Maldhariની પીડા સમજશે સરકાર? ઢોરવાડામાં પશુઓને છોડાવવા આવેલા માલધારીએ વર્ણવી પીડા, આંખોમાંથી છલકાતા આંસુ ઘણું બધું કહી દે છે!


  • Published By :
  • Published Date : 2023-09-09 18:16:29

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરનો મુદ્દે ગરમાઈ રહ્યો છે. રસ્તા પર રખડતા પશુનો ભોગ અનેક લોકોને, અનેક રાહદારીઓને બનવું પડતું હોય છે. અનેક લોકોના મોત પણ ગાયોની અડફેટે આવતા થઈ જતા હોય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ ગુજરાતમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઝુંબેશ ચાલી રહી છે રખડતા પશુઓને પકડવાની. ત્યારે ઢોરવાડાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પકડાયેલી ગાયોને જે સ્થિતિમાં રાખવામાં આવે છે તે ખુબ દયનિય છે. ગાય માટે પૂરતી જગ્યા નથી.

 

ચૂંટણી સમયે યાદ આવતી ગાય ચૂંટણી બાદ તમાશો બની જાય છે! 

આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગાયને માતાની જેમ પૂજવામાં આવે છે. ગાયોના નામ પર અનેક વખત વોટ પણ માગવામાં આવે છે. ચૂંટણીનો મુદ્દો પણ ગાયોને બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ જાય તે બાદ? ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ગાય એક સમસ્યા બની જાય છે. એ વાતનો ઈન્કાર ન કરી શકીએ કે રસ્તા પર જોવા મળતા રખડતા પશુઓને કારણે લોકોના જીવ પર ખતરો નથી. ખતરો તો છે, પરંતુ ગાયને જીવવાનો અધિકાર પણ છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને દયા આવી રહી છે. ગાયોને જે પરિસ્થિતિમાં રાખવામાં આવી છે તે ખૂબ દયનીય છે. 

માલધારીઓએ રડતા રડતા પોતાની વેદના રજૂ કરી 

ઢોરવાડાનો વીડિયો સામે આવ્યા બાદ જ્યારે જમાવટની ટીમે માલધારી લોકોનો સંપર્ક કર્યો હતો, તેમની પીડાને જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમના દ્વારા કહેવાયા શબ્દોમાં તેમની પીડા દેખાઈ રહી હતી. ગાયને છોડાવવા માટે આવેલા માલધારી દાદાએ રડતા રડતા પોતાની પીડાને વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પોલીસ અને કોર્પોરેશન અમને દબાવે છે અને મારવા આવે છે. 50 -50 લાખોની ગાયોની જવાબદારી કોર્પોરેશન નથી લેતું. તે સિવાય માલધારી સમાજના લોકોએ ગોચર જમીનની માગ સરકાર પાસે કરી છે. તેમણે કહ્યું કે ગાયો અમારૂં ધન છે અને અમારી સામે એ ધન લૂંટાઈ રહ્યું છે... 

લોકોના જીવન પર રહેતું હોય છે રખડતા ઢોરને કારણે સંકટ         

મહત્વનું છે કે માલધારીઓની સમસ્યા અંગે સરકાર નથી સમજી રહી તો બીજી તરફ સામાન્ય નાગરિકોની પીડાને પણ નથી સમજી રહી. રસ્તા પર રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ટીમ રખડતા ઢોરને પકડવા આવે છે ત્યારે જે રીતે ઢોર માલિકો પશુને દોડાવે છે તેને કારણે લોકોના જીવન પર સંકટ તોળાતું હોય છે. ત્યારે એવો કોઈ માર્ગ નિકળે કે માલધારી સમાજના લોકોને પણ નુકસાન ન થાય, ગાયોને પણ નુકસાન ન થાય અને સામાન્ય નાગરીકને પણ ભોગવવાનો વારો ન આવે...!  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.