અફઘાનિસ્તાનમાં બે વેેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો


  • Published By :
  • Published Date : 2022-11-06 11:01:52

રાજ્યમાં હાલ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે. વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગમી દિવસોમાં તાપમાનનો પારો ઘટી શકે છે જેને કારણે રાજ્યમાં ઠંડીનો અનુભવ થશે. અફઘાનિસ્તાનમાં 6 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે જેને કારણે ભારતના અનેક રાજ્યોમાં આની અસર જોવા મળશે. જેને કારણે અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ આવનાર સમયમાં થશે. 

ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી નો ચમકારો આવશે

રાજ્યમાં થશે ઠંડીનો અનુભવ

હાલ લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. અફઘાનિસ્તાનમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી લહેરો આવવાની શરૂઆત થશે. જેને કારણે ગુજરાત, રાજસ્થાન તેમજ પંજાબમાં આની અસર જોવા મળશે. હિમાલયથી શિત લહેર રાજ્યમાં આવશે. જેને કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. 7થી 14 નવેમ્બર દરમિયાન અમદાવાદ સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવી શકે છે. 

Winter : ગુજરાતમાં ઠંડીનો ચમકારો; આગામી બે દિવસમાં વધશે ઠંડીનું જોર, જાણો  ક્યાં કેટલી ઠંડી પડી


ગગડશે તાપમાનનો પારો 

આવનાર સમયમાં હિમાલય તરફ ગુજરાતમાં ઠંડો પવન આવી શકે છે. વાદળ છાયું વાતાવરણ પણ જોવા મળશે. જેને કારણે તાપમાનનો પારો ઘટી શકે છે. વહેલી સવાર તેમજ રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આ સમય દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા પણ થઈ શકે છે જેની અસર ગુજરાતના હવામાન પર પડશે. આવનાર સમયમાં દિવસભર ઠંડીનો અહેસાસ થશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.