21 જૂનના રોજ ઉજવાય છે વિશ્વ સંગીત દિવસ, જાણો ક્યારથી થઈ આ દિવસ ઉજવવાની શરૂઆત અને તેના ઈતિહાસ વિશે


  • Published By :
  • Published Date : 2023-06-21 12:23:54

સંગીત એક એવી કળા છે જે માનવીના જીવન પર ઘણી અસર કરતી હોય છે. ઘણી વખત આપણને એવો પણ અનુભવ થયો હશે કે મનપસંદ સંગીત સાંભળવાથી તણાવ મુક્ત થઈ ગયા હોઈએ. દુનિયાના પ્રત્યેક ખુણામાં સંગીતની ઉપસ્થિતિ જોવા મળે છે. દરેક વસ્તુઓમાં લય હોય છે. કહેવાય છે કે સંગીતને કોઈ સરહદ નથી નડતી. ત્યારે સંગીતના ગુણોને લોકો સુધી પહોંચાડવા તથા સંગીતથી થતા ફાયદા લોકોને સમજાય તે માટે 21મી જૂનને વિશ્વ મ્યુઝિક ડે તરીકે ઉજવવામાં આવે છે. મનપસંદ સંગીત સાંભળવાથી આપણા મનને શાંતિ મળે છે.        


આ છે વિશ્વ સંગીત દિવસનો ઈતિહાસ!

વિશ્વ મ્યુઝિક ડેના ઈતિહાસની વાત કરીએ તો, ફ્રાન્સમાં સૌથી પ્રથમ વખત આ દિવસને મનાવવામાં આવ્યો હતો. વર્ષ 1982માં આ દિવસની શરૂઆત થઈ. તત્કાલિન ફ્રાન્સના સંસ્કૃતિ મંત્રીએ વિશ્વ સંગીત દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. અને તે પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો અને વર્ષ 1982માં વાર્ષિક કાર્યક્રમ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી. અને તે બાદ આજ સુધી આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે. દર વર્ષે અલગ અલગ થીમ પર દિવસને મનાવવામાં આવે છે.  



સંગીત લોકોને એક કરવાની શક્તિ ધરાવે છે!

સંગીતમાં અદ્ભૂત શક્તિ રહેલી હોય છે. આજકાલ સંગીતને થેરેપીની જેમ પણ ઉપયોગ કરવામાં આવે છે. સંગીત લોકોને જોડવાનું કામ કરે છે. ભલે ભાષા અલગ હોય પરંતુ ભાવ એક હોય છે. જેમ દેશ બદલાય  છે તેમ ત્યાંની સંસ્કૃતિ પણ બદલાય છે, ભાષા પણ બદલાય છે તેમ સંગીત પણ બદલાય છે. પરંતુ તો પણ લોકોના દિલમાં વસી જાય છે. સંગીત ઘણીવાર સામાજીક પ્રવૃત્તિઓ તેમજ ધાર્મિક વિધીઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સંગીતના માધ્યમથી અનેક દેશોની સંસ્કૃતિને પણ સમજી શકીએ છીએ. આર્થિક દ્રષ્ટ્રીએ પણ સંગીતનું મહત્વ રહેલું છે. અનેક લોકોને રોજી રોટી પૂરી પાડે છે.    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .