Navratriના બીજા દિવસે કરાય છે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીને પ્રસન્ન કરવા કયા મંત્રનો કરવો જોઈએ જપ?


  • Published By :
  • Published Date : 2023-10-16 09:16:40

ગઈકાલથી આસો નવરાત્રી એટલે કે શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. માતાજીના નવલા નોરતાનો આજે બીજો દિવસ. નવરાત્રી એટલે નવ દુર્ગાની આરાધના કરવાનો પર્વ. નવરાત્રીના બીજા દિવસે નવ દુર્ગાના બીજા સ્વરૂપ એવા માતા બ્રહ્મચારિણી માતાની આરાધના કરવામાં આવે છે.  શ્વેત વસ્ત્રો ધારણ કરનારા બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે. બ્રહ્માચારિણીનો અર્થ સમજીએ તો બ્રહ્મનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. એટલે જેમણે તપસ્યાનું આચરણ કર્યું છે તે બ્રહ્મચારિણી છે. માતા બ્રહ્મચારિણીના સ્વરૂપની વાત કરીએ તો માતા એક હાથમાં કમંડળ ધારણ કરે છે અને બીજા હાથમાં માળા ધારણ કરે છે. માતાજીની આરાધના કરવાથી સંયમ, ત્યાગ અને સદાચારની પ્રાપ્તિ થાય છે. 


Navratri પહેલા જાણો માતાજીને કોણે આપ્યા વિવિધ અસ્ત્ર-શસ્ત્ર, શા માટે થઈ હતી  માતાજીની ઉત્પત્તિ?

માતાજી શા માટે કહેવાય છે માતા બ્રહ્મચારિણી? 

શંકર ભગવાનને પતિ તરીકે પામવા માટે માતાજી તપ કરે તેવી વાત નારદજીએ માતાજીને કરી હતી. નારદજીના આ વચન સાંભળી માતાજીએ શંકર ભગવાનને પામવા માટે હજારો વર્ષો સુધી તપ કર્યું. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતાજીને હજારો વર્ષ સુધી ફળ ખાઈને તપસ્યા કરી. થોડા વર્ષો બાદ માતાજીએ માત્ર સુકાયેલા બિલિપત્ર ખાઈને તપસ્યા કરી. એવું માનવામાં આવે છે કે તપ કરવાને કારણે માતાજી બ્રહ્મચારિણી માતા કહેવાયા. તપ કરવાને કારણે માતાજી બ્રહ્મચારિણી માતા કહેવાયા એવું માનવામાં આવે છે.  


કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની ઉપાસના?


નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળોની પ્રાપ્તિ થાય છે તેવો ઉલ્લેખ આપણને શાસ્ત્રમાં મળે છે. નવરાત્રી દરમિયાન જો સાચા મનથી માતાજીની ભક્તિ કરવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે. અલગ અલગ માતાજીના અલગ અલગ મંત્રો આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે. માતા બ્રહ્મચારિણી માતાજીના મંત્રની વાત કરીએ તો સાધક दधाना कपाभ्यामक्षमालाकमण्डलू। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।  મંત્રનો જાપ કરી શકે છે. માતાજીની પૂજા દરમિયાન આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો આ મંત્રનો જાપ ન થાય તો એં હ્રીં ક્લીં બ્રહ્મચારિણ્યૈ નમ: નો જાપ કરવો જોઈએ. મા બ્રહ્મચારિણી જ્ઞાન અને તપની દેવી છે. જે ભક્ત માના આ સ્વરૂપની પૂજા કરે છે તેને દરેખ ક્ષેત્રમાં વિજય તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઉપરાંત તપ, વૈરાગ્ય, સંયમ તેમજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 


બીજા દિવસે નૈવેદ્યમાં શું કરવું જોઈએ અર્પણ?

હિંદુ ધર્મમાં નૈવેદ્યાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. પ્રસાદને પ્રભુના સાક્ષાત દર્શન પણ કહેવામાં આવે છે. નવરાત્રી દરમિયાન અલગ અલગ ભોગ અલગ અલગ નૈવેદ્ય માતાજી સમક્ષ ધરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવસ પ્રમાણે નૈવેદ્યા અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. બીજા દિવસે માતાજીને સાકારનો નૈવેદ્ય ધરાવવો જોઈએ. સાકર અર્પણ કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.   

   



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.