આગામી દિવસોમાં કરવો પડશે પંખો કે પહેરવું પડશે સ્વેટર? જાણો હવામાન વિભાગે આગામી દિવસો માટે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-16 16:45:18

હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાતના સમયે ઠંડી લાગે છે પરંતુ બપોરના સમયે ગરમી થતી હોય છે જેને કારણે પંખો કરવો પડે છે. એવી આગાહી કરવામાં આવી હતી કે 15 તારીખ બાદ ગરમીનો અહેસાસ થશે પરંતુ હવે એવી આગાહી કરવામાં આવી છે કે ઠંડીનો અહેસાસ થશે. આગામી દિવસો દરમિયાન તાપમાન ઘટી શકે છે અને ફરીથી એક વખત ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગ દ્વારા આગહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીંવત છે અને આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો ગગડશે. આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સુકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા,

Heat rises in Gujarat, mercury rises to 8 degrees | 'શીત યુદ્ધ'નો અંત,  મેમાં સૌથી વધુ લૂ ફૂંકાશે: ગુજરાતમાં ગરમી વધી, પારો 8 ડિગ્રી સુધી વધ્યો -  Ahmedabad News | Divya Bhaskar

આગામી દિવસોમાં તાપમાનમાં નહીં આવે વધારે મોટો ફેરફાર 

ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં બપોરના સમયે એટલી ગરમી પડે છે કે પંખો કરવો પડે છે. બપોરના સમયે તડકો હોય છે પરંતુ સવારે તેમજ રાતના સમયે ઠંડો પવન ફૂંકાતો હોય છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે પંખો કરવો પડે છે જ્યારે રાત્રીના સમયે ધાબળા ઓઢવા પડે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાન ડ્રાય રહેશે, તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સાથે સાથે એવી પણ આગાહી કરવામાં આવી છે કે બે દિવસ બાદ તાપમાન ગગડી શકે છે. 

ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો.... - Eagle News

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

20 ડિગ્રીથી ઓછું તાપમાન રાજ્યના અનેક વિસ્તારોનું નોંધાયું છે.  જો નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 18.9 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયાનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જે પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અહેસાસ થયો હતો તે જોતા લાગે છે કે આ વખતનો ઉનાળો આકરો રહી શકે છે. આ વખતની ગરમી અનેક રેકોર્ડ તોડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.