કેમ કોહિનૂરના ઈતિહાસને લોહિયાળ કહેવાયો છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 19:08:56

STORY BY DEVANSHI JOSHI


ભારતમાં ચારેય બાજુ કોહિનૂરની ચર્ચા શરૂ થઈ છે ત્યારે  એક સવાલ થાય કે અંગ્રેજોની પાસે આ અદભૂત, દુનિયાનો સૌથી મોંઘો અને મોટો હીરો કોહિનૂર હોવા છતાં કેમ એને કોઈ રાજા પહેરતા નથી? 


તો એનું કારણ છે કોહિનૂર હીરાનો લોહિયાળ ઈતિહાસ.....

કેહવામાં આવે છે કે કોહિનૂર સાથે સંકળાયેલો છે એક શ્રાપ, જેમાં કહેવાયું છે કે 'જે આ હીરાના માલિક બનશે એ આખી દુનિયાનું માલિક થશે, પણ દુનિયાભરના દુર્ભાગ્ય પણ એના જ ભાગમાં આવશે.' કોઈ કહે છે શ્રીકૃષ્ણના સમયનો છે કોહિનૂર, તો કોઈ કહે છે આંધ્રની ખીણમાંથી નીકળ્યો છે કોહિનૂર, પણ સૌથી વધારે સ્વિકૃત વાયકા પ્રમાણે કોહિનૂર નીકળ્યો હતો કોલુર માઈન્સમાંથી, જે ગોલકોંડાના હીરા તરીકે પણ ઓળખાય છે, કૃષ્ણા નદીની આસપાસ મળે છે, સુદી નદીઓના કિનારે આવા રત્નો મળવાની સંભાવના રહેતી હોય છે. કોઈની પાસે આની ચોક્કસ માહીતી નથી કે કોહિનૂર ક્યાંથી મળ્યો  હતો, પણ પછી બાબરનામામાં આનો ઉલ્લેખ આવે છે, શાહજહાંના ફેમસ મયૂરાસન નામના સિંહાસનમાં મોરની આંખમાં કોહિનૂર હોવાનું મનાય છે, એવું કહેવાય છે કે તાજમહેલ કરતા પણ ચાર ગણો મોંઘું આ સિંહાસન હતું, પછી કોહિનૂર પર્શિયાના રાજા નાદીર શાહ પાસે ગયો હોવાનું મનાય છે, જ્યારે વર્ષ 1739માં નાદીર શાહે દિલ્હી પર આક્રમાણ કર્યુ અને મોહમ્મદ શાહને હરાવ્યો ત્યારે એ પોતાની સાથે કોહિનૂર લઈ ગયો, કોહિનૂર નામ પણ નાદીર શાહે જ આપ્યું હતુ, જેનો મતલબ થાય છે રોશનીનો પહાડ, 70 વર્ષ સુધી કોહિનૂર પર્શિયા એટલે કે અફઘાનિસ્તાન પાસે રહ્યો, પણ કોહિનૂરના શ્રાપ પ્રમાણે નાદીર શાહનું સિંહાસન પણ છીનવાઈ જાય છે, કોહિનૂરના માલિક અહમદ શાહ દુર્રાની બને છે, દુર્રાની સામ્રાજ્ય પણ તૂટી પડે છે, ત્યાંનો શાસક ભાગીને લાહોર આવે છે. મહારાજા રણજીતસિંહની શરણ લે છે, શીખ સામ્રાજ્યના આ રાજા દુર્રાનીને શરણ તો આપે છે પણ કોહિનૂર પોતાની પાસે લઈ લે છે, અને આમ લગભગ 1813ની આસપાસ શીખ સામ્રાજ્ય પાસે આ હીરો પહોંચે છે, 1839માં મહારાજા રણજીતસિંહનું મૃત્યું થયું, કોહિનૂર દુર્ભાગ્ય પોતાની સાથે જ લઈને જતો હતો, 1843માં રણજીતસિંહના પત્ની રાણી જીંદન અને પુત્ર દુલિપસિંહ જ બચ્યા હોય છે, ઈસ્ટ ઈન્ડીયા કંપની એમની સાથે સંધી કરી લે છે, અને જેમાં લખી દેવાય છે કે ઈસ્ટ ઈન્ડીયા કંપનીને કોહિનૂર આપવામાં આવે છે, મહારાજા દુલિપસિંહની સંભાળની શરતે, દુલિપસિંહની સાથે કોહીનૂર પણ હજારો કિમી દુર સમુદ્રની સફર પાર કરીને બ્રિટેન પહોંચે છે, ત્યાં એમનો ઉછેર ક્રિશ્ચન પરંપરા પ્રમાણે થાય છે, અને પછી એમના મૃત્યુ સમયે અંગ્રેજો સામે કરેલા વિદ્રોહનો પણ લાંબો ઈતિહાસ છે, આપણે કોહિનૂર પર વાત કરીએ તો બધાને થાય કે કોહિનુરનો આ શ્રાપ અંગ્રેજોને કેમ ના લાગ્યો.... 


તો એનો જવાબ છે કે વાયકા પ્રમાણે અપાયેલા શ્રાપમાં બે શરતોનો પણ ઉલ્લેખ હતો કે,

જે કોહિનુરનું માલિક બનશે એ આખી દુનિયાનું માલિક થશે પણ દુનિયાભરના દુર્ભાગ્ય પણ એના જ ભાગમાં આવશે. માત્ર કોઈ સ્ત્રી કે ભગવાન જ આને દુર્ભાગ્યના માલિક બન્યા વગર પહેરી શકશે' અને કદાચ એટલે જ આ હીરો જ્યારે અંગ્રેજો પાસે પહોંચ્યો ત્યારે એમણે ઈતિહાસમાંથી શીખ લેતા હીરાને રાણી વિક્ટોરિયાના તાજમાં રાખ્યો, અને પછી ક્યારેય આ હીરાને કોઈ અંગ્રેજ પુરુષ શાસકે નથી પહેર્યો. અને હવે બ્રિટનના નવા રાજા ચાર્લસની પત્ની ડચેસ ઑફ કોર્નવોલ કેમિલાને કોહિનૂર સોંપવામાં આવશે. કેમિલાને કોહિનૂરથી જડેલો તાજ આપવામાં આવશે. તો જમાવટ પર તમે જાણ્યો કોહિનૂર હીરાનો ઈતિહાસ. ઈતિહાસને લગતી વધુ જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહેજો.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.