ફરી વધશે ઠંડી કે થશે ગરમીનો અહેસાસ? જાણો હવામાનને લઈ હવામાન વિભાગ તેમજ Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-22 12:48:51

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો ગગડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં જણાય પરંતુ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે જેને લઈ ઠંડીનો અહેસાસ કરવા માટે તૈયાર રહેવું પડશે.


અનેક જિલ્લાઓમાં વરસ્યો હતો કમોસમી વરસાદ!

શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે અને ધીમે ધીમે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરે તાપમાનનો પારો એટલો હોય છે કે જાણે લાગે ઉનાળાની સિઝન થઈ ગઈ હોય. બપોરનો તડકો મીઠો નહીં પરંતુ આકરો લાગે છે.. હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું આવ્યું હતું, આજે પણ અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.


આગામી દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો!

જો નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 21 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 20.4 ડિગ્રી, વડોદરાનું તાપમાન 18 ડિગ્રી આસપાસ નોંધાયું છે. આગામી દિવસો દરમિયાન તાપમાનના પારામાં ઘટાડો આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો આવ્યો છે કારણ કે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. ઠંડા પવન ફૂંકાવાને કારણે તાપમાન ગગડી રહ્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ફેરફાર આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.  


અંબાલાલ કાકાએ પણ ઠંડીને લઈ કરી છે આ આગાહી!

ઠંડીને લઈ હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાની આગાહી અનુસાર ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત આગામી દિવસો દરમિયાન થશે. રાજ્યના અનેક ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. ઉતર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર વધારે અનુભવાશે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે.તે ઉપરાંત  મહેસાણામાં ઠંડીની અસર દેખાશે ઉપરાંત બનાસકાંઠામાં પણ ઠંડીના ચમકારાનો અનુભવ થશે.   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે