ગુજરાત બન્યું યોગમય, રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓએ વિશ્વ યોગ દિવસે સમુહમાં કર્યા યોગાસનો


  • Published By :
  • Published Date : 2023-06-21 19:48:30

આજે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ છે, વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સુરત શહેરમાં થઈ હતી. આ ઉજવણીમાં 1.50 લાખથી વધુ નાગરિકો યોગાભ્યાસમાં જોડાઈ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. આ મહત્વના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ઉપરાંત રાજ્ય કક્ષા મંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ તથા પાર્ટીના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમુહમાં યોગાભ્યાસ કર્યો હતો. તે જ પ્રકારે ભાજપ સરકારના અન્ય મંત્રીઓ તથા કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલે પણ યોગાસનો કરી વિશ્વ યોગ દિવસ મનાવ્યો હતો. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ સમુહમાં યોગાઅભ્યાસ કર્યો હતો.






















ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.