શું અમદાવાદની પણ થશે જોશીમઠ જેવી પરિસ્થિતિ? દર વર્ષે ધસી રહી છે જમીન


  • Published By :
  • Published Date : 2023-01-16 13:03:56

જોશીમઠમાં પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. જમીન ઘસી રહી છે. જેને કારણે લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. ઈસરોએ ચોંકાવનારો રિપોર્ટ આપ્યો હતો. જોશીમઠ, નૈનીતાલ, શિમલા કે એવા શહેરો જે દરિયા કિનારે વસ્યા છે ત્યાંની જમીન ધીરે ધીરે ધસી રહી છે. તે સિવાય અમદાવાદ સહિત ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારો ધોવાઈ રહ્યા છે.


દર વર્ષે અનેક mm ધસેલાઈ રહી છે જમીન

ઉત્તરાખંડનું જોશીમઠ સંકટોમાં ઘેરાયેલું છે. આફતોનો સામનો કરી રહ્યું છે. જોશીમઠની જમીન ધસી રહી છે જેને કારણે લોકોમાં ચિંતા વધી છે. પરંતુ શું તમને ખબર છે કે ન માત્ર જોશીમઠની જમીન પરંતુ અમદાવાદની જમીન પર ધલેકાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર અમદાવાદ દર વર્ષે અનેક સેન્ટીમિટર અંદર ધકેલાઈ રહ્યું છે. ન માત્ર અમદાવાદ પરંતુ બીજા અનેક વિસ્તારો પણ દર વર્ષે કેટલાય સેન્ટીમિટર ડૂબી રહ્યા છે. 25મીમી જમીન દર વર્ષે ધસી રહી છે. 


અમદાવાદ સહિત અનેક વિસ્તારો ધસેલાઈ રહ્યા છે જમીનમાં  

દરિયાનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેને કારણે પાણીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં અનેક કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો છે. અનેક કિલોમીટરના પટ્ટા પર ધોવાણ થવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયાકાંઠાની જમીન જે આવનાર હજાર વર્ષો બાદ ધસવાની હતી તે હમણાંથી ધસી રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સતત સમુદ્રના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. કાંપના કારણે 208 હેક્ટર જમીનમાં વધારો થયો છે. દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે પોતાના 313 હેક્ટર જમીન ગુમાવી છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.