21 જૂનના રોજ ઉજવાય છે વિશ્વ સંગીત દિવસ, જાણો ક્યારથી થઈ આ દિવસ ઉજવવાની શરૂઆત અને તેના ઈતિહાસ વિશે


  • Published By :
  • Published Date : 2023-06-21 12:23:54

સંગીત એક એવી કળા છે જે માનવીના જીવન પર ઘણી અસર કરતી હોય છે. ઘણી વખત આપણને એવો પણ અનુભવ થયો હશે કે મનપસંદ સંગીત સાંભળવાથી તણાવ મુક્ત થઈ ગયા હોઈએ. દુનિયાના પ્રત્યેક ખુણામાં સંગીતની ઉપસ્થિતિ જોવા મળે છે. દરેક વસ્તુઓમાં લય હોય છે. કહેવાય છે કે સંગીતને કોઈ સરહદ નથી નડતી. ત્યારે સંગીતના ગુણોને લોકો સુધી પહોંચાડવા તથા સંગીતથી થતા ફાયદા લોકોને સમજાય તે માટે 21મી જૂનને વિશ્વ મ્યુઝિક ડે તરીકે ઉજવવામાં આવે છે. મનપસંદ સંગીત સાંભળવાથી આપણા મનને શાંતિ મળે છે.        


આ છે વિશ્વ સંગીત દિવસનો ઈતિહાસ!

વિશ્વ મ્યુઝિક ડેના ઈતિહાસની વાત કરીએ તો, ફ્રાન્સમાં સૌથી પ્રથમ વખત આ દિવસને મનાવવામાં આવ્યો હતો. વર્ષ 1982માં આ દિવસની શરૂઆત થઈ. તત્કાલિન ફ્રાન્સના સંસ્કૃતિ મંત્રીએ વિશ્વ સંગીત દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. અને તે પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો અને વર્ષ 1982માં વાર્ષિક કાર્યક્રમ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી. અને તે બાદ આજ સુધી આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે. દર વર્ષે અલગ અલગ થીમ પર દિવસને મનાવવામાં આવે છે.  



સંગીત લોકોને એક કરવાની શક્તિ ધરાવે છે!

સંગીતમાં અદ્ભૂત શક્તિ રહેલી હોય છે. આજકાલ સંગીતને થેરેપીની જેમ પણ ઉપયોગ કરવામાં આવે છે. સંગીત લોકોને જોડવાનું કામ કરે છે. ભલે ભાષા અલગ હોય પરંતુ ભાવ એક હોય છે. જેમ દેશ બદલાય  છે તેમ ત્યાંની સંસ્કૃતિ પણ બદલાય છે, ભાષા પણ બદલાય છે તેમ સંગીત પણ બદલાય છે. પરંતુ તો પણ લોકોના દિલમાં વસી જાય છે. સંગીત ઘણીવાર સામાજીક પ્રવૃત્તિઓ તેમજ ધાર્મિક વિધીઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સંગીતના માધ્યમથી અનેક દેશોની સંસ્કૃતિને પણ સમજી શકીએ છીએ. આર્થિક દ્રષ્ટ્રીએ પણ સંગીતનું મહત્વ રહેલું છે. અનેક લોકોને રોજી રોટી પૂરી પાડે છે.    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.