ફરી વધશે ઠંડી કે થશે ગરમીનો અહેસાસ? જાણો હવામાનને લઈ હવામાન વિભાગ તેમજ Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-22 12:48:51

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો ગગડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં જણાય પરંતુ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે જેને લઈ ઠંડીનો અહેસાસ કરવા માટે તૈયાર રહેવું પડશે.


અનેક જિલ્લાઓમાં વરસ્યો હતો કમોસમી વરસાદ!

શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે અને ધીમે ધીમે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરે તાપમાનનો પારો એટલો હોય છે કે જાણે લાગે ઉનાળાની સિઝન થઈ ગઈ હોય. બપોરનો તડકો મીઠો નહીં પરંતુ આકરો લાગે છે.. હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું આવ્યું હતું, આજે પણ અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.


આગામી દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો!

જો નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 21 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 20.4 ડિગ્રી, વડોદરાનું તાપમાન 18 ડિગ્રી આસપાસ નોંધાયું છે. આગામી દિવસો દરમિયાન તાપમાનના પારામાં ઘટાડો આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો આવ્યો છે કારણ કે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. ઠંડા પવન ફૂંકાવાને કારણે તાપમાન ગગડી રહ્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ફેરફાર આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.  


અંબાલાલ કાકાએ પણ ઠંડીને લઈ કરી છે આ આગાહી!

ઠંડીને લઈ હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાની આગાહી અનુસાર ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત આગામી દિવસો દરમિયાન થશે. રાજ્યના અનેક ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. ઉતર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર વધારે અનુભવાશે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે.તે ઉપરાંત  મહેસાણામાં ઠંડીની અસર દેખાશે ઉપરાંત બનાસકાંઠામાં પણ ઠંડીના ચમકારાનો અનુભવ થશે.   



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"