આગામી દિવસોમાં કરવો પડશે પંખો કે પહેરવું પડશે સ્વેટર? જાણો હવામાન વિભાગે આગામી દિવસો માટે શું કરી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-16 16:45:18

હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાતના સમયે ઠંડી લાગે છે પરંતુ બપોરના સમયે ગરમી થતી હોય છે જેને કારણે પંખો કરવો પડે છે. એવી આગાહી કરવામાં આવી હતી કે 15 તારીખ બાદ ગરમીનો અહેસાસ થશે પરંતુ હવે એવી આગાહી કરવામાં આવી છે કે ઠંડીનો અહેસાસ થશે. આગામી દિવસો દરમિયાન તાપમાન ઘટી શકે છે અને ફરીથી એક વખત ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગ દ્વારા આગહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીંવત છે અને આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો ગગડશે. આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સુકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા,

Heat rises in Gujarat, mercury rises to 8 degrees | 'શીત યુદ્ધ'નો અંત,  મેમાં સૌથી વધુ લૂ ફૂંકાશે: ગુજરાતમાં ગરમી વધી, પારો 8 ડિગ્રી સુધી વધ્યો -  Ahmedabad News | Divya Bhaskar

આગામી દિવસોમાં તાપમાનમાં નહીં આવે વધારે મોટો ફેરફાર 

ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં બપોરના સમયે એટલી ગરમી પડે છે કે પંખો કરવો પડે છે. બપોરના સમયે તડકો હોય છે પરંતુ સવારે તેમજ રાતના સમયે ઠંડો પવન ફૂંકાતો હોય છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે પંખો કરવો પડે છે જ્યારે રાત્રીના સમયે ધાબળા ઓઢવા પડે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાન ડ્રાય રહેશે, તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સાથે સાથે એવી પણ આગાહી કરવામાં આવી છે કે બે દિવસ બાદ તાપમાન ગગડી શકે છે. 

ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો.... - Eagle News

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

20 ડિગ્રીથી ઓછું તાપમાન રાજ્યના અનેક વિસ્તારોનું નોંધાયું છે.  જો નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 18.9 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયાનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જે પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અહેસાસ થયો હતો તે જોતા લાગે છે કે આ વખતનો ઉનાળો આકરો રહી શકે છે. આ વખતની ગરમી અનેક રેકોર્ડ તોડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.  




ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.