શું હવે આ તારીખે લેવાશે તલાટીની પરીક્ષા? હસમુખ પટેલે ટ્વિટ કરી આપી જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-03-24 14:12:35

પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલની ટ્વિટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા સરકાર કટિબદ્ધ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી એપ્રિલ મહિનામાં યોજાનારી તલાટીની પરીક્ષાની નવી સંભવિત તારીખ જાહેરાત કરવામાં આવી છે. ટ્વિટ મુજબ પરીક્ષા 23 એપ્રિલે નહીં પરંતુ 30 એપ્રિલના રોજ યોજાઈ શકે છે.


23 એપ્રિલના રોજ યોજાવાની હતી પરીક્ષા 

ઉલ્લેખનિય છે કે આ પહેલા એવા સમાચાર આવ્યાં હતા કે આ પરીક્ષા 23 એપ્રિલે લેવાની સંભાવના છે, પણ હસમુખ પટેલના આ ટ્વિટ બાદ એ સંભાવનાઓ હવે રહી જ નથી કે 23 એપ્રિલે આ પરીક્ષા લેવાશે, તેને બદલે હવે 30 એપ્રિલે આ તલાટીની પરીક્ષાઓ લેવાય તેવી સંપૂર્ણેપણે સંભાવના દેખાઈ રહી છે. 


આટલા ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી 

પસંદગી મંડળ દ્વારા લેવાતી આ ક્લાસ થ્રીની પરીક્ષાઓ રાજ્યના 33 જિલ્લામાં 3437 જગ્યા પર ભરતી માટે આ પરીક્ષાઓ લેવામાં આવશે, આ પરીક્ષાઓ માટે જાન્યુઆરી 2022માં કુલ 23 લાખ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી હાલ માત્ર 17.20 લાખ જેટલા ફોર્મને જ માન્ય રખાયા છે, જ્યારે બાકીના ફોર્મને યોગ્ય લાયકતા પૂરી ન કરવાને કારણે અને એક કરતાં વધુ વખત ફોર્મ ભરવાને કારણે આ ફોર્મ્સ રદ્દ કરવામાં આવ્યાં હતા, જેથી મંડળને હાલ આ પરીક્ષા લેવા માટે કુલ 61 હજાર જેટલાં વર્ગખંડોની જરુર પડવાની છે, અને તે માટે IPS હસમુખ પટેલે કહ્યું એ મુજબ મંડળ હાલ પરીક્ષાના કેન્દ્રો ફાઈનલ કરવા માટે કામ કરી રહ્યું છે, જો એ કેન્દ્ર ફાઈનલ થઈ જશે, તે પછી આવનારા દિવસોમાં 30 એપ્રિલને જ એ પરીક્ષાની ફાઈનલ ડેટ ડિક્લેર કરવામાં આવી શકે,




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.