ફરી વધશે ઠંડી કે થશે ગરમીનો અહેસાસ? જાણો હવામાનને લઈ હવામાન વિભાગ તેમજ Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-22 12:48:51

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો ગગડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં જણાય પરંતુ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે જેને લઈ ઠંડીનો અહેસાસ કરવા માટે તૈયાર રહેવું પડશે.


અનેક જિલ્લાઓમાં વરસ્યો હતો કમોસમી વરસાદ!

શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે અને ધીમે ધીમે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરે તાપમાનનો પારો એટલો હોય છે કે જાણે લાગે ઉનાળાની સિઝન થઈ ગઈ હોય. બપોરનો તડકો મીઠો નહીં પરંતુ આકરો લાગે છે.. હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું આવ્યું હતું, આજે પણ અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.


આગામી દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો!

જો નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 21 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 20.4 ડિગ્રી, વડોદરાનું તાપમાન 18 ડિગ્રી આસપાસ નોંધાયું છે. આગામી દિવસો દરમિયાન તાપમાનના પારામાં ઘટાડો આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો આવ્યો છે કારણ કે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. ઠંડા પવન ફૂંકાવાને કારણે તાપમાન ગગડી રહ્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ફેરફાર આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.  


અંબાલાલ કાકાએ પણ ઠંડીને લઈ કરી છે આ આગાહી!

ઠંડીને લઈ હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાની આગાહી અનુસાર ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત આગામી દિવસો દરમિયાન થશે. રાજ્યના અનેક ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. ઉતર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર વધારે અનુભવાશે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે.તે ઉપરાંત  મહેસાણામાં ઠંડીની અસર દેખાશે ઉપરાંત બનાસકાંઠામાં પણ ઠંડીના ચમકારાનો અનુભવ થશે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.