ખાલી વાસણ વગાડી વાંકાનેરમાં મહિલાઓએ કર્યો ભાજપની ગૌરવ યાત્રાનો વિરોધ, AAPએ કર્યા કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 10:06:46

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ભાજપ સક્રિય થઈ ચૂંટણી પ્રચાર કરી રહી છે. પોતાના કામોને મતદારો સુધી પહોંચાડવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહી ભાજપ તરફ લોકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. ત્યારે મોરબી ખાતે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની આગેવાનીમાં ગૌરવ યાત્રા નિકળી હતી. મોરબીના વાંકાનેર ખાતે આ યાત્રાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહિલાઓએ ખાલી ઘડા વગાડી વિરોધ દર્શાવ્યો હતો.  


ખાલી વાસણ વગાડી મહિલાઓએ કરી પાણી આપવાની માગ 

છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ગૌરવ યાત્રામાં ભાજપ પોતાના દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોનો પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના ભાષણમાં ઘર ઘર સુધી પાણી પહોંચાડ્યું છે તેવી વાતો કરતા હોય છે. ત્યારે આ જ મુદ્દાને લઈ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મોરબીના વાંકાનેર ખાતે આવેલી તેમની ગૌરવ યાત્રા દરમિયાન મહિલાઓએ ખાલી ઘડા વગાડી તેમના ઘર સુધી પાણી પહોંચાડવાની માગ કરી હતી. પીયુષ ગોયલે પોતાના પ્રવાસની તસવીરો ટ્વિટ કરી છે જેમાં તેમણે યાત્રા દરમિયાન મળેલા જન પ્રતિસાદની વાત કરી છે. ડબલ એન્જીન સરકારની ઘણી વાતો કરી પરંતુ યાત્રામાં થયેલા વિરોધ દર્શાવવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું. આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય નરેશ બલ્યાએ  વિરોધનો વીડિયો શેર કર્યો હતો. 

 

આમ આદમી પાર્ટીએ કર્યો કટાક્ષ

ચૂંટણી નજીક આવી રહી છે એટલા માટે આ વાતની નોંધ પણ બીજી પાર્ટી દ્વારા લેવામાં આવતી હોય છે. આવા મુદ્દાઓને લઈ રાજકીય ઓપ આપી પાર્ટી પર પ્રહાર કરવામાં આવે છે. આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય નરેશ બલ્યાએ ભાજપના ગુજરાત મોડલ પર કટાક્ષ કર્યા હતા. વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું કે આ ભાજપનું વિકાસ મોડલ છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો મોરબીની માતા બહેનોએ પાણીના વાસણ વગાડીને વિરોધ કર્યો હતો. પીયુષ ગોયલને પાણી આપવાની માગ કરી હતી.  ભાજપ 27 વર્ષ સુધી પાણી પણ પહોંચાડી શક્તી નથી.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.