કેમ કોહિનૂરના ઈતિહાસને લોહિયાળ કહેવાયો છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 19:08:56

STORY BY DEVANSHI JOSHI


ભારતમાં ચારેય બાજુ કોહિનૂરની ચર્ચા શરૂ થઈ છે ત્યારે  એક સવાલ થાય કે અંગ્રેજોની પાસે આ અદભૂત, દુનિયાનો સૌથી મોંઘો અને મોટો હીરો કોહિનૂર હોવા છતાં કેમ એને કોઈ રાજા પહેરતા નથી? 


તો એનું કારણ છે કોહિનૂર હીરાનો લોહિયાળ ઈતિહાસ.....

કેહવામાં આવે છે કે કોહિનૂર સાથે સંકળાયેલો છે એક શ્રાપ, જેમાં કહેવાયું છે કે 'જે આ હીરાના માલિક બનશે એ આખી દુનિયાનું માલિક થશે, પણ દુનિયાભરના દુર્ભાગ્ય પણ એના જ ભાગમાં આવશે.' કોઈ કહે છે શ્રીકૃષ્ણના સમયનો છે કોહિનૂર, તો કોઈ કહે છે આંધ્રની ખીણમાંથી નીકળ્યો છે કોહિનૂર, પણ સૌથી વધારે સ્વિકૃત વાયકા પ્રમાણે કોહિનૂર નીકળ્યો હતો કોલુર માઈન્સમાંથી, જે ગોલકોંડાના હીરા તરીકે પણ ઓળખાય છે, કૃષ્ણા નદીની આસપાસ મળે છે, સુદી નદીઓના કિનારે આવા રત્નો મળવાની સંભાવના રહેતી હોય છે. કોઈની પાસે આની ચોક્કસ માહીતી નથી કે કોહિનૂર ક્યાંથી મળ્યો  હતો, પણ પછી બાબરનામામાં આનો ઉલ્લેખ આવે છે, શાહજહાંના ફેમસ મયૂરાસન નામના સિંહાસનમાં મોરની આંખમાં કોહિનૂર હોવાનું મનાય છે, એવું કહેવાય છે કે તાજમહેલ કરતા પણ ચાર ગણો મોંઘું આ સિંહાસન હતું, પછી કોહિનૂર પર્શિયાના રાજા નાદીર શાહ પાસે ગયો હોવાનું મનાય છે, જ્યારે વર્ષ 1739માં નાદીર શાહે દિલ્હી પર આક્રમાણ કર્યુ અને મોહમ્મદ શાહને હરાવ્યો ત્યારે એ પોતાની સાથે કોહિનૂર લઈ ગયો, કોહિનૂર નામ પણ નાદીર શાહે જ આપ્યું હતુ, જેનો મતલબ થાય છે રોશનીનો પહાડ, 70 વર્ષ સુધી કોહિનૂર પર્શિયા એટલે કે અફઘાનિસ્તાન પાસે રહ્યો, પણ કોહિનૂરના શ્રાપ પ્રમાણે નાદીર શાહનું સિંહાસન પણ છીનવાઈ જાય છે, કોહિનૂરના માલિક અહમદ શાહ દુર્રાની બને છે, દુર્રાની સામ્રાજ્ય પણ તૂટી પડે છે, ત્યાંનો શાસક ભાગીને લાહોર આવે છે. મહારાજા રણજીતસિંહની શરણ લે છે, શીખ સામ્રાજ્યના આ રાજા દુર્રાનીને શરણ તો આપે છે પણ કોહિનૂર પોતાની પાસે લઈ લે છે, અને આમ લગભગ 1813ની આસપાસ શીખ સામ્રાજ્ય પાસે આ હીરો પહોંચે છે, 1839માં મહારાજા રણજીતસિંહનું મૃત્યું થયું, કોહિનૂર દુર્ભાગ્ય પોતાની સાથે જ લઈને જતો હતો, 1843માં રણજીતસિંહના પત્ની રાણી જીંદન અને પુત્ર દુલિપસિંહ જ બચ્યા હોય છે, ઈસ્ટ ઈન્ડીયા કંપની એમની સાથે સંધી કરી લે છે, અને જેમાં લખી દેવાય છે કે ઈસ્ટ ઈન્ડીયા કંપનીને કોહિનૂર આપવામાં આવે છે, મહારાજા દુલિપસિંહની સંભાળની શરતે, દુલિપસિંહની સાથે કોહીનૂર પણ હજારો કિમી દુર સમુદ્રની સફર પાર કરીને બ્રિટેન પહોંચે છે, ત્યાં એમનો ઉછેર ક્રિશ્ચન પરંપરા પ્રમાણે થાય છે, અને પછી એમના મૃત્યુ સમયે અંગ્રેજો સામે કરેલા વિદ્રોહનો પણ લાંબો ઈતિહાસ છે, આપણે કોહિનૂર પર વાત કરીએ તો બધાને થાય કે કોહિનુરનો આ શ્રાપ અંગ્રેજોને કેમ ના લાગ્યો.... 


તો એનો જવાબ છે કે વાયકા પ્રમાણે અપાયેલા શ્રાપમાં બે શરતોનો પણ ઉલ્લેખ હતો કે,

જે કોહિનુરનું માલિક બનશે એ આખી દુનિયાનું માલિક થશે પણ દુનિયાભરના દુર્ભાગ્ય પણ એના જ ભાગમાં આવશે. માત્ર કોઈ સ્ત્રી કે ભગવાન જ આને દુર્ભાગ્યના માલિક બન્યા વગર પહેરી શકશે' અને કદાચ એટલે જ આ હીરો જ્યારે અંગ્રેજો પાસે પહોંચ્યો ત્યારે એમણે ઈતિહાસમાંથી શીખ લેતા હીરાને રાણી વિક્ટોરિયાના તાજમાં રાખ્યો, અને પછી ક્યારેય આ હીરાને કોઈ અંગ્રેજ પુરુષ શાસકે નથી પહેર્યો. અને હવે બ્રિટનના નવા રાજા ચાર્લસની પત્ની ડચેસ ઑફ કોર્નવોલ કેમિલાને કોહિનૂર સોંપવામાં આવશે. કેમિલાને કોહિનૂરથી જડેલો તાજ આપવામાં આવશે. તો જમાવટ પર તમે જાણ્યો કોહિનૂર હીરાનો ઈતિહાસ. ઈતિહાસને લગતી વધુ જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહેજો.  



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .