કોરોનાની દહેશત વચ્ચે શું AMC કરશે કાંકરિયા કાર્નિવલનું આયોજન??


  • Published By :
  • Published Date : 2022-12-23 15:12:22

કોરોના ફરી એક વખત માથુ ઉંચકી રહ્યું છે. ભારતમાં પણ કોરોના કેસને લઈ સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. બેઠકો પર બેઠકો કરવામાં આવી રહી છે. કોરોના કેસને જોતા ગુજરાત સરકાર પણ એક્ટિવ થઈ છે. કોરોના કેસને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાવાનો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ કાંકરિયા કાર્નિવલ યોજાશે કે નહીં તેને લઈ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.


કોરોના કેસ વધતા તંત્ર દોડતું થયું 

અમદાવાદના કાંકરિયામાં 25થી 31 ડિસેમ્બર દરમિયાન મોટા પાયે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કોરોના સંક્રમણ ઘટતા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ એકાએક કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના કેસમાં ઉછાળો આવતા તંત્ર પણ દોડતું થયું છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે. ગુજરાત સરકારે પણ કોરોનાની ગંભીરતાને લઈ બેઠકનું આયોજન કર્યું હતું. 


શું તંત્ર યોજશે કાંકરિયા કાર્નિવલ?

આવનાર સમયમાં કોરોના કેસમાં પણ વધારો આવી શકે છે. સરકાર પણ કોરોનાને કેવી રીતે અટકાવી શકાય તે માટે વિચારણા કરી રહી છે. આ કાર્નિવલમાં લાખો લોકો ભાગ લેતા હોય છે. એક તરફ સરકાર મોટી સંખ્યામાં એકત્ર કરવા માટે ના પાડી રહ્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા આ મોટો મેળાવડાનું આયોજન કરવા જઈ રહી છે. વધતા કોરોના કેસને જોતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નિષ્ણાંતો માની રહ્યા છે કે આટલા મોટા મેળાડવા ટાળવા જોઈએ.ત્યારે સરકાર કાંકરિયા કાર્નિવલનું આયોજન કરશે કે નહીં તે અંગે લોકોમાં અસમંજસ જોવા મળી રહ્યો છે.    




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.