અફઘાનિસ્તાનમાં બે વેેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો


  • Published By :
  • Published Date : 2022-11-06 11:01:52

રાજ્યમાં હાલ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે. વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગમી દિવસોમાં તાપમાનનો પારો ઘટી શકે છે જેને કારણે રાજ્યમાં ઠંડીનો અનુભવ થશે. અફઘાનિસ્તાનમાં 6 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે જેને કારણે ભારતના અનેક રાજ્યોમાં આની અસર જોવા મળશે. જેને કારણે અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ આવનાર સમયમાં થશે. 

ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી નો ચમકારો આવશે

રાજ્યમાં થશે ઠંડીનો અનુભવ

હાલ લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. અફઘાનિસ્તાનમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી લહેરો આવવાની શરૂઆત થશે. જેને કારણે ગુજરાત, રાજસ્થાન તેમજ પંજાબમાં આની અસર જોવા મળશે. હિમાલયથી શિત લહેર રાજ્યમાં આવશે. જેને કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. 7થી 14 નવેમ્બર દરમિયાન અમદાવાદ સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવી શકે છે. 

Winter : ગુજરાતમાં ઠંડીનો ચમકારો; આગામી બે દિવસમાં વધશે ઠંડીનું જોર, જાણો  ક્યાં કેટલી ઠંડી પડી


ગગડશે તાપમાનનો પારો 

આવનાર સમયમાં હિમાલય તરફ ગુજરાતમાં ઠંડો પવન આવી શકે છે. વાદળ છાયું વાતાવરણ પણ જોવા મળશે. જેને કારણે તાપમાનનો પારો ઘટી શકે છે. વહેલી સવાર તેમજ રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આ સમય દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા પણ થઈ શકે છે જેની અસર ગુજરાતના હવામાન પર પડશે. આવનાર સમયમાં દિવસભર ઠંડીનો અહેસાસ થશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.