શા માટે ઈસુદાને ટ્વીટ કરી વડોદરા કોર્પોરેશન પર કર્યા પ્રહાર?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 13:23:05

અરવિંદ કેજરીવાલ જ્યારે વડોદરા મુલાકાતે હતા ત્યારે તેમણે વડોદરામાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે આવતીકાલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન પર પ્રહારો કર્યા છે. 


ઈસુદાન ગઢવીએ શું ટ્વીટ કરી?

ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, જે નવનીત કાકાએ કેજરીવાલની સભા માટે પોતાનો પાર્ટી પ્લોટ આપ્યો હતો તેનો હોલ તોડવા માટે વડોદરા મહાનગરપાલિકા નોટિસ વગર બુલડોઝર લઈને પહોંચી ગઈ છે. 


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાજપ ગેરકાયદેસર ઈમારતોને તોડવા નથી આવતી પણ નવનીત કાકા જેવા સારા માણસને પરેશાન કરે છે


ગેરકાયદેસર બાંધકામ હોય તો કોર્પોરેશન તોડશેઃ કેયૂર રોકડિયા 

જમાવટે જ્યારે સમગ્ર મામલે વડોદરાના મેયર કેયૂર રોકડિયા જોડે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જો બાંધકામ ગેરકાયદેસર હોય તો તેને દૂર કરવા માટે કામગીરી કરવા માટે કોર્પોરેશન બંધાયેલી છે. તેમણે કહ્યું હતું કે નવનીતભાઈને ત્યાં પાર્ટી પ્લોટમાં પાર્કિંગનો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર દુકાનો બનાવી છે અને તેમાં લોન લેવામાં આવે છે. કેયૂર રોકડિયાએ આક્ષેપ કર્યો હતો કે પાર્કિંગની જગ્યા નથી અને ત્યાં બાંધકામ કરી દેવામાં આવ્યું છે આથી ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જમાવટે જ્યારે પૂછ્યું હતું કે વડોદરાના અન્ય બાંધકામ તોડવાનો તમને ક્યારે સમય મળશે? ત્યારે કેયૂર રોકડિયાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. 


કોણ છે આ નવનીત કાકા?

ઈસુદાન ગઢવીએ ટ્વીટમાં જે નવનીત કાકાના નામનો ઉલ્લેખ કર્યો છે તે વડોદરાના રહીશ છે. તેમની ઉંમર 60 વર્ષની છે અને તેઓ પાર્ટી પ્લોટના માલીક છે. તેઓ ભાજપ અને કોંગ્રેસને પણ અગાઉ કાર્યક્રમ કરવા માટે પાર્ટી પ્લોટમાં જગ્યા આપી ચૂક્યા છે. તેઓ પાર્ટી પ્લોટના માલીક છે અને પાર્ટી પ્લોટની કામગીરી સાથે જોડાયેલા છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.