કોરોનાની દહેશત વચ્ચે શું AMC કરશે કાંકરિયા કાર્નિવલનું આયોજન??


  • Published By :
  • Published Date : 2022-12-23 15:12:22

કોરોના ફરી એક વખત માથુ ઉંચકી રહ્યું છે. ભારતમાં પણ કોરોના કેસને લઈ સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. બેઠકો પર બેઠકો કરવામાં આવી રહી છે. કોરોના કેસને જોતા ગુજરાત સરકાર પણ એક્ટિવ થઈ છે. કોરોના કેસને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાવાનો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ કાંકરિયા કાર્નિવલ યોજાશે કે નહીં તેને લઈ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.


કોરોના કેસ વધતા તંત્ર દોડતું થયું 

અમદાવાદના કાંકરિયામાં 25થી 31 ડિસેમ્બર દરમિયાન મોટા પાયે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કોરોના સંક્રમણ ઘટતા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ એકાએક કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના કેસમાં ઉછાળો આવતા તંત્ર પણ દોડતું થયું છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે. ગુજરાત સરકારે પણ કોરોનાની ગંભીરતાને લઈ બેઠકનું આયોજન કર્યું હતું. 


શું તંત્ર યોજશે કાંકરિયા કાર્નિવલ?

આવનાર સમયમાં કોરોના કેસમાં પણ વધારો આવી શકે છે. સરકાર પણ કોરોનાને કેવી રીતે અટકાવી શકાય તે માટે વિચારણા કરી રહી છે. આ કાર્નિવલમાં લાખો લોકો ભાગ લેતા હોય છે. એક તરફ સરકાર મોટી સંખ્યામાં એકત્ર કરવા માટે ના પાડી રહ્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા આ મોટો મેળાવડાનું આયોજન કરવા જઈ રહી છે. વધતા કોરોના કેસને જોતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નિષ્ણાંતો માની રહ્યા છે કે આટલા મોટા મેળાડવા ટાળવા જોઈએ.ત્યારે સરકાર કાંકરિયા કાર્નિવલનું આયોજન કરશે કે નહીં તે અંગે લોકોમાં અસમંજસ જોવા મળી રહ્યો છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.