Diwali દરમિયાન STમાં ઘરે જતી વખતે આ લોકોને કરજો વિશ, Harsh Sanghviએ લોકોને કરી આ અપીલ, લખ્યું....


  • Published By :
  • Published Date : 2023-11-10 12:22:15

દિવાળી પર્વના તહેવારોની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. આજે ધનતેરસની ઉજવણી થશે, તો આવતીકાલે કાળી ચૌદસ અને રવિવારે દિવાળીની ઉજવણી થશે. પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે તો તે તહેવારની ઉજવણી બમણી થઈ જતી હોય છે. તહેવાર દરમિયાન અનેક નોકરિયાતોને દિવાળીની રજાઓ આપવામાં આવતી હોય છે. બીજા શહેરમાં રહેતા લોકો પોતાના ઘરે, પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે પરંતુ અનેક પ્રોફેશન, અનેક જોબ એવી હોય છે જેમાં દિવાળીની રજા નથી હોતી. ડોક્ટર, પોલીસકર્મીઓનું પ્રોફેશન એવું છે, મીડિયાકર્મીઓનું પ્રોફેશન એવું હોય છે ઉપરાંત એસટી વિભાગના કર્મચારીઓ એવા હોય છે જે દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે નથી મનાવતા.

અનેક કર્મીઓ દિવાળીની ઉજવણી ફરજ પર મનાવે છે!

પરિવાર સાથે જ્યારે સુખ વહેંચવામાં આવે ત્યારે તે બમણું થઈ જતું હોય છે અને જ્યારે દુખ વહેચવામાં આવે છે ત્યારે તે દુખ અડધું થઈ જતું હોય છે. પરિવાર વગર દરેક તહેવાર અધૂરા લાગે છે. જો કોઈ વ્યક્તિ પરિવારથી દૂર રહેતો હોય તો તેને પરિવારની યાદ આવા સમય પર આવતી હોય છે. પરિવાર સાથે તહેવાર લોકો મનાવી શકે તે માટે અનેક જગ્યાઓ પર દિવાળીની રજાઓ જાહેર કરવામાં આવે છે પરંતુ અનેક પ્રોફેશન એવા હોય છે જેમાં દિવાળી સમયે રજા નથી હોતી. તે કર્મીઓ પોતાની દિવાળી, બેસતુ વર્ષની ઉજવણી ફરજ પર કરતા હોય છે. તેવો એક વર્ગ છે એસટી બસના કર્મચારીઓનો. લોકો તેમના ઘર સુધી પહોંચી શકે તે માટે અનેક એસટી બસની સુવિધા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. એક્સટ્રા બસ મૂકવામાં આવી છે. 


હર્ષ સંઘવીએ વીડિયો શેર કર્યો અને કહ્યું કે... 

એસટી વિભાગના કર્મચારી પગાર વધારાની માગ કરી રહ્યા હતા. તેમનો પગાર વધારવામાં આવે તેવી તેમની માગ હતી. દિવાળી પહેલા સરકારે તેમની માગ સ્વીકારી લીધી અને તેમનો પગાર વધારો થઈ ગયો. હડતાળ પર ઉતરે તે પહેલા તેમની માગ સંતોષાઈ તેનો આનંદ કર્મીઓમાં હતો. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ એક ટ્વિટ કરી છે જેનો અમલ કદાચ દેરેકે કરવો જોઈએ. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે પ્રિય ગુજરાતવાસિયો, જ્યારે દિવાળી પર તમે ઘરે જાઓ ત્યારે ડ્રાઈવર અને કંડક્ટરને પણ દિવાળીની શુભકામના આપો કારણ કે તેમનો પરિવાર તમે જ છો! 

નાના માણસોને પણ દિવાળી કરવી જોઈએ વિશ! 

હર્ષ સંઘવીએ એસટી કર્મચારીઓની વાત કરી પરંતુ દરેક નાના માણસને આવા તહેવાર દરમિયાન યાદ કરવા જોઈએ. રસ્તા પર કચરો ઉપાડતા લોકોને પણ દિવાળીની શુભકામના પાઠવવી જોઈએ, સિક્યુરિટી ગાર્ડને પણ શુભેચ્છા પાઠવી જોઈએ. તેમને શુભકામના પાઠવવાથી આપણે નાના નથી થઈ જતા પરંતુ જ્યારે તેમને આપણે દિવાળી વિશ કરીએ છીએ ત્યારે તેમના ચહેરા પર આવેલો આનંદ આપણને અંદરથી ખૂશી આપી જાય છે!      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.