Diwali દરમિયાન STમાં ઘરે જતી વખતે આ લોકોને કરજો વિશ, Harsh Sanghviએ લોકોને કરી આ અપીલ, લખ્યું....


  • Published By :
  • Published Date : 2023-11-10 12:22:15

દિવાળી પર્વના તહેવારોની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. આજે ધનતેરસની ઉજવણી થશે, તો આવતીકાલે કાળી ચૌદસ અને રવિવારે દિવાળીની ઉજવણી થશે. પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે તો તે તહેવારની ઉજવણી બમણી થઈ જતી હોય છે. તહેવાર દરમિયાન અનેક નોકરિયાતોને દિવાળીની રજાઓ આપવામાં આવતી હોય છે. બીજા શહેરમાં રહેતા લોકો પોતાના ઘરે, પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે પરંતુ અનેક પ્રોફેશન, અનેક જોબ એવી હોય છે જેમાં દિવાળીની રજા નથી હોતી. ડોક્ટર, પોલીસકર્મીઓનું પ્રોફેશન એવું છે, મીડિયાકર્મીઓનું પ્રોફેશન એવું હોય છે ઉપરાંત એસટી વિભાગના કર્મચારીઓ એવા હોય છે જે દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે નથી મનાવતા.

અનેક કર્મીઓ દિવાળીની ઉજવણી ફરજ પર મનાવે છે!

પરિવાર સાથે જ્યારે સુખ વહેંચવામાં આવે ત્યારે તે બમણું થઈ જતું હોય છે અને જ્યારે દુખ વહેચવામાં આવે છે ત્યારે તે દુખ અડધું થઈ જતું હોય છે. પરિવાર વગર દરેક તહેવાર અધૂરા લાગે છે. જો કોઈ વ્યક્તિ પરિવારથી દૂર રહેતો હોય તો તેને પરિવારની યાદ આવા સમય પર આવતી હોય છે. પરિવાર સાથે તહેવાર લોકો મનાવી શકે તે માટે અનેક જગ્યાઓ પર દિવાળીની રજાઓ જાહેર કરવામાં આવે છે પરંતુ અનેક પ્રોફેશન એવા હોય છે જેમાં દિવાળી સમયે રજા નથી હોતી. તે કર્મીઓ પોતાની દિવાળી, બેસતુ વર્ષની ઉજવણી ફરજ પર કરતા હોય છે. તેવો એક વર્ગ છે એસટી બસના કર્મચારીઓનો. લોકો તેમના ઘર સુધી પહોંચી શકે તે માટે અનેક એસટી બસની સુવિધા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. એક્સટ્રા બસ મૂકવામાં આવી છે. 


હર્ષ સંઘવીએ વીડિયો શેર કર્યો અને કહ્યું કે... 

એસટી વિભાગના કર્મચારી પગાર વધારાની માગ કરી રહ્યા હતા. તેમનો પગાર વધારવામાં આવે તેવી તેમની માગ હતી. દિવાળી પહેલા સરકારે તેમની માગ સ્વીકારી લીધી અને તેમનો પગાર વધારો થઈ ગયો. હડતાળ પર ઉતરે તે પહેલા તેમની માગ સંતોષાઈ તેનો આનંદ કર્મીઓમાં હતો. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ એક ટ્વિટ કરી છે જેનો અમલ કદાચ દેરેકે કરવો જોઈએ. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે પ્રિય ગુજરાતવાસિયો, જ્યારે દિવાળી પર તમે ઘરે જાઓ ત્યારે ડ્રાઈવર અને કંડક્ટરને પણ દિવાળીની શુભકામના આપો કારણ કે તેમનો પરિવાર તમે જ છો! 

નાના માણસોને પણ દિવાળી કરવી જોઈએ વિશ! 

હર્ષ સંઘવીએ એસટી કર્મચારીઓની વાત કરી પરંતુ દરેક નાના માણસને આવા તહેવાર દરમિયાન યાદ કરવા જોઈએ. રસ્તા પર કચરો ઉપાડતા લોકોને પણ દિવાળીની શુભકામના પાઠવવી જોઈએ, સિક્યુરિટી ગાર્ડને પણ શુભેચ્છા પાઠવી જોઈએ. તેમને શુભકામના પાઠવવાથી આપણે નાના નથી થઈ જતા પરંતુ જ્યારે તેમને આપણે દિવાળી વિશ કરીએ છીએ ત્યારે તેમના ચહેરા પર આવેલો આનંદ આપણને અંદરથી ખૂશી આપી જાય છે!      



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .