શા માટે કિંજલ દવે નહીં ગઈ શકે 'ચાર-ચાર બંગડી...' વાળું સોન્ગ, જાણો સમગ્ર ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 15:08:15

ચાર-ચાર બંગડી ગાયનથી ફેમસ થનાર સિંગર કિંજલ દવેની ચિંતામાં વધારો થયો છે. સેશન્સ કોર્ટે ફરમાન કર્યું છે કે કિંજલ દવે આ ગીત નહીં ગાઈ શકે. વાત એમ છે કે આ ગીતને લઈ રેડ રિબન એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કોપીરાઈટ કેસ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આ અંગે આગળ નિર્ણય લેવામાં આવશે. પરંતુ જ્યાં સુધી આ કેસનો ચૂકાદો નહીં આવે ત્યાં સુધી કિંજલ દવે આ સોન્ગ નહીં ગઈ શકે.

Kinjal Dave


ચાર-ચાર બંગડી વાળા ગીતને કારણે કિંજલ દવે થયા હતા પ્રખ્યાત

આ ગીત પર રેડ રિબન એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કોપીરાઈટ કેસ કરવામાં આવ્યો હતો. 20 ડિસેમ્બર 2016ના રોજ આ ગીતને અપલોડ કરવામાં આવ્યું હતું. ગીત મુકાતા જ આ ગીત સુપરહીટ થઈ ગયું હતું અને આ ગીતને કારણે ગાયક કિંજલ દવે રાતોરાત લોકપ્રિય થઈ ગયા હતા. જે બાદ 2017માં કંપની દ્વારા આ ગીતને લઈ કોપીરાઈટ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંપનીનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની રચના કરી છે.


સિટી સિવિલ કોર્ટે ફરમાવ્યો હુકમ  

કિંજલ દવેએ આ ગીતના અમુક શબ્દોમાં ફેરબદલ કરી આ ગીતની નકલ કરવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લા ઘણા સમયથી કોપીરાઈટ વિવાદ ચાલતો હતો. કોપીરાઈટનો કેસ હોવાને કારણે કોર્ટે આ પ્રખ્યાત ગીત ગાવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી હવેથી કિંજલ દવે આ કેસનો ચૂકાદો નહીં આવે ત્યાં સુધી આ સોન્ગની સીડી અથવા કેસેટ કંઈ પણ વેચી નહીં શકે ઉપરાંત કોઈ પ્રોગ્રામમાં આ ગીત ગઈ નહીં શકે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે