શું હવે આ તારીખે લેવાશે તલાટીની પરીક્ષા? હસમુખ પટેલે ટ્વિટ કરી આપી જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-03-24 14:12:35

પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલની ટ્વિટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા સરકાર કટિબદ્ધ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી એપ્રિલ મહિનામાં યોજાનારી તલાટીની પરીક્ષાની નવી સંભવિત તારીખ જાહેરાત કરવામાં આવી છે. ટ્વિટ મુજબ પરીક્ષા 23 એપ્રિલે નહીં પરંતુ 30 એપ્રિલના રોજ યોજાઈ શકે છે.


23 એપ્રિલના રોજ યોજાવાની હતી પરીક્ષા 

ઉલ્લેખનિય છે કે આ પહેલા એવા સમાચાર આવ્યાં હતા કે આ પરીક્ષા 23 એપ્રિલે લેવાની સંભાવના છે, પણ હસમુખ પટેલના આ ટ્વિટ બાદ એ સંભાવનાઓ હવે રહી જ નથી કે 23 એપ્રિલે આ પરીક્ષા લેવાશે, તેને બદલે હવે 30 એપ્રિલે આ તલાટીની પરીક્ષાઓ લેવાય તેવી સંપૂર્ણેપણે સંભાવના દેખાઈ રહી છે. 


આટલા ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી 

પસંદગી મંડળ દ્વારા લેવાતી આ ક્લાસ થ્રીની પરીક્ષાઓ રાજ્યના 33 જિલ્લામાં 3437 જગ્યા પર ભરતી માટે આ પરીક્ષાઓ લેવામાં આવશે, આ પરીક્ષાઓ માટે જાન્યુઆરી 2022માં કુલ 23 લાખ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી હાલ માત્ર 17.20 લાખ જેટલા ફોર્મને જ માન્ય રખાયા છે, જ્યારે બાકીના ફોર્મને યોગ્ય લાયકતા પૂરી ન કરવાને કારણે અને એક કરતાં વધુ વખત ફોર્મ ભરવાને કારણે આ ફોર્મ્સ રદ્દ કરવામાં આવ્યાં હતા, જેથી મંડળને હાલ આ પરીક્ષા લેવા માટે કુલ 61 હજાર જેટલાં વર્ગખંડોની જરુર પડવાની છે, અને તે માટે IPS હસમુખ પટેલે કહ્યું એ મુજબ મંડળ હાલ પરીક્ષાના કેન્દ્રો ફાઈનલ કરવા માટે કામ કરી રહ્યું છે, જો એ કેન્દ્ર ફાઈનલ થઈ જશે, તે પછી આવનારા દિવસોમાં 30 એપ્રિલને જ એ પરીક્ષાની ફાઈનલ ડેટ ડિક્લેર કરવામાં આવી શકે,




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.