શા માટે કિંજલ દવે નહીં ગઈ શકે 'ચાર-ચાર બંગડી...' વાળું સોન્ગ, જાણો સમગ્ર ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 15:08:15

ચાર-ચાર બંગડી ગાયનથી ફેમસ થનાર સિંગર કિંજલ દવેની ચિંતામાં વધારો થયો છે. સેશન્સ કોર્ટે ફરમાન કર્યું છે કે કિંજલ દવે આ ગીત નહીં ગાઈ શકે. વાત એમ છે કે આ ગીતને લઈ રેડ રિબન એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કોપીરાઈટ કેસ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આ અંગે આગળ નિર્ણય લેવામાં આવશે. પરંતુ જ્યાં સુધી આ કેસનો ચૂકાદો નહીં આવે ત્યાં સુધી કિંજલ દવે આ સોન્ગ નહીં ગઈ શકે.

Kinjal Dave


ચાર-ચાર બંગડી વાળા ગીતને કારણે કિંજલ દવે થયા હતા પ્રખ્યાત

આ ગીત પર રેડ રિબન એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કોપીરાઈટ કેસ કરવામાં આવ્યો હતો. 20 ડિસેમ્બર 2016ના રોજ આ ગીતને અપલોડ કરવામાં આવ્યું હતું. ગીત મુકાતા જ આ ગીત સુપરહીટ થઈ ગયું હતું અને આ ગીતને કારણે ગાયક કિંજલ દવે રાતોરાત લોકપ્રિય થઈ ગયા હતા. જે બાદ 2017માં કંપની દ્વારા આ ગીતને લઈ કોપીરાઈટ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંપનીનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની રચના કરી છે.


સિટી સિવિલ કોર્ટે ફરમાવ્યો હુકમ  

કિંજલ દવેએ આ ગીતના અમુક શબ્દોમાં ફેરબદલ કરી આ ગીતની નકલ કરવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લા ઘણા સમયથી કોપીરાઈટ વિવાદ ચાલતો હતો. કોપીરાઈટનો કેસ હોવાને કારણે કોર્ટે આ પ્રખ્યાત ગીત ગાવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી હવેથી કિંજલ દવે આ કેસનો ચૂકાદો નહીં આવે ત્યાં સુધી આ સોન્ગની સીડી અથવા કેસેટ કંઈ પણ વેચી નહીં શકે ઉપરાંત કોઈ પ્રોગ્રામમાં આ ગીત ગઈ નહીં શકે.      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.