લોકો માટે કેમ બાબા બાગેશ્વર હનુમાનજીના સ્વરૂપ છે?, અમદાવાદમાં આવેલા બાબાના ભક્તોએ જે વાતો કરી એ જોરદાર છે!


  • Published By :
  • Published Date : 2023-05-27 13:11:57

અત્યારે દેશમાં જો કોઈ નામની સૌથી વધુ ચર્ચા હોય તો એ છે ધીરેન્દ્ર શાસ્ત્રી (બાબા બાગેશ્વર). બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અને તેના વિશે  આપણે બધાએ વાતો તો સાંભળી છે પણ ગુજરાતના લોકો પણ હવે તે દરબારમાં જઈ શકશે કારણકે આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે.ત્યારે ગઈ કાલે એટલે 25 મે ના રોજ અમદાવાદના વટવામાં દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથા ચાલી રહી ત્યાં હાજરી આપી હતી હજારો ભક્તો તેમને જોવા માટે રામકથા મેદાન પહોંચી ગયા હતા. 



"બાબા બાગેશ્વર હનુમાનજીના રૂપ છે!"

અમે બાબા બાગેશ્વર સાથે વાત કરવા માટે ગયા ત્યારે બાબા તો ના મળ્યા પણ તેમના ઘણા ભક્તો મળ્યા. એક 14 વર્ષના છોકરા સાથે અમે જ્યારે વાત કરી ત્યારે તેણે એવી વાતો કરી કે અમે ચોંકી ગયા અમે તેને પૂછ્યું કે "તને કેમ બાબા બાગેશ્વર પર વિશ્વાસ છે?"તો તેણે જવાબ આપતા કહ્યું કે "હું એક બે મહિનાથી બાબાને જોવું છું મારા મમ્મીને પણ બાબા પર બહુ આશા છે તમે પણ જો બાબા બાગેશ્વરને જોશો તો ખબર પડશે કે તે હનુમાનના રૂપ છે તે હનુમાનજીની જેમ જ બધુ કરે છે અને એ જે બોલે છે તે સત્ય હોય છે" ત્યારે બીજા લોકો પણ સમર્થનમાં આવી ને જે શ્રી રામના નારા લગાવવા લાગ્યા!




હિન્દુ રાષ્ટ્ર બનાવી દેવામાં આવે તો દેશની તમામ તકલીફો દૂર થઈ જશે?

રાજસ્થાનથી આવેલ એક બેનએ પણ બાબાના સમર્થનમાં કહ્યું કે "એ ઢોંગી નથી બીજા લોકો તેમની ઈર્ષા કરે છે એટલે એવું બધુ બોલે છે""એ સાક્ષાત હનુમાનજીનો અવતાર છે તે જે પરચો કાઢે તે સાચો જ નિકળે છે અને તે સનાતન ધર્મ માટે જે કહી રહ્યા છે તે જરૂરી છે બેન તમે કેરલા સ્ટોરી જોઈ જ છે ને આપણી હિન્દુ છોકરીયો કેવું થાય છે?" અમારો માત્ર એક સવાલ હતો કે જો હિન્દુ રાષ્ટ્ર બનાવી દેવામાં આવે તો દેશની તમામ તકલીફો દૂર થઈ જશે ત્યારે કોઈ પાસે જવાબ ના હતો. 




બાબા બાગેશ્વર કેટલા દિવસ ગુજરાતમાં રહેશે?

અમદાવાદમાં આવેલા ભક્તો મોટા ભાગના લોકો UP બિહાર એન રાજસ્થાનથી હતા પણ ગુજરાતમાં જેટલા દરબાર થવાના ત્યાં લોકો અરજી લાગવવા જવા તૈયાર છે બાબાનો કાર્યક્રમ જોઈએ તો 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. સેક્ટર-6ના મેદાનમાં સાંજે 5 વાગ્યાથી મોડી રાત સુધી શ્રદ્ધાળુંઓ બાબા બાગેશ્વર સાથે સંવાદ કરી શકશે. અમદાવાદ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ જશે.1 જૂન અને 2 જૂનના રોજ બે દિવસ માટે રાજકોટમાં કાર્યક્રમ યોજાવાનો છે. રાજકોટના જાણીતા રેષકોર્સ ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર ભરાશે. રાજકોટમાં દોઢ લાખ લોકોની વીમો પણ લેવાયો છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ બાદ 3 જૂનના રોજ વડોદરામાં બાબા બાગેશ્વરનો દરબાર જામશે. અહીં નવલખી ગ્રાઉન્ડમાં દરબારનું આયોજન કરાયું છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.