શા માટે કિંજલ દવે નહીં ગઈ શકે 'ચાર-ચાર બંગડી...' વાળું સોન્ગ, જાણો સમગ્ર ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 15:08:15

ચાર-ચાર બંગડી ગાયનથી ફેમસ થનાર સિંગર કિંજલ દવેની ચિંતામાં વધારો થયો છે. સેશન્સ કોર્ટે ફરમાન કર્યું છે કે કિંજલ દવે આ ગીત નહીં ગાઈ શકે. વાત એમ છે કે આ ગીતને લઈ રેડ રિબન એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કોપીરાઈટ કેસ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આ અંગે આગળ નિર્ણય લેવામાં આવશે. પરંતુ જ્યાં સુધી આ કેસનો ચૂકાદો નહીં આવે ત્યાં સુધી કિંજલ દવે આ સોન્ગ નહીં ગઈ શકે.

Kinjal Dave


ચાર-ચાર બંગડી વાળા ગીતને કારણે કિંજલ દવે થયા હતા પ્રખ્યાત

આ ગીત પર રેડ રિબન એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કોપીરાઈટ કેસ કરવામાં આવ્યો હતો. 20 ડિસેમ્બર 2016ના રોજ આ ગીતને અપલોડ કરવામાં આવ્યું હતું. ગીત મુકાતા જ આ ગીત સુપરહીટ થઈ ગયું હતું અને આ ગીતને કારણે ગાયક કિંજલ દવે રાતોરાત લોકપ્રિય થઈ ગયા હતા. જે બાદ 2017માં કંપની દ્વારા આ ગીતને લઈ કોપીરાઈટ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંપનીનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની રચના કરી છે.


સિટી સિવિલ કોર્ટે ફરમાવ્યો હુકમ  

કિંજલ દવેએ આ ગીતના અમુક શબ્દોમાં ફેરબદલ કરી આ ગીતની નકલ કરવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લા ઘણા સમયથી કોપીરાઈટ વિવાદ ચાલતો હતો. કોપીરાઈટનો કેસ હોવાને કારણે કોર્ટે આ પ્રખ્યાત ગીત ગાવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી હવેથી કિંજલ દવે આ કેસનો ચૂકાદો નહીં આવે ત્યાં સુધી આ સોન્ગની સીડી અથવા કેસેટ કંઈ પણ વેચી નહીં શકે ઉપરાંત કોઈ પ્રોગ્રામમાં આ ગીત ગઈ નહીં શકે.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.