શા માટે ઈસુદાને ટ્વીટ કરી વડોદરા કોર્પોરેશન પર કર્યા પ્રહાર?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 13:23:05

અરવિંદ કેજરીવાલ જ્યારે વડોદરા મુલાકાતે હતા ત્યારે તેમણે વડોદરામાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે આવતીકાલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન પર પ્રહારો કર્યા છે. 


ઈસુદાન ગઢવીએ શું ટ્વીટ કરી?

ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, જે નવનીત કાકાએ કેજરીવાલની સભા માટે પોતાનો પાર્ટી પ્લોટ આપ્યો હતો તેનો હોલ તોડવા માટે વડોદરા મહાનગરપાલિકા નોટિસ વગર બુલડોઝર લઈને પહોંચી ગઈ છે. 


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાજપ ગેરકાયદેસર ઈમારતોને તોડવા નથી આવતી પણ નવનીત કાકા જેવા સારા માણસને પરેશાન કરે છે


ગેરકાયદેસર બાંધકામ હોય તો કોર્પોરેશન તોડશેઃ કેયૂર રોકડિયા 

જમાવટે જ્યારે સમગ્ર મામલે વડોદરાના મેયર કેયૂર રોકડિયા જોડે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જો બાંધકામ ગેરકાયદેસર હોય તો તેને દૂર કરવા માટે કામગીરી કરવા માટે કોર્પોરેશન બંધાયેલી છે. તેમણે કહ્યું હતું કે નવનીતભાઈને ત્યાં પાર્ટી પ્લોટમાં પાર્કિંગનો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર દુકાનો બનાવી છે અને તેમાં લોન લેવામાં આવે છે. કેયૂર રોકડિયાએ આક્ષેપ કર્યો હતો કે પાર્કિંગની જગ્યા નથી અને ત્યાં બાંધકામ કરી દેવામાં આવ્યું છે આથી ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જમાવટે જ્યારે પૂછ્યું હતું કે વડોદરાના અન્ય બાંધકામ તોડવાનો તમને ક્યારે સમય મળશે? ત્યારે કેયૂર રોકડિયાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. 


કોણ છે આ નવનીત કાકા?

ઈસુદાન ગઢવીએ ટ્વીટમાં જે નવનીત કાકાના નામનો ઉલ્લેખ કર્યો છે તે વડોદરાના રહીશ છે. તેમની ઉંમર 60 વર્ષની છે અને તેઓ પાર્ટી પ્લોટના માલીક છે. તેઓ ભાજપ અને કોંગ્રેસને પણ અગાઉ કાર્યક્રમ કરવા માટે પાર્ટી પ્લોટમાં જગ્યા આપી ચૂક્યા છે. તેઓ પાર્ટી પ્લોટના માલીક છે અને પાર્ટી પ્લોટની કામગીરી સાથે જોડાયેલા છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .