શા માટે રાજ્યના મુખ્યમંત્રી રથના પ્રસ્થાન પહેલા કરે છે પહિંદ વિધી? જાણો શું છે તેનું મહત્વ?


  • Published By :
  • Published Date : 2023-06-20 10:00:41

ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળે તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધી કરવામાં આવી. સામાન્ય વ્યક્તિની જેમ નગરનો રાજા રથની આસપાસની જગ્યાની સાફ સફાઈ કરે જે રસ્તેથી રથ પસાર થવાનો હોય તે રસ્તાને શુદ્ધ કરવાની વિધીને પહિંદ વિધી કહેવામાં આવે છે. પહેલાના સમયમાં આ હક રાજાને મળતો હતો પરંતુ હવે આ હક્ક રાજ્યના મુખ્યમંત્રીને આપવામાં આવે છે કારણ કે તેમને રાજ્યના રાજા માનવામાં આવે છે. 


સોનાની સાવરણીથી રસ્તો કરાય છે સાફ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્તાન થઈ ચૂક્યું છે. પોતાના રથ પર સવાર થઈ ભક્તોને આશીર્વાદ આપવા ભગવાન નગરયાત્રાએ નીકળ્યા છે. બહેન સુભદ્રા પોતાના બે ભાઈઓ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. સીએમ દ્વારા પહિંદ વિધી કરવામાં આવી અને તે બાદ રથયાત્રાનો પ્રારંભ થયો. લોકવાયકા અનુસાર સામાન્ય માણસની જેમ રથયાત્રાના પ્રારંભ પહેલા રાજા સોનાની સાવરણીથી ભગવાન માટે રથયાત્રાનો રસ્તો સાફ કરે છે. 


રથયાત્રાના પ્રસ્તાન વખતે મુખ્યમંત્રી પણ ખેંચે છે દોરડું

પહેલાના સમયમાં રાજા પહિંદ વિધી કરતા હતા પરંતુ હવે રાજ્યના મુખ્યમંત્રી આ વિધી કરે છે. રાજ્યના મુખ્યમંત્રી ખલાસીઓ સાથે રથનું દોરડું ખેંચે છે અને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. સાફો પહેરી રાજ્યના વડા હોવાને નાતે મુખ્યમંત્રી પહિંદ વિધી કરે છે. મહત્વનું છે અમદાવાદમાં 1990થી પહિંદ વિધી થયા છે. સૌથી વધારે પહિંદ વિધી કરનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. તે સિવાય કેશુભાઈ પટેલ,શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી તેમજ ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરવાનો લ્હાવો લીધો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.