહેલાના સમયમાં રાજા પહિંદ વિધી કરતા હતા પરંતુ હવે રાજ્યના મુખ્યમંત્રી આ વિધી કરે છે. રાજ્યના મુખ્યમંત્રી ખલાસીઓ સાથે રથનું દોરડું ખેંચે છે અને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. સાફો પહેરી રાજ્યના વડા હોવાને નાતે મુખ્યમંત્રી પહિંદ વિધી કરે છે. મહત્વનું છે અમદાવાદમાં 1990થી પહિંદ વિધી થયા છે. સૌથી વધારે પહિંદ વિધી કરનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. તે સિવાય કેશુભાઈ પટેલ,શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી તેમજ ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરવાનો લ્હાવો લીધો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.