Navratriના બીજા દિવસે કરાય છે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીને પ્રસન્ન કરવા કયા મંત્રનો કરવો જોઈએ જપ?


  • Published By :
  • Published Date : 2023-10-16 09:16:40

ગઈકાલથી આસો નવરાત્રી એટલે કે શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. માતાજીના નવલા નોરતાનો આજે બીજો દિવસ. નવરાત્રી એટલે નવ દુર્ગાની આરાધના કરવાનો પર્વ. નવરાત્રીના બીજા દિવસે નવ દુર્ગાના બીજા સ્વરૂપ એવા માતા બ્રહ્મચારિણી માતાની આરાધના કરવામાં આવે છે.  શ્વેત વસ્ત્રો ધારણ કરનારા બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે. બ્રહ્માચારિણીનો અર્થ સમજીએ તો બ્રહ્મનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. એટલે જેમણે તપસ્યાનું આચરણ કર્યું છે તે બ્રહ્મચારિણી છે. માતા બ્રહ્મચારિણીના સ્વરૂપની વાત કરીએ તો માતા એક હાથમાં કમંડળ ધારણ કરે છે અને બીજા હાથમાં માળા ધારણ કરે છે. માતાજીની આરાધના કરવાથી સંયમ, ત્યાગ અને સદાચારની પ્રાપ્તિ થાય છે. 


Navratri પહેલા જાણો માતાજીને કોણે આપ્યા વિવિધ અસ્ત્ર-શસ્ત્ર, શા માટે થઈ હતી  માતાજીની ઉત્પત્તિ?

માતાજી શા માટે કહેવાય છે માતા બ્રહ્મચારિણી? 

શંકર ભગવાનને પતિ તરીકે પામવા માટે માતાજી તપ કરે તેવી વાત નારદજીએ માતાજીને કરી હતી. નારદજીના આ વચન સાંભળી માતાજીએ શંકર ભગવાનને પામવા માટે હજારો વર્ષો સુધી તપ કર્યું. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતાજીને હજારો વર્ષ સુધી ફળ ખાઈને તપસ્યા કરી. થોડા વર્ષો બાદ માતાજીએ માત્ર સુકાયેલા બિલિપત્ર ખાઈને તપસ્યા કરી. એવું માનવામાં આવે છે કે તપ કરવાને કારણે માતાજી બ્રહ્મચારિણી માતા કહેવાયા. તપ કરવાને કારણે માતાજી બ્રહ્મચારિણી માતા કહેવાયા એવું માનવામાં આવે છે.  


કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની ઉપાસના?


નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળોની પ્રાપ્તિ થાય છે તેવો ઉલ્લેખ આપણને શાસ્ત્રમાં મળે છે. નવરાત્રી દરમિયાન જો સાચા મનથી માતાજીની ભક્તિ કરવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે. અલગ અલગ માતાજીના અલગ અલગ મંત્રો આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે. માતા બ્રહ્મચારિણી માતાજીના મંત્રની વાત કરીએ તો સાધક दधाना कपाभ्यामक्षमालाकमण्डलू। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।  મંત્રનો જાપ કરી શકે છે. માતાજીની પૂજા દરમિયાન આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો આ મંત્રનો જાપ ન થાય તો એં હ્રીં ક્લીં બ્રહ્મચારિણ્યૈ નમ: નો જાપ કરવો જોઈએ. મા બ્રહ્મચારિણી જ્ઞાન અને તપની દેવી છે. જે ભક્ત માના આ સ્વરૂપની પૂજા કરે છે તેને દરેખ ક્ષેત્રમાં વિજય તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઉપરાંત તપ, વૈરાગ્ય, સંયમ તેમજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 


બીજા દિવસે નૈવેદ્યમાં શું કરવું જોઈએ અર્પણ?

હિંદુ ધર્મમાં નૈવેદ્યાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. પ્રસાદને પ્રભુના સાક્ષાત દર્શન પણ કહેવામાં આવે છે. નવરાત્રી દરમિયાન અલગ અલગ ભોગ અલગ અલગ નૈવેદ્ય માતાજી સમક્ષ ધરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવસ પ્રમાણે નૈવેદ્યા અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. બીજા દિવસે માતાજીને સાકારનો નૈવેદ્ય ધરાવવો જોઈએ. સાકર અર્પણ કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.   

   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.