કરણી સેનાના અલ્ટિમેટમ બાદ શું સરકાર લેશે કોઈ પગલા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 13:30:09

ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી આંદોલનો ચાલી રહ્યા છે. સરકાર અનેક આંદોલનને શાંત કરવામાં સફળ ગઈ છે . ત્યારે હવે બનાસકાંઠામાં ગૌ-શાળા સંચાલકો સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. 500 કરોડ સહાય આપવાની જાહેરાત બાદ પણ હજી સુધી પૈસા ન મળતા તેઓ રોષે ભરાયા છે. સરકાર દ્વારા સહાય ન મળતા તેઓ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. પોતાના આંદોલનને વેગ આપવા અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે. હવે તેમના સમર્થનમાં કરણી સેના આવી છે. સરકારને અલ્ટિમેટમ આપી સરકારને પ્રેશરમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  



કરણી સેનાએ સરકારને આપ્યું અલ્ટિમેટમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતમાં આંદોલનોનો દોર શરૂ થઈ ગયો હતો. અનેક કર્મચારીઓએ પોતાની પડતર માગણીને લઈ વિરોધ નોંધાવ્યો હતો. મામલાને શાંત પાડી સરકારે થોડો રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે હવે બનાસકાંઠામાં ગૌ-શાળા સંચાલકો વિરોધ કરી રહ્યા છે. આ આંદોલનને સમર્થન આપવા કરણી સેના પણ પહોંચી છે. કરણી સેનાએ સમર્થનમાં આવી સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહે કહ્યું કે ગુજરાત સરકારને 30 દિવસ સુધીનો સમય આપીએ છીએ. ગૌ-સેવા માટે જાહેર કરવામાં આવેલ 500 કરોડની સહાય નહીં મળે ત્યાં સુધી અમે તેમના સમર્થનમાં રહીશું. 

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના , સૌરાષ્ટ્ર પ્રાંત - Home | Facebook


અનેક વખત ગૌ-શાળા સંચાલકો આપી ચૂક્યા છે ચેતવણી

સરકાર દ્વારા સહાયની જાહેરાત કર્યા બાદ પણ 500 કરોડ ન મળતા ગૌ-શાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. સરકાર તેમણે જલ્દી સહાય આપે તે માટે તેમણે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. સમય અવધી પૂરી થતા ગૌ-શાળા સંચાલકોએ પોતાની ગાયોને રસ્તા પર છોડી મૂકી હતી. પરંતુ તે બાદ પણ સહાય ન મળતા સામુહિક મુંડન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 101 લોકોએ મુંડન કરાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.