લોકો માટે કેમ બાબા બાગેશ્વર હનુમાનજીના સ્વરૂપ છે?, અમદાવાદમાં આવેલા બાબાના ભક્તોએ જે વાતો કરી એ જોરદાર છે!


  • Published By :
  • Published Date : 2023-05-27 13:11:57

અત્યારે દેશમાં જો કોઈ નામની સૌથી વધુ ચર્ચા હોય તો એ છે ધીરેન્દ્ર શાસ્ત્રી (બાબા બાગેશ્વર). બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અને તેના વિશે  આપણે બધાએ વાતો તો સાંભળી છે પણ ગુજરાતના લોકો પણ હવે તે દરબારમાં જઈ શકશે કારણકે આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે.ત્યારે ગઈ કાલે એટલે 25 મે ના રોજ અમદાવાદના વટવામાં દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથા ચાલી રહી ત્યાં હાજરી આપી હતી હજારો ભક્તો તેમને જોવા માટે રામકથા મેદાન પહોંચી ગયા હતા. 



"બાબા બાગેશ્વર હનુમાનજીના રૂપ છે!"

અમે બાબા બાગેશ્વર સાથે વાત કરવા માટે ગયા ત્યારે બાબા તો ના મળ્યા પણ તેમના ઘણા ભક્તો મળ્યા. એક 14 વર્ષના છોકરા સાથે અમે જ્યારે વાત કરી ત્યારે તેણે એવી વાતો કરી કે અમે ચોંકી ગયા અમે તેને પૂછ્યું કે "તને કેમ બાબા બાગેશ્વર પર વિશ્વાસ છે?"તો તેણે જવાબ આપતા કહ્યું કે "હું એક બે મહિનાથી બાબાને જોવું છું મારા મમ્મીને પણ બાબા પર બહુ આશા છે તમે પણ જો બાબા બાગેશ્વરને જોશો તો ખબર પડશે કે તે હનુમાનના રૂપ છે તે હનુમાનજીની જેમ જ બધુ કરે છે અને એ જે બોલે છે તે સત્ય હોય છે" ત્યારે બીજા લોકો પણ સમર્થનમાં આવી ને જે શ્રી રામના નારા લગાવવા લાગ્યા!




હિન્દુ રાષ્ટ્ર બનાવી દેવામાં આવે તો દેશની તમામ તકલીફો દૂર થઈ જશે?

રાજસ્થાનથી આવેલ એક બેનએ પણ બાબાના સમર્થનમાં કહ્યું કે "એ ઢોંગી નથી બીજા લોકો તેમની ઈર્ષા કરે છે એટલે એવું બધુ બોલે છે""એ સાક્ષાત હનુમાનજીનો અવતાર છે તે જે પરચો કાઢે તે સાચો જ નિકળે છે અને તે સનાતન ધર્મ માટે જે કહી રહ્યા છે તે જરૂરી છે બેન તમે કેરલા સ્ટોરી જોઈ જ છે ને આપણી હિન્દુ છોકરીયો કેવું થાય છે?" અમારો માત્ર એક સવાલ હતો કે જો હિન્દુ રાષ્ટ્ર બનાવી દેવામાં આવે તો દેશની તમામ તકલીફો દૂર થઈ જશે ત્યારે કોઈ પાસે જવાબ ના હતો. 




બાબા બાગેશ્વર કેટલા દિવસ ગુજરાતમાં રહેશે?

અમદાવાદમાં આવેલા ભક્તો મોટા ભાગના લોકો UP બિહાર એન રાજસ્થાનથી હતા પણ ગુજરાતમાં જેટલા દરબાર થવાના ત્યાં લોકો અરજી લાગવવા જવા તૈયાર છે બાબાનો કાર્યક્રમ જોઈએ તો 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. સેક્ટર-6ના મેદાનમાં સાંજે 5 વાગ્યાથી મોડી રાત સુધી શ્રદ્ધાળુંઓ બાબા બાગેશ્વર સાથે સંવાદ કરી શકશે. અમદાવાદ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ જશે.1 જૂન અને 2 જૂનના રોજ બે દિવસ માટે રાજકોટમાં કાર્યક્રમ યોજાવાનો છે. રાજકોટના જાણીતા રેષકોર્સ ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર ભરાશે. રાજકોટમાં દોઢ લાખ લોકોની વીમો પણ લેવાયો છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ બાદ 3 જૂનના રોજ વડોદરામાં બાબા બાગેશ્વરનો દરબાર જામશે. અહીં નવલખી ગ્રાઉન્ડમાં દરબારનું આયોજન કરાયું છે.




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.