શું અમદાવાદની પણ થશે જોશીમઠ જેવી પરિસ્થિતિ? દર વર્ષે ધસી રહી છે જમીન


  • Published By :
  • Published Date : 2023-01-16 13:03:56

જોશીમઠમાં પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. જમીન ઘસી રહી છે. જેને કારણે લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. ઈસરોએ ચોંકાવનારો રિપોર્ટ આપ્યો હતો. જોશીમઠ, નૈનીતાલ, શિમલા કે એવા શહેરો જે દરિયા કિનારે વસ્યા છે ત્યાંની જમીન ધીરે ધીરે ધસી રહી છે. તે સિવાય અમદાવાદ સહિત ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારો ધોવાઈ રહ્યા છે.


દર વર્ષે અનેક mm ધસેલાઈ રહી છે જમીન

ઉત્તરાખંડનું જોશીમઠ સંકટોમાં ઘેરાયેલું છે. આફતોનો સામનો કરી રહ્યું છે. જોશીમઠની જમીન ધસી રહી છે જેને કારણે લોકોમાં ચિંતા વધી છે. પરંતુ શું તમને ખબર છે કે ન માત્ર જોશીમઠની જમીન પરંતુ અમદાવાદની જમીન પર ધલેકાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર અમદાવાદ દર વર્ષે અનેક સેન્ટીમિટર અંદર ધકેલાઈ રહ્યું છે. ન માત્ર અમદાવાદ પરંતુ બીજા અનેક વિસ્તારો પણ દર વર્ષે કેટલાય સેન્ટીમિટર ડૂબી રહ્યા છે. 25મીમી જમીન દર વર્ષે ધસી રહી છે. 


અમદાવાદ સહિત અનેક વિસ્તારો ધસેલાઈ રહ્યા છે જમીનમાં  

દરિયાનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેને કારણે પાણીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં અનેક કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો છે. અનેક કિલોમીટરના પટ્ટા પર ધોવાણ થવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયાકાંઠાની જમીન જે આવનાર હજાર વર્ષો બાદ ધસવાની હતી તે હમણાંથી ધસી રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સતત સમુદ્રના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. કાંપના કારણે 208 હેક્ટર જમીનમાં વધારો થયો છે. દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે પોતાના 313 હેક્ટર જમીન ગુમાવી છે.    




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .