શા માટે કિંજલ દવે નહીં ગઈ શકે 'ચાર-ચાર બંગડી...' વાળું સોન્ગ, જાણો સમગ્ર ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 15:08:15

ચાર-ચાર બંગડી ગાયનથી ફેમસ થનાર સિંગર કિંજલ દવેની ચિંતામાં વધારો થયો છે. સેશન્સ કોર્ટે ફરમાન કર્યું છે કે કિંજલ દવે આ ગીત નહીં ગાઈ શકે. વાત એમ છે કે આ ગીતને લઈ રેડ રિબન એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કોપીરાઈટ કેસ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આ અંગે આગળ નિર્ણય લેવામાં આવશે. પરંતુ જ્યાં સુધી આ કેસનો ચૂકાદો નહીં આવે ત્યાં સુધી કિંજલ દવે આ સોન્ગ નહીં ગઈ શકે.

Kinjal Dave


ચાર-ચાર બંગડી વાળા ગીતને કારણે કિંજલ દવે થયા હતા પ્રખ્યાત

આ ગીત પર રેડ રિબન એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કોપીરાઈટ કેસ કરવામાં આવ્યો હતો. 20 ડિસેમ્બર 2016ના રોજ આ ગીતને અપલોડ કરવામાં આવ્યું હતું. ગીત મુકાતા જ આ ગીત સુપરહીટ થઈ ગયું હતું અને આ ગીતને કારણે ગાયક કિંજલ દવે રાતોરાત લોકપ્રિય થઈ ગયા હતા. જે બાદ 2017માં કંપની દ્વારા આ ગીતને લઈ કોપીરાઈટ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંપનીનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની રચના કરી છે.


સિટી સિવિલ કોર્ટે ફરમાવ્યો હુકમ  

કિંજલ દવેએ આ ગીતના અમુક શબ્દોમાં ફેરબદલ કરી આ ગીતની નકલ કરવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લા ઘણા સમયથી કોપીરાઈટ વિવાદ ચાલતો હતો. કોપીરાઈટનો કેસ હોવાને કારણે કોર્ટે આ પ્રખ્યાત ગીત ગાવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી હવેથી કિંજલ દવે આ કેસનો ચૂકાદો નહીં આવે ત્યાં સુધી આ સોન્ગની સીડી અથવા કેસેટ કંઈ પણ વેચી નહીં શકે ઉપરાંત કોઈ પ્રોગ્રામમાં આ ગીત ગઈ નહીં શકે.      




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.