લાંચ લેવા માટે આ મહિલા તલાટી થઈ સ્માર્ટ, પણ ACB નીકળ્યું સુપર સ્માર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 19:40:06

સરકારી કર્મચારીઓ તેમની માંગણીઓ માટે ગાંધીનગરમાં ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. જો કે તે બાબત પણ નક્કર સત્ય છે કે આ કર્મચારીઓ તેમના હોદ્દાનો દુરપયોગ કરીને મોટી લાંચ લેતા પણ અચકાતા નથી. આ સરકારી કર્મચારીઓ પણ ACBના ડરથી સીધી રીતે લાંચ લેતા ડરી રહ્યા છે. તેથી લાંચ લેવા માટે પણ તેમણે વિવિધ પ્રકારની તરકીબો શોધી કાઢી છે. જેમ કે સુરત એન્ટિ કરપ્શન બ્યુરોની ટીમે નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેતી એક સ્વરૂપમાન મહિલા તલાટીને ઝડપી પાડ્યા છે. 


મહિલા તલાટીની લાંચ માંગવાની નવી મોડેસ ઓપરેન્ડી


નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નીતા પટેલને જમીન માલિક પાસેથી રૂપિયા એક લાખની લાંચ લેવા બાબતે ACBએ ઝડપી પાડી હતી. ACBથી બચવા મહિલાએ લાંચની રકમ આંગડિયા મારફતે ગાંધીનગર ત્રાહિત વ્યક્તિને ત્યાં મંગાવી હતી. આ અંગેની જાણ જમીન માલિકે સુરત ACBમાં કરતા છટકું ગોઠવીને મહિલા અધિકારી અને એક ખાનગી વ્યક્તિને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



કઈ રીતે ઝડપાઈ સ્વરૂપમાન મહિલા તલાટી


નીતા પટેલ દ્વારા રૂપિયા એક લાખની લાંચ જમીન માલિક પાસે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને ઘર નંબર મેળવવા માટે માંગવામાં આવી હતી. તલાટી નીતા પટેલે લાંચની રકમને હાથોહાથ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે આ લાંચ જમીન માલિક પાસે આંગડિયા વડે ગાંધીનગર ખાતે રહેતા મહેશભાઈ આહજોલિયા નામના વ્યક્તિને મોકલવા માટે જણાવ્યું હતું. જોકે, જમીન માલિક લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત ACBની ટીમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જમીન માલિકની ફરિયાદ મુજબ ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ગાંધીનગર આંગડિયા ખાતેથી લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. બાદમાં તેના આધારે નર્મદા જિલ્લાની મહિલા તલાટીની લાંચ માંગવાની સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરીને ACBએ મહિલા સરકારી અધિકારી સહિત ખાનગી વ્યક્તિની એક લાખની લાંચ માંગવાના અને સ્વીકારવાના ગુનામાં ધરપકડ કરી છે.કદાચ અત્યાર સુધીના લાંચમાં કિસ્સાઓમાં આંગડિયા મારફતે ત્રાહિત વ્યક્તિ સુધી લાંચની રકમ પહોંચાડવાનો આ ગુજરાતમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો હોવાનું માનવામાં આવે છે.


શું એટલા માટે જ યુવા વર્ગ તલાટી બનવા તલપાપડ હોય છે?


રાજ્યના ભણેલા ગણેલા યુવાનોમાં સરકારી નોકરી અને તેમાં પણ તલાટી બનવાની મહત્વાકાંક્ષા અધિક જોવા મળે છે.તલાટીની નોકરીમાં લાંચ બહું આસાનીથી મળતી હોય છે. ગામડાઓમાં ખેડૂતો તથા અન્ય લોકો વિવિધ પ્રકારની સરકારી સેવા લેલા માટે આવતા હોય છે. તલાટીઓ પણ તેમના કામ કરી આપવાના બદલામાં મોટી લાંચ પડાવતા હોય છે. તલાટીઓને તેમના પગાર કરતા લાંચરૂપે મોટી રકમ મળતી હોવાથી તે નોકરી પ્રત્યેનું વિશેષ આકર્ષણ રહે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.