Navratriના બીજા દિવસે કરાય છે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીને પ્રસન્ન કરવા કયા મંત્રનો કરવો જોઈએ જપ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-16 09:16:40

ગઈકાલથી આસો નવરાત્રી એટલે કે શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. માતાજીના નવલા નોરતાનો આજે બીજો દિવસ. નવરાત્રી એટલે નવ દુર્ગાની આરાધના કરવાનો પર્વ. નવરાત્રીના બીજા દિવસે નવ દુર્ગાના બીજા સ્વરૂપ એવા માતા બ્રહ્મચારિણી માતાની આરાધના કરવામાં આવે છે.  શ્વેત વસ્ત્રો ધારણ કરનારા બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે. બ્રહ્માચારિણીનો અર્થ સમજીએ તો બ્રહ્મનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. એટલે જેમણે તપસ્યાનું આચરણ કર્યું છે તે બ્રહ્મચારિણી છે. માતા બ્રહ્મચારિણીના સ્વરૂપની વાત કરીએ તો માતા એક હાથમાં કમંડળ ધારણ કરે છે અને બીજા હાથમાં માળા ધારણ કરે છે. માતાજીની આરાધના કરવાથી સંયમ, ત્યાગ અને સદાચારની પ્રાપ્તિ થાય છે. 


Navratri પહેલા જાણો માતાજીને કોણે આપ્યા વિવિધ અસ્ત્ર-શસ્ત્ર, શા માટે થઈ હતી  માતાજીની ઉત્પત્તિ?

માતાજી શા માટે કહેવાય છે માતા બ્રહ્મચારિણી? 

શંકર ભગવાનને પતિ તરીકે પામવા માટે માતાજી તપ કરે તેવી વાત નારદજીએ માતાજીને કરી હતી. નારદજીના આ વચન સાંભળી માતાજીએ શંકર ભગવાનને પામવા માટે હજારો વર્ષો સુધી તપ કર્યું. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતાજીને હજારો વર્ષ સુધી ફળ ખાઈને તપસ્યા કરી. થોડા વર્ષો બાદ માતાજીએ માત્ર સુકાયેલા બિલિપત્ર ખાઈને તપસ્યા કરી. એવું માનવામાં આવે છે કે તપ કરવાને કારણે માતાજી બ્રહ્મચારિણી માતા કહેવાયા. તપ કરવાને કારણે માતાજી બ્રહ્મચારિણી માતા કહેવાયા એવું માનવામાં આવે છે.  


કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની ઉપાસના?


નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળોની પ્રાપ્તિ થાય છે તેવો ઉલ્લેખ આપણને શાસ્ત્રમાં મળે છે. નવરાત્રી દરમિયાન જો સાચા મનથી માતાજીની ભક્તિ કરવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે. અલગ અલગ માતાજીના અલગ અલગ મંત્રો આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે. માતા બ્રહ્મચારિણી માતાજીના મંત્રની વાત કરીએ તો સાધક दधाना कपाभ्यामक्षमालाकमण्डलू। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।  મંત્રનો જાપ કરી શકે છે. માતાજીની પૂજા દરમિયાન આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો આ મંત્રનો જાપ ન થાય તો એં હ્રીં ક્લીં બ્રહ્મચારિણ્યૈ નમ: નો જાપ કરવો જોઈએ. મા બ્રહ્મચારિણી જ્ઞાન અને તપની દેવી છે. જે ભક્ત માના આ સ્વરૂપની પૂજા કરે છે તેને દરેખ ક્ષેત્રમાં વિજય તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઉપરાંત તપ, વૈરાગ્ય, સંયમ તેમજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 


બીજા દિવસે નૈવેદ્યમાં શું કરવું જોઈએ અર્પણ?

હિંદુ ધર્મમાં નૈવેદ્યાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. પ્રસાદને પ્રભુના સાક્ષાત દર્શન પણ કહેવામાં આવે છે. નવરાત્રી દરમિયાન અલગ અલગ ભોગ અલગ અલગ નૈવેદ્ય માતાજી સમક્ષ ધરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવસ પ્રમાણે નૈવેદ્યા અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. બીજા દિવસે માતાજીને સાકારનો નૈવેદ્ય ધરાવવો જોઈએ. સાકર અર્પણ કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.   

   



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..