કરણી સેનાના અલ્ટિમેટમ બાદ શું સરકાર લેશે કોઈ પગલા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 13:30:09

ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી આંદોલનો ચાલી રહ્યા છે. સરકાર અનેક આંદોલનને શાંત કરવામાં સફળ ગઈ છે . ત્યારે હવે બનાસકાંઠામાં ગૌ-શાળા સંચાલકો સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. 500 કરોડ સહાય આપવાની જાહેરાત બાદ પણ હજી સુધી પૈસા ન મળતા તેઓ રોષે ભરાયા છે. સરકાર દ્વારા સહાય ન મળતા તેઓ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. પોતાના આંદોલનને વેગ આપવા અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે. હવે તેમના સમર્થનમાં કરણી સેના આવી છે. સરકારને અલ્ટિમેટમ આપી સરકારને પ્રેશરમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  



કરણી સેનાએ સરકારને આપ્યું અલ્ટિમેટમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતમાં આંદોલનોનો દોર શરૂ થઈ ગયો હતો. અનેક કર્મચારીઓએ પોતાની પડતર માગણીને લઈ વિરોધ નોંધાવ્યો હતો. મામલાને શાંત પાડી સરકારે થોડો રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે હવે બનાસકાંઠામાં ગૌ-શાળા સંચાલકો વિરોધ કરી રહ્યા છે. આ આંદોલનને સમર્થન આપવા કરણી સેના પણ પહોંચી છે. કરણી સેનાએ સમર્થનમાં આવી સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહે કહ્યું કે ગુજરાત સરકારને 30 દિવસ સુધીનો સમય આપીએ છીએ. ગૌ-સેવા માટે જાહેર કરવામાં આવેલ 500 કરોડની સહાય નહીં મળે ત્યાં સુધી અમે તેમના સમર્થનમાં રહીશું. 

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના , સૌરાષ્ટ્ર પ્રાંત - Home | Facebook


અનેક વખત ગૌ-શાળા સંચાલકો આપી ચૂક્યા છે ચેતવણી

સરકાર દ્વારા સહાયની જાહેરાત કર્યા બાદ પણ 500 કરોડ ન મળતા ગૌ-શાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. સરકાર તેમણે જલ્દી સહાય આપે તે માટે તેમણે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. સમય અવધી પૂરી થતા ગૌ-શાળા સંચાલકોએ પોતાની ગાયોને રસ્તા પર છોડી મૂકી હતી. પરંતુ તે બાદ પણ સહાય ન મળતા સામુહિક મુંડન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 101 લોકોએ મુંડન કરાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.