શું હવે આ તારીખે લેવાશે તલાટીની પરીક્ષા? હસમુખ પટેલે ટ્વિટ કરી આપી જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-03-24 14:12:35

પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલની ટ્વિટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા સરકાર કટિબદ્ધ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી એપ્રિલ મહિનામાં યોજાનારી તલાટીની પરીક્ષાની નવી સંભવિત તારીખ જાહેરાત કરવામાં આવી છે. ટ્વિટ મુજબ પરીક્ષા 23 એપ્રિલે નહીં પરંતુ 30 એપ્રિલના રોજ યોજાઈ શકે છે.


23 એપ્રિલના રોજ યોજાવાની હતી પરીક્ષા 

ઉલ્લેખનિય છે કે આ પહેલા એવા સમાચાર આવ્યાં હતા કે આ પરીક્ષા 23 એપ્રિલે લેવાની સંભાવના છે, પણ હસમુખ પટેલના આ ટ્વિટ બાદ એ સંભાવનાઓ હવે રહી જ નથી કે 23 એપ્રિલે આ પરીક્ષા લેવાશે, તેને બદલે હવે 30 એપ્રિલે આ તલાટીની પરીક્ષાઓ લેવાય તેવી સંપૂર્ણેપણે સંભાવના દેખાઈ રહી છે. 


આટલા ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી 

પસંદગી મંડળ દ્વારા લેવાતી આ ક્લાસ થ્રીની પરીક્ષાઓ રાજ્યના 33 જિલ્લામાં 3437 જગ્યા પર ભરતી માટે આ પરીક્ષાઓ લેવામાં આવશે, આ પરીક્ષાઓ માટે જાન્યુઆરી 2022માં કુલ 23 લાખ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી હાલ માત્ર 17.20 લાખ જેટલા ફોર્મને જ માન્ય રખાયા છે, જ્યારે બાકીના ફોર્મને યોગ્ય લાયકતા પૂરી ન કરવાને કારણે અને એક કરતાં વધુ વખત ફોર્મ ભરવાને કારણે આ ફોર્મ્સ રદ્દ કરવામાં આવ્યાં હતા, જેથી મંડળને હાલ આ પરીક્ષા લેવા માટે કુલ 61 હજાર જેટલાં વર્ગખંડોની જરુર પડવાની છે, અને તે માટે IPS હસમુખ પટેલે કહ્યું એ મુજબ મંડળ હાલ પરીક્ષાના કેન્દ્રો ફાઈનલ કરવા માટે કામ કરી રહ્યું છે, જો એ કેન્દ્ર ફાઈનલ થઈ જશે, તે પછી આવનારા દિવસોમાં 30 એપ્રિલને જ એ પરીક્ષાની ફાઈનલ ડેટ ડિક્લેર કરવામાં આવી શકે,




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે