લોકો માટે કેમ બાબા બાગેશ્વર હનુમાનજીના સ્વરૂપ છે?, અમદાવાદમાં આવેલા બાબાના ભક્તોએ જે વાતો કરી એ જોરદાર છે!


  • Published By :
  • Published Date : 2023-05-27 13:11:57

અત્યારે દેશમાં જો કોઈ નામની સૌથી વધુ ચર્ચા હોય તો એ છે ધીરેન્દ્ર શાસ્ત્રી (બાબા બાગેશ્વર). બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અને તેના વિશે  આપણે બધાએ વાતો તો સાંભળી છે પણ ગુજરાતના લોકો પણ હવે તે દરબારમાં જઈ શકશે કારણકે આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે.ત્યારે ગઈ કાલે એટલે 25 મે ના રોજ અમદાવાદના વટવામાં દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથા ચાલી રહી ત્યાં હાજરી આપી હતી હજારો ભક્તો તેમને જોવા માટે રામકથા મેદાન પહોંચી ગયા હતા. 



"બાબા બાગેશ્વર હનુમાનજીના રૂપ છે!"

અમે બાબા બાગેશ્વર સાથે વાત કરવા માટે ગયા ત્યારે બાબા તો ના મળ્યા પણ તેમના ઘણા ભક્તો મળ્યા. એક 14 વર્ષના છોકરા સાથે અમે જ્યારે વાત કરી ત્યારે તેણે એવી વાતો કરી કે અમે ચોંકી ગયા અમે તેને પૂછ્યું કે "તને કેમ બાબા બાગેશ્વર પર વિશ્વાસ છે?"તો તેણે જવાબ આપતા કહ્યું કે "હું એક બે મહિનાથી બાબાને જોવું છું મારા મમ્મીને પણ બાબા પર બહુ આશા છે તમે પણ જો બાબા બાગેશ્વરને જોશો તો ખબર પડશે કે તે હનુમાનના રૂપ છે તે હનુમાનજીની જેમ જ બધુ કરે છે અને એ જે બોલે છે તે સત્ય હોય છે" ત્યારે બીજા લોકો પણ સમર્થનમાં આવી ને જે શ્રી રામના નારા લગાવવા લાગ્યા!




હિન્દુ રાષ્ટ્ર બનાવી દેવામાં આવે તો દેશની તમામ તકલીફો દૂર થઈ જશે?

રાજસ્થાનથી આવેલ એક બેનએ પણ બાબાના સમર્થનમાં કહ્યું કે "એ ઢોંગી નથી બીજા લોકો તેમની ઈર્ષા કરે છે એટલે એવું બધુ બોલે છે""એ સાક્ષાત હનુમાનજીનો અવતાર છે તે જે પરચો કાઢે તે સાચો જ નિકળે છે અને તે સનાતન ધર્મ માટે જે કહી રહ્યા છે તે જરૂરી છે બેન તમે કેરલા સ્ટોરી જોઈ જ છે ને આપણી હિન્દુ છોકરીયો કેવું થાય છે?" અમારો માત્ર એક સવાલ હતો કે જો હિન્દુ રાષ્ટ્ર બનાવી દેવામાં આવે તો દેશની તમામ તકલીફો દૂર થઈ જશે ત્યારે કોઈ પાસે જવાબ ના હતો. 




બાબા બાગેશ્વર કેટલા દિવસ ગુજરાતમાં રહેશે?

અમદાવાદમાં આવેલા ભક્તો મોટા ભાગના લોકો UP બિહાર એન રાજસ્થાનથી હતા પણ ગુજરાતમાં જેટલા દરબાર થવાના ત્યાં લોકો અરજી લાગવવા જવા તૈયાર છે બાબાનો કાર્યક્રમ જોઈએ તો 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. સેક્ટર-6ના મેદાનમાં સાંજે 5 વાગ્યાથી મોડી રાત સુધી શ્રદ્ધાળુંઓ બાબા બાગેશ્વર સાથે સંવાદ કરી શકશે. અમદાવાદ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ જશે.1 જૂન અને 2 જૂનના રોજ બે દિવસ માટે રાજકોટમાં કાર્યક્રમ યોજાવાનો છે. રાજકોટના જાણીતા રેષકોર્સ ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર ભરાશે. રાજકોટમાં દોઢ લાખ લોકોની વીમો પણ લેવાયો છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ બાદ 3 જૂનના રોજ વડોદરામાં બાબા બાગેશ્વરનો દરબાર જામશે. અહીં નવલખી ગ્રાઉન્ડમાં દરબારનું આયોજન કરાયું છે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .