કેમ કોહિનૂરના ઈતિહાસને લોહિયાળ કહેવાયો છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 19:08:56

STORY BY DEVANSHI JOSHI


ભારતમાં ચારેય બાજુ કોહિનૂરની ચર્ચા શરૂ થઈ છે ત્યારે  એક સવાલ થાય કે અંગ્રેજોની પાસે આ અદભૂત, દુનિયાનો સૌથી મોંઘો અને મોટો હીરો કોહિનૂર હોવા છતાં કેમ એને કોઈ રાજા પહેરતા નથી? 


તો એનું કારણ છે કોહિનૂર હીરાનો લોહિયાળ ઈતિહાસ.....

કેહવામાં આવે છે કે કોહિનૂર સાથે સંકળાયેલો છે એક શ્રાપ, જેમાં કહેવાયું છે કે 'જે આ હીરાના માલિક બનશે એ આખી દુનિયાનું માલિક થશે, પણ દુનિયાભરના દુર્ભાગ્ય પણ એના જ ભાગમાં આવશે.' કોઈ કહે છે શ્રીકૃષ્ણના સમયનો છે કોહિનૂર, તો કોઈ કહે છે આંધ્રની ખીણમાંથી નીકળ્યો છે કોહિનૂર, પણ સૌથી વધારે સ્વિકૃત વાયકા પ્રમાણે કોહિનૂર નીકળ્યો હતો કોલુર માઈન્સમાંથી, જે ગોલકોંડાના હીરા તરીકે પણ ઓળખાય છે, કૃષ્ણા નદીની આસપાસ મળે છે, સુદી નદીઓના કિનારે આવા રત્નો મળવાની સંભાવના રહેતી હોય છે. કોઈની પાસે આની ચોક્કસ માહીતી નથી કે કોહિનૂર ક્યાંથી મળ્યો  હતો, પણ પછી બાબરનામામાં આનો ઉલ્લેખ આવે છે, શાહજહાંના ફેમસ મયૂરાસન નામના સિંહાસનમાં મોરની આંખમાં કોહિનૂર હોવાનું મનાય છે, એવું કહેવાય છે કે તાજમહેલ કરતા પણ ચાર ગણો મોંઘું આ સિંહાસન હતું, પછી કોહિનૂર પર્શિયાના રાજા નાદીર શાહ પાસે ગયો હોવાનું મનાય છે, જ્યારે વર્ષ 1739માં નાદીર શાહે દિલ્હી પર આક્રમાણ કર્યુ અને મોહમ્મદ શાહને હરાવ્યો ત્યારે એ પોતાની સાથે કોહિનૂર લઈ ગયો, કોહિનૂર નામ પણ નાદીર શાહે જ આપ્યું હતુ, જેનો મતલબ થાય છે રોશનીનો પહાડ, 70 વર્ષ સુધી કોહિનૂર પર્શિયા એટલે કે અફઘાનિસ્તાન પાસે રહ્યો, પણ કોહિનૂરના શ્રાપ પ્રમાણે નાદીર શાહનું સિંહાસન પણ છીનવાઈ જાય છે, કોહિનૂરના માલિક અહમદ શાહ દુર્રાની બને છે, દુર્રાની સામ્રાજ્ય પણ તૂટી પડે છે, ત્યાંનો શાસક ભાગીને લાહોર આવે છે. મહારાજા રણજીતસિંહની શરણ લે છે, શીખ સામ્રાજ્યના આ રાજા દુર્રાનીને શરણ તો આપે છે પણ કોહિનૂર પોતાની પાસે લઈ લે છે, અને આમ લગભગ 1813ની આસપાસ શીખ સામ્રાજ્ય પાસે આ હીરો પહોંચે છે, 1839માં મહારાજા રણજીતસિંહનું મૃત્યું થયું, કોહિનૂર દુર્ભાગ્ય પોતાની સાથે જ લઈને જતો હતો, 1843માં રણજીતસિંહના પત્ની રાણી જીંદન અને પુત્ર દુલિપસિંહ જ બચ્યા હોય છે, ઈસ્ટ ઈન્ડીયા કંપની એમની સાથે સંધી કરી લે છે, અને જેમાં લખી દેવાય છે કે ઈસ્ટ ઈન્ડીયા કંપનીને કોહિનૂર આપવામાં આવે છે, મહારાજા દુલિપસિંહની સંભાળની શરતે, દુલિપસિંહની સાથે કોહીનૂર પણ હજારો કિમી દુર સમુદ્રની સફર પાર કરીને બ્રિટેન પહોંચે છે, ત્યાં એમનો ઉછેર ક્રિશ્ચન પરંપરા પ્રમાણે થાય છે, અને પછી એમના મૃત્યુ સમયે અંગ્રેજો સામે કરેલા વિદ્રોહનો પણ લાંબો ઈતિહાસ છે, આપણે કોહિનૂર પર વાત કરીએ તો બધાને થાય કે કોહિનુરનો આ શ્રાપ અંગ્રેજોને કેમ ના લાગ્યો.... 


તો એનો જવાબ છે કે વાયકા પ્રમાણે અપાયેલા શ્રાપમાં બે શરતોનો પણ ઉલ્લેખ હતો કે,

જે કોહિનુરનું માલિક બનશે એ આખી દુનિયાનું માલિક થશે પણ દુનિયાભરના દુર્ભાગ્ય પણ એના જ ભાગમાં આવશે. માત્ર કોઈ સ્ત્રી કે ભગવાન જ આને દુર્ભાગ્યના માલિક બન્યા વગર પહેરી શકશે' અને કદાચ એટલે જ આ હીરો જ્યારે અંગ્રેજો પાસે પહોંચ્યો ત્યારે એમણે ઈતિહાસમાંથી શીખ લેતા હીરાને રાણી વિક્ટોરિયાના તાજમાં રાખ્યો, અને પછી ક્યારેય આ હીરાને કોઈ અંગ્રેજ પુરુષ શાસકે નથી પહેર્યો. અને હવે બ્રિટનના નવા રાજા ચાર્લસની પત્ની ડચેસ ઑફ કોર્નવોલ કેમિલાને કોહિનૂર સોંપવામાં આવશે. કેમિલાને કોહિનૂરથી જડેલો તાજ આપવામાં આવશે. તો જમાવટ પર તમે જાણ્યો કોહિનૂર હીરાનો ઈતિહાસ. ઈતિહાસને લગતી વધુ જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહેજો.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.