અફઘાનિસ્તાનમાં બે વેેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો


  • Published By :
  • Published Date : 2022-11-06 11:01:52

રાજ્યમાં હાલ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે. વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગમી દિવસોમાં તાપમાનનો પારો ઘટી શકે છે જેને કારણે રાજ્યમાં ઠંડીનો અનુભવ થશે. અફઘાનિસ્તાનમાં 6 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે જેને કારણે ભારતના અનેક રાજ્યોમાં આની અસર જોવા મળશે. જેને કારણે અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ આવનાર સમયમાં થશે. 

ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી નો ચમકારો આવશે

રાજ્યમાં થશે ઠંડીનો અનુભવ

હાલ લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. અફઘાનિસ્તાનમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી લહેરો આવવાની શરૂઆત થશે. જેને કારણે ગુજરાત, રાજસ્થાન તેમજ પંજાબમાં આની અસર જોવા મળશે. હિમાલયથી શિત લહેર રાજ્યમાં આવશે. જેને કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. 7થી 14 નવેમ્બર દરમિયાન અમદાવાદ સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવી શકે છે. 

Winter : ગુજરાતમાં ઠંડીનો ચમકારો; આગામી બે દિવસમાં વધશે ઠંડીનું જોર, જાણો  ક્યાં કેટલી ઠંડી પડી


ગગડશે તાપમાનનો પારો 

આવનાર સમયમાં હિમાલય તરફ ગુજરાતમાં ઠંડો પવન આવી શકે છે. વાદળ છાયું વાતાવરણ પણ જોવા મળશે. જેને કારણે તાપમાનનો પારો ઘટી શકે છે. વહેલી સવાર તેમજ રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આ સમય દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા પણ થઈ શકે છે જેની અસર ગુજરાતના હવામાન પર પડશે. આવનાર સમયમાં દિવસભર ઠંડીનો અહેસાસ થશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.