આગામી દિવસોમાં કરવો પડશે પંખો કે પહેરવું પડશે સ્વેટર? જાણો હવામાન વિભાગે આગામી દિવસો માટે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-16 16:45:18

હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાતના સમયે ઠંડી લાગે છે પરંતુ બપોરના સમયે ગરમી થતી હોય છે જેને કારણે પંખો કરવો પડે છે. એવી આગાહી કરવામાં આવી હતી કે 15 તારીખ બાદ ગરમીનો અહેસાસ થશે પરંતુ હવે એવી આગાહી કરવામાં આવી છે કે ઠંડીનો અહેસાસ થશે. આગામી દિવસો દરમિયાન તાપમાન ઘટી શકે છે અને ફરીથી એક વખત ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગ દ્વારા આગહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીંવત છે અને આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો ગગડશે. આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સુકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા,

Heat rises in Gujarat, mercury rises to 8 degrees | 'શીત યુદ્ધ'નો અંત,  મેમાં સૌથી વધુ લૂ ફૂંકાશે: ગુજરાતમાં ગરમી વધી, પારો 8 ડિગ્રી સુધી વધ્યો -  Ahmedabad News | Divya Bhaskar

આગામી દિવસોમાં તાપમાનમાં નહીં આવે વધારે મોટો ફેરફાર 

ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં બપોરના સમયે એટલી ગરમી પડે છે કે પંખો કરવો પડે છે. બપોરના સમયે તડકો હોય છે પરંતુ સવારે તેમજ રાતના સમયે ઠંડો પવન ફૂંકાતો હોય છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે પંખો કરવો પડે છે જ્યારે રાત્રીના સમયે ધાબળા ઓઢવા પડે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાન ડ્રાય રહેશે, તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સાથે સાથે એવી પણ આગાહી કરવામાં આવી છે કે બે દિવસ બાદ તાપમાન ગગડી શકે છે. 

ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો.... - Eagle News

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

20 ડિગ્રીથી ઓછું તાપમાન રાજ્યના અનેક વિસ્તારોનું નોંધાયું છે.  જો નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 18.9 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયાનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જે પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અહેસાસ થયો હતો તે જોતા લાગે છે કે આ વખતનો ઉનાળો આકરો રહી શકે છે. આ વખતની ગરમી અનેક રેકોર્ડ તોડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.  




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે