Diwali દરમિયાન STમાં ઘરે જતી વખતે આ લોકોને કરજો વિશ, Harsh Sanghviએ લોકોને કરી આ અપીલ, લખ્યું....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-10 12:22:15

દિવાળી પર્વના તહેવારોની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. આજે ધનતેરસની ઉજવણી થશે, તો આવતીકાલે કાળી ચૌદસ અને રવિવારે દિવાળીની ઉજવણી થશે. પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે તો તે તહેવારની ઉજવણી બમણી થઈ જતી હોય છે. તહેવાર દરમિયાન અનેક નોકરિયાતોને દિવાળીની રજાઓ આપવામાં આવતી હોય છે. બીજા શહેરમાં રહેતા લોકો પોતાના ઘરે, પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે પરંતુ અનેક પ્રોફેશન, અનેક જોબ એવી હોય છે જેમાં દિવાળીની રજા નથી હોતી. ડોક્ટર, પોલીસકર્મીઓનું પ્રોફેશન એવું છે, મીડિયાકર્મીઓનું પ્રોફેશન એવું હોય છે ઉપરાંત એસટી વિભાગના કર્મચારીઓ એવા હોય છે જે દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે નથી મનાવતા.

અનેક કર્મીઓ દિવાળીની ઉજવણી ફરજ પર મનાવે છે!

પરિવાર સાથે જ્યારે સુખ વહેંચવામાં આવે ત્યારે તે બમણું થઈ જતું હોય છે અને જ્યારે દુખ વહેચવામાં આવે છે ત્યારે તે દુખ અડધું થઈ જતું હોય છે. પરિવાર વગર દરેક તહેવાર અધૂરા લાગે છે. જો કોઈ વ્યક્તિ પરિવારથી દૂર રહેતો હોય તો તેને પરિવારની યાદ આવા સમય પર આવતી હોય છે. પરિવાર સાથે તહેવાર લોકો મનાવી શકે તે માટે અનેક જગ્યાઓ પર દિવાળીની રજાઓ જાહેર કરવામાં આવે છે પરંતુ અનેક પ્રોફેશન એવા હોય છે જેમાં દિવાળી સમયે રજા નથી હોતી. તે કર્મીઓ પોતાની દિવાળી, બેસતુ વર્ષની ઉજવણી ફરજ પર કરતા હોય છે. તેવો એક વર્ગ છે એસટી બસના કર્મચારીઓનો. લોકો તેમના ઘર સુધી પહોંચી શકે તે માટે અનેક એસટી બસની સુવિધા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. એક્સટ્રા બસ મૂકવામાં આવી છે. 


હર્ષ સંઘવીએ વીડિયો શેર કર્યો અને કહ્યું કે... 

એસટી વિભાગના કર્મચારી પગાર વધારાની માગ કરી રહ્યા હતા. તેમનો પગાર વધારવામાં આવે તેવી તેમની માગ હતી. દિવાળી પહેલા સરકારે તેમની માગ સ્વીકારી લીધી અને તેમનો પગાર વધારો થઈ ગયો. હડતાળ પર ઉતરે તે પહેલા તેમની માગ સંતોષાઈ તેનો આનંદ કર્મીઓમાં હતો. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ એક ટ્વિટ કરી છે જેનો અમલ કદાચ દેરેકે કરવો જોઈએ. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે પ્રિય ગુજરાતવાસિયો, જ્યારે દિવાળી પર તમે ઘરે જાઓ ત્યારે ડ્રાઈવર અને કંડક્ટરને પણ દિવાળીની શુભકામના આપો કારણ કે તેમનો પરિવાર તમે જ છો! 

નાના માણસોને પણ દિવાળી કરવી જોઈએ વિશ! 

હર્ષ સંઘવીએ એસટી કર્મચારીઓની વાત કરી પરંતુ દરેક નાના માણસને આવા તહેવાર દરમિયાન યાદ કરવા જોઈએ. રસ્તા પર કચરો ઉપાડતા લોકોને પણ દિવાળીની શુભકામના પાઠવવી જોઈએ, સિક્યુરિટી ગાર્ડને પણ શુભેચ્છા પાઠવી જોઈએ. તેમને શુભકામના પાઠવવાથી આપણે નાના નથી થઈ જતા પરંતુ જ્યારે તેમને આપણે દિવાળી વિશ કરીએ છીએ ત્યારે તેમના ચહેરા પર આવેલો આનંદ આપણને અંદરથી ખૂશી આપી જાય છે!      



વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..

ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ધ્રોલ ખાતે પણ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો...