21 જૂનના રોજ ઉજવાય છે વિશ્વ સંગીત દિવસ, જાણો ક્યારથી થઈ આ દિવસ ઉજવવાની શરૂઆત અને તેના ઈતિહાસ વિશે


  • Published By :
  • Published Date : 2023-06-21 12:23:54

સંગીત એક એવી કળા છે જે માનવીના જીવન પર ઘણી અસર કરતી હોય છે. ઘણી વખત આપણને એવો પણ અનુભવ થયો હશે કે મનપસંદ સંગીત સાંભળવાથી તણાવ મુક્ત થઈ ગયા હોઈએ. દુનિયાના પ્રત્યેક ખુણામાં સંગીતની ઉપસ્થિતિ જોવા મળે છે. દરેક વસ્તુઓમાં લય હોય છે. કહેવાય છે કે સંગીતને કોઈ સરહદ નથી નડતી. ત્યારે સંગીતના ગુણોને લોકો સુધી પહોંચાડવા તથા સંગીતથી થતા ફાયદા લોકોને સમજાય તે માટે 21મી જૂનને વિશ્વ મ્યુઝિક ડે તરીકે ઉજવવામાં આવે છે. મનપસંદ સંગીત સાંભળવાથી આપણા મનને શાંતિ મળે છે.        


આ છે વિશ્વ સંગીત દિવસનો ઈતિહાસ!

વિશ્વ મ્યુઝિક ડેના ઈતિહાસની વાત કરીએ તો, ફ્રાન્સમાં સૌથી પ્રથમ વખત આ દિવસને મનાવવામાં આવ્યો હતો. વર્ષ 1982માં આ દિવસની શરૂઆત થઈ. તત્કાલિન ફ્રાન્સના સંસ્કૃતિ મંત્રીએ વિશ્વ સંગીત દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. અને તે પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો અને વર્ષ 1982માં વાર્ષિક કાર્યક્રમ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી. અને તે બાદ આજ સુધી આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે. દર વર્ષે અલગ અલગ થીમ પર દિવસને મનાવવામાં આવે છે.  



સંગીત લોકોને એક કરવાની શક્તિ ધરાવે છે!

સંગીતમાં અદ્ભૂત શક્તિ રહેલી હોય છે. આજકાલ સંગીતને થેરેપીની જેમ પણ ઉપયોગ કરવામાં આવે છે. સંગીત લોકોને જોડવાનું કામ કરે છે. ભલે ભાષા અલગ હોય પરંતુ ભાવ એક હોય છે. જેમ દેશ બદલાય  છે તેમ ત્યાંની સંસ્કૃતિ પણ બદલાય છે, ભાષા પણ બદલાય છે તેમ સંગીત પણ બદલાય છે. પરંતુ તો પણ લોકોના દિલમાં વસી જાય છે. સંગીત ઘણીવાર સામાજીક પ્રવૃત્તિઓ તેમજ ધાર્મિક વિધીઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સંગીતના માધ્યમથી અનેક દેશોની સંસ્કૃતિને પણ સમજી શકીએ છીએ. આર્થિક દ્રષ્ટ્રીએ પણ સંગીતનું મહત્વ રહેલું છે. અનેક લોકોને રોજી રોટી પૂરી પાડે છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.