શા માટે ઈસુદાને ટ્વીટ કરી વડોદરા કોર્પોરેશન પર કર્યા પ્રહાર?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 13:23:05

અરવિંદ કેજરીવાલ જ્યારે વડોદરા મુલાકાતે હતા ત્યારે તેમણે વડોદરામાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે આવતીકાલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન પર પ્રહારો કર્યા છે. 


ઈસુદાન ગઢવીએ શું ટ્વીટ કરી?

ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, જે નવનીત કાકાએ કેજરીવાલની સભા માટે પોતાનો પાર્ટી પ્લોટ આપ્યો હતો તેનો હોલ તોડવા માટે વડોદરા મહાનગરપાલિકા નોટિસ વગર બુલડોઝર લઈને પહોંચી ગઈ છે. 


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાજપ ગેરકાયદેસર ઈમારતોને તોડવા નથી આવતી પણ નવનીત કાકા જેવા સારા માણસને પરેશાન કરે છે


ગેરકાયદેસર બાંધકામ હોય તો કોર્પોરેશન તોડશેઃ કેયૂર રોકડિયા 

જમાવટે જ્યારે સમગ્ર મામલે વડોદરાના મેયર કેયૂર રોકડિયા જોડે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જો બાંધકામ ગેરકાયદેસર હોય તો તેને દૂર કરવા માટે કામગીરી કરવા માટે કોર્પોરેશન બંધાયેલી છે. તેમણે કહ્યું હતું કે નવનીતભાઈને ત્યાં પાર્ટી પ્લોટમાં પાર્કિંગનો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર દુકાનો બનાવી છે અને તેમાં લોન લેવામાં આવે છે. કેયૂર રોકડિયાએ આક્ષેપ કર્યો હતો કે પાર્કિંગની જગ્યા નથી અને ત્યાં બાંધકામ કરી દેવામાં આવ્યું છે આથી ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જમાવટે જ્યારે પૂછ્યું હતું કે વડોદરાના અન્ય બાંધકામ તોડવાનો તમને ક્યારે સમય મળશે? ત્યારે કેયૂર રોકડિયાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. 


કોણ છે આ નવનીત કાકા?

ઈસુદાન ગઢવીએ ટ્વીટમાં જે નવનીત કાકાના નામનો ઉલ્લેખ કર્યો છે તે વડોદરાના રહીશ છે. તેમની ઉંમર 60 વર્ષની છે અને તેઓ પાર્ટી પ્લોટના માલીક છે. તેઓ ભાજપ અને કોંગ્રેસને પણ અગાઉ કાર્યક્રમ કરવા માટે પાર્ટી પ્લોટમાં જગ્યા આપી ચૂક્યા છે. તેઓ પાર્ટી પ્લોટના માલીક છે અને પાર્ટી પ્લોટની કામગીરી સાથે જોડાયેલા છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે