શા માટે રાજ્યના મુખ્યમંત્રી રથના પ્રસ્થાન પહેલા કરે છે પહિંદ વિધી? જાણો શું છે તેનું મહત્વ?


  • Published By :
  • Published Date : 2023-06-20 10:00:41

ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળે તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધી કરવામાં આવી. સામાન્ય વ્યક્તિની જેમ નગરનો રાજા રથની આસપાસની જગ્યાની સાફ સફાઈ કરે જે રસ્તેથી રથ પસાર થવાનો હોય તે રસ્તાને શુદ્ધ કરવાની વિધીને પહિંદ વિધી કહેવામાં આવે છે. પહેલાના સમયમાં આ હક રાજાને મળતો હતો પરંતુ હવે આ હક્ક રાજ્યના મુખ્યમંત્રીને આપવામાં આવે છે કારણ કે તેમને રાજ્યના રાજા માનવામાં આવે છે. 


સોનાની સાવરણીથી રસ્તો કરાય છે સાફ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્તાન થઈ ચૂક્યું છે. પોતાના રથ પર સવાર થઈ ભક્તોને આશીર્વાદ આપવા ભગવાન નગરયાત્રાએ નીકળ્યા છે. બહેન સુભદ્રા પોતાના બે ભાઈઓ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. સીએમ દ્વારા પહિંદ વિધી કરવામાં આવી અને તે બાદ રથયાત્રાનો પ્રારંભ થયો. લોકવાયકા અનુસાર સામાન્ય માણસની જેમ રથયાત્રાના પ્રારંભ પહેલા રાજા સોનાની સાવરણીથી ભગવાન માટે રથયાત્રાનો રસ્તો સાફ કરે છે. 


રથયાત્રાના પ્રસ્તાન વખતે મુખ્યમંત્રી પણ ખેંચે છે દોરડું

પહેલાના સમયમાં રાજા પહિંદ વિધી કરતા હતા પરંતુ હવે રાજ્યના મુખ્યમંત્રી આ વિધી કરે છે. રાજ્યના મુખ્યમંત્રી ખલાસીઓ સાથે રથનું દોરડું ખેંચે છે અને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. સાફો પહેરી રાજ્યના વડા હોવાને નાતે મુખ્યમંત્રી પહિંદ વિધી કરે છે. મહત્વનું છે અમદાવાદમાં 1990થી પહિંદ વિધી થયા છે. સૌથી વધારે પહિંદ વિધી કરનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. તે સિવાય કેશુભાઈ પટેલ,શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી તેમજ ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરવાનો લ્હાવો લીધો છે. 



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?