શું અમદાવાદની પણ થશે જોશીમઠ જેવી પરિસ્થિતિ? દર વર્ષે ધસી રહી છે જમીન


  • Published By :
  • Published Date : 2023-01-16 13:03:56

જોશીમઠમાં પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. જમીન ઘસી રહી છે. જેને કારણે લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. ઈસરોએ ચોંકાવનારો રિપોર્ટ આપ્યો હતો. જોશીમઠ, નૈનીતાલ, શિમલા કે એવા શહેરો જે દરિયા કિનારે વસ્યા છે ત્યાંની જમીન ધીરે ધીરે ધસી રહી છે. તે સિવાય અમદાવાદ સહિત ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારો ધોવાઈ રહ્યા છે.


દર વર્ષે અનેક mm ધસેલાઈ રહી છે જમીન

ઉત્તરાખંડનું જોશીમઠ સંકટોમાં ઘેરાયેલું છે. આફતોનો સામનો કરી રહ્યું છે. જોશીમઠની જમીન ધસી રહી છે જેને કારણે લોકોમાં ચિંતા વધી છે. પરંતુ શું તમને ખબર છે કે ન માત્ર જોશીમઠની જમીન પરંતુ અમદાવાદની જમીન પર ધલેકાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર અમદાવાદ દર વર્ષે અનેક સેન્ટીમિટર અંદર ધકેલાઈ રહ્યું છે. ન માત્ર અમદાવાદ પરંતુ બીજા અનેક વિસ્તારો પણ દર વર્ષે કેટલાય સેન્ટીમિટર ડૂબી રહ્યા છે. 25મીમી જમીન દર વર્ષે ધસી રહી છે. 


અમદાવાદ સહિત અનેક વિસ્તારો ધસેલાઈ રહ્યા છે જમીનમાં  

દરિયાનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેને કારણે પાણીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં અનેક કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો છે. અનેક કિલોમીટરના પટ્ટા પર ધોવાણ થવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયાકાંઠાની જમીન જે આવનાર હજાર વર્ષો બાદ ધસવાની હતી તે હમણાંથી ધસી રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સતત સમુદ્રના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. કાંપના કારણે 208 હેક્ટર જમીનમાં વધારો થયો છે. દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે પોતાના 313 હેક્ટર જમીન ગુમાવી છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.