આગામી દિવસોમાં કરવો પડશે પંખો કે પહેરવું પડશે સ્વેટર? જાણો હવામાન વિભાગે આગામી દિવસો માટે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-16 16:45:18

હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાતના સમયે ઠંડી લાગે છે પરંતુ બપોરના સમયે ગરમી થતી હોય છે જેને કારણે પંખો કરવો પડે છે. એવી આગાહી કરવામાં આવી હતી કે 15 તારીખ બાદ ગરમીનો અહેસાસ થશે પરંતુ હવે એવી આગાહી કરવામાં આવી છે કે ઠંડીનો અહેસાસ થશે. આગામી દિવસો દરમિયાન તાપમાન ઘટી શકે છે અને ફરીથી એક વખત ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગ દ્વારા આગહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીંવત છે અને આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો ગગડશે. આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સુકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા,

Heat rises in Gujarat, mercury rises to 8 degrees | 'શીત યુદ્ધ'નો અંત,  મેમાં સૌથી વધુ લૂ ફૂંકાશે: ગુજરાતમાં ગરમી વધી, પારો 8 ડિગ્રી સુધી વધ્યો -  Ahmedabad News | Divya Bhaskar

આગામી દિવસોમાં તાપમાનમાં નહીં આવે વધારે મોટો ફેરફાર 

ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં બપોરના સમયે એટલી ગરમી પડે છે કે પંખો કરવો પડે છે. બપોરના સમયે તડકો હોય છે પરંતુ સવારે તેમજ રાતના સમયે ઠંડો પવન ફૂંકાતો હોય છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે પંખો કરવો પડે છે જ્યારે રાત્રીના સમયે ધાબળા ઓઢવા પડે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાન ડ્રાય રહેશે, તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સાથે સાથે એવી પણ આગાહી કરવામાં આવી છે કે બે દિવસ બાદ તાપમાન ગગડી શકે છે. 

ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો.... - Eagle News

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

20 ડિગ્રીથી ઓછું તાપમાન રાજ્યના અનેક વિસ્તારોનું નોંધાયું છે.  જો નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 18.9 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયાનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જે પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અહેસાસ થયો હતો તે જોતા લાગે છે કે આ વખતનો ઉનાળો આકરો રહી શકે છે. આ વખતની ગરમી અનેક રેકોર્ડ તોડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.