Navratriના બીજા દિવસે આવશે વરસાદ? ખેલૈયાઓના રંગને વરસાદ કરશે ભંગ! જાણો Ambalal Patelની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2023-10-16 09:54:51

ચોમાસાની સિઝન પૂર્ણ થઈ ગઈ છે અને ગરબાની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે.  વરસાદને સત્તાવાર રીતે તો વિદાય લઈ લીધી છે પરંતુ હવે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઘણા સમયથી એવી આગાહી કરવામાં આવી રહી હતી કે નવરાત્રી દરમિયાન વરસાદ થવાની શક્યતા છે. નવલા નોરતા દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. એવી પણ આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ ખાતે રમાનારી ભારત પાકિસ્તાન મેચમાં પણ વરસાદ આવશે પરંતુ તે દિવસે મેચના રંગમાં ભંગ પાડવા વરસાદ ન આવ્યો હતો. ત્યારે નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી હજી પણ કરવામાં આવી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે. થોડા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે અરવલ્લીમાં, મહીસાગર ઉપરાંત બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે. હળવા વરસાદની સંભાવના છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામવાનો છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. IMD અનુસાર, 21 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, પુડુચેરી, આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.   

ચક્રવાત આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી 

વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આવનાર દિવસોમાં બિપોરજોય જેવું ચક્રવાત આવશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ કાકાની ગણતરી મુજબ 16 અને 17 ઓક્ટોબર દરમિયાન વરસાદ આવશે. આ તારીખો દરમિયાન આણંદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. 


ગઈકાલે વરસાદે પાડ્યો હતો ખેલૈયાઓના રંગમાં ભંગ 

નવરાત્રી પહેલા જ અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. જૂનાગઢથી વરસાદના દ્રશ્યો સામે આવ્યા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે દાહોદમાં, અરવલ્લીમાં વરસાદ આવ્યો હતો જેને કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. મહીસાગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ થવાને કારણે અનેક પાકો નિષ્ફળ જશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વરસાદ ન થાય તો પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે, અતિશય વરસાદ થાય તો પણ ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે. કમોસમી વરસાદ થાય તો પણ ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.