અફઘાનિસ્તાનમાં બે વેેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો


  • Published By :
  • Published Date : 2022-11-06 11:01:52

રાજ્યમાં હાલ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે. વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગમી દિવસોમાં તાપમાનનો પારો ઘટી શકે છે જેને કારણે રાજ્યમાં ઠંડીનો અનુભવ થશે. અફઘાનિસ્તાનમાં 6 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે જેને કારણે ભારતના અનેક રાજ્યોમાં આની અસર જોવા મળશે. જેને કારણે અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ આવનાર સમયમાં થશે. 

ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી નો ચમકારો આવશે

રાજ્યમાં થશે ઠંડીનો અનુભવ

હાલ લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. અફઘાનિસ્તાનમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી લહેરો આવવાની શરૂઆત થશે. જેને કારણે ગુજરાત, રાજસ્થાન તેમજ પંજાબમાં આની અસર જોવા મળશે. હિમાલયથી શિત લહેર રાજ્યમાં આવશે. જેને કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. 7થી 14 નવેમ્બર દરમિયાન અમદાવાદ સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવી શકે છે. 

Winter : ગુજરાતમાં ઠંડીનો ચમકારો; આગામી બે દિવસમાં વધશે ઠંડીનું જોર, જાણો  ક્યાં કેટલી ઠંડી પડી


ગગડશે તાપમાનનો પારો 

આવનાર સમયમાં હિમાલય તરફ ગુજરાતમાં ઠંડો પવન આવી શકે છે. વાદળ છાયું વાતાવરણ પણ જોવા મળશે. જેને કારણે તાપમાનનો પારો ઘટી શકે છે. વહેલી સવાર તેમજ રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આ સમય દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા પણ થઈ શકે છે જેની અસર ગુજરાતના હવામાન પર પડશે. આવનાર સમયમાં દિવસભર ઠંડીનો અહેસાસ થશે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.