ખાલી વાસણ વગાડી વાંકાનેરમાં મહિલાઓએ કર્યો ભાજપની ગૌરવ યાત્રાનો વિરોધ, AAPએ કર્યા કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 10:06:46

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ભાજપ સક્રિય થઈ ચૂંટણી પ્રચાર કરી રહી છે. પોતાના કામોને મતદારો સુધી પહોંચાડવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહી ભાજપ તરફ લોકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. ત્યારે મોરબી ખાતે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની આગેવાનીમાં ગૌરવ યાત્રા નિકળી હતી. મોરબીના વાંકાનેર ખાતે આ યાત્રાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહિલાઓએ ખાલી ઘડા વગાડી વિરોધ દર્શાવ્યો હતો.  


ખાલી વાસણ વગાડી મહિલાઓએ કરી પાણી આપવાની માગ 

છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ગૌરવ યાત્રામાં ભાજપ પોતાના દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોનો પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના ભાષણમાં ઘર ઘર સુધી પાણી પહોંચાડ્યું છે તેવી વાતો કરતા હોય છે. ત્યારે આ જ મુદ્દાને લઈ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મોરબીના વાંકાનેર ખાતે આવેલી તેમની ગૌરવ યાત્રા દરમિયાન મહિલાઓએ ખાલી ઘડા વગાડી તેમના ઘર સુધી પાણી પહોંચાડવાની માગ કરી હતી. પીયુષ ગોયલે પોતાના પ્રવાસની તસવીરો ટ્વિટ કરી છે જેમાં તેમણે યાત્રા દરમિયાન મળેલા જન પ્રતિસાદની વાત કરી છે. ડબલ એન્જીન સરકારની ઘણી વાતો કરી પરંતુ યાત્રામાં થયેલા વિરોધ દર્શાવવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું. આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય નરેશ બલ્યાએ  વિરોધનો વીડિયો શેર કર્યો હતો. 

 

આમ આદમી પાર્ટીએ કર્યો કટાક્ષ

ચૂંટણી નજીક આવી રહી છે એટલા માટે આ વાતની નોંધ પણ બીજી પાર્ટી દ્વારા લેવામાં આવતી હોય છે. આવા મુદ્દાઓને લઈ રાજકીય ઓપ આપી પાર્ટી પર પ્રહાર કરવામાં આવે છે. આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય નરેશ બલ્યાએ ભાજપના ગુજરાત મોડલ પર કટાક્ષ કર્યા હતા. વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું કે આ ભાજપનું વિકાસ મોડલ છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો મોરબીની માતા બહેનોએ પાણીના વાસણ વગાડીને વિરોધ કર્યો હતો. પીયુષ ગોયલને પાણી આપવાની માગ કરી હતી.  ભાજપ 27 વર્ષ સુધી પાણી પણ પહોંચાડી શક્તી નથી.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે