ફરી વધશે ઠંડી કે થશે ગરમીનો અહેસાસ? જાણો હવામાનને લઈ હવામાન વિભાગ તેમજ Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-22 12:48:51

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો ગગડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં જણાય પરંતુ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે જેને લઈ ઠંડીનો અહેસાસ કરવા માટે તૈયાર રહેવું પડશે.


અનેક જિલ્લાઓમાં વરસ્યો હતો કમોસમી વરસાદ!

શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે અને ધીમે ધીમે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરે તાપમાનનો પારો એટલો હોય છે કે જાણે લાગે ઉનાળાની સિઝન થઈ ગઈ હોય. બપોરનો તડકો મીઠો નહીં પરંતુ આકરો લાગે છે.. હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું આવ્યું હતું, આજે પણ અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.


આગામી દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો!

જો નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 21 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 20.4 ડિગ્રી, વડોદરાનું તાપમાન 18 ડિગ્રી આસપાસ નોંધાયું છે. આગામી દિવસો દરમિયાન તાપમાનના પારામાં ઘટાડો આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો આવ્યો છે કારણ કે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. ઠંડા પવન ફૂંકાવાને કારણે તાપમાન ગગડી રહ્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ફેરફાર આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.  


અંબાલાલ કાકાએ પણ ઠંડીને લઈ કરી છે આ આગાહી!

ઠંડીને લઈ હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાની આગાહી અનુસાર ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત આગામી દિવસો દરમિયાન થશે. રાજ્યના અનેક ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. ઉતર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર વધારે અનુભવાશે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે.તે ઉપરાંત  મહેસાણામાં ઠંડીની અસર દેખાશે ઉપરાંત બનાસકાંઠામાં પણ ઠંડીના ચમકારાનો અનુભવ થશે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.