કોરોનાની દહેશત વચ્ચે શું AMC કરશે કાંકરિયા કાર્નિવલનું આયોજન??


  • Published By :
  • Published Date : 2022-12-23 15:12:22

કોરોના ફરી એક વખત માથુ ઉંચકી રહ્યું છે. ભારતમાં પણ કોરોના કેસને લઈ સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. બેઠકો પર બેઠકો કરવામાં આવી રહી છે. કોરોના કેસને જોતા ગુજરાત સરકાર પણ એક્ટિવ થઈ છે. કોરોના કેસને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાવાનો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ કાંકરિયા કાર્નિવલ યોજાશે કે નહીં તેને લઈ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.


કોરોના કેસ વધતા તંત્ર દોડતું થયું 

અમદાવાદના કાંકરિયામાં 25થી 31 ડિસેમ્બર દરમિયાન મોટા પાયે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કોરોના સંક્રમણ ઘટતા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ એકાએક કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના કેસમાં ઉછાળો આવતા તંત્ર પણ દોડતું થયું છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે. ગુજરાત સરકારે પણ કોરોનાની ગંભીરતાને લઈ બેઠકનું આયોજન કર્યું હતું. 


શું તંત્ર યોજશે કાંકરિયા કાર્નિવલ?

આવનાર સમયમાં કોરોના કેસમાં પણ વધારો આવી શકે છે. સરકાર પણ કોરોનાને કેવી રીતે અટકાવી શકાય તે માટે વિચારણા કરી રહી છે. આ કાર્નિવલમાં લાખો લોકો ભાગ લેતા હોય છે. એક તરફ સરકાર મોટી સંખ્યામાં એકત્ર કરવા માટે ના પાડી રહ્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા આ મોટો મેળાવડાનું આયોજન કરવા જઈ રહી છે. વધતા કોરોના કેસને જોતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નિષ્ણાંતો માની રહ્યા છે કે આટલા મોટા મેળાડવા ટાળવા જોઈએ.ત્યારે સરકાર કાંકરિયા કાર્નિવલનું આયોજન કરશે કે નહીં તે અંગે લોકોમાં અસમંજસ જોવા મળી રહ્યો છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.