Navratriના બીજા દિવસે આવશે વરસાદ? ખેલૈયાઓના રંગને વરસાદ કરશે ભંગ! જાણો Ambalal Patelની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2023-10-16 09:54:51

ચોમાસાની સિઝન પૂર્ણ થઈ ગઈ છે અને ગરબાની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે.  વરસાદને સત્તાવાર રીતે તો વિદાય લઈ લીધી છે પરંતુ હવે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઘણા સમયથી એવી આગાહી કરવામાં આવી રહી હતી કે નવરાત્રી દરમિયાન વરસાદ થવાની શક્યતા છે. નવલા નોરતા દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. એવી પણ આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ ખાતે રમાનારી ભારત પાકિસ્તાન મેચમાં પણ વરસાદ આવશે પરંતુ તે દિવસે મેચના રંગમાં ભંગ પાડવા વરસાદ ન આવ્યો હતો. ત્યારે નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી હજી પણ કરવામાં આવી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે. થોડા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે અરવલ્લીમાં, મહીસાગર ઉપરાંત બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે. હળવા વરસાદની સંભાવના છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામવાનો છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. IMD અનુસાર, 21 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, પુડુચેરી, આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.   

ચક્રવાત આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી 

વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આવનાર દિવસોમાં બિપોરજોય જેવું ચક્રવાત આવશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ કાકાની ગણતરી મુજબ 16 અને 17 ઓક્ટોબર દરમિયાન વરસાદ આવશે. આ તારીખો દરમિયાન આણંદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. 


ગઈકાલે વરસાદે પાડ્યો હતો ખેલૈયાઓના રંગમાં ભંગ 

નવરાત્રી પહેલા જ અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. જૂનાગઢથી વરસાદના દ્રશ્યો સામે આવ્યા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે દાહોદમાં, અરવલ્લીમાં વરસાદ આવ્યો હતો જેને કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. મહીસાગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ થવાને કારણે અનેક પાકો નિષ્ફળ જશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વરસાદ ન થાય તો પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે, અતિશય વરસાદ થાય તો પણ ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે. કમોસમી વરસાદ થાય તો પણ ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.