જથ્થાબંધ ફુગાવો ઓક્ટોબરમાં ઘટીને 8.39 ટકા, જો કે વાસ્તવિક મોંઘવારી જૈસે થે


  • Published By :
  • Published Date : 2022-11-14 19:16:08

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીથી દરેક વ્યક્તિ પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વિસ્તારોમાં મોંઘવારી વધી છે. જો કે એવા ઘણા સેક્ટર છે જ્યાં મોંઘવારી પણ નીચે આવી છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 8.39 ટકા નોંધાયો છે. જે સપ્ટેમ્બરમાં 10.7 ટકા હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં આ વાતનો ખુલાસો થયો છે. દેશમાં જથ્થાબંધ ફુગાવો માર્ચ 2021 પછી પ્રથમ વખત ડબલ ડિજિટના આંકથી નીચે આવી ગયો છે. તે સમયે જથ્થાબંધ મોંઘવારી દર 7.89 ટકા હતો. આવી સ્થિતિમાં 19 મહિના બાદ જથ્થાબંધ મોંઘવારીનો આંકડો સિંગલ ડિજિટમાં આવ્યો છે.


પ્રાથમિક વસ્તુઓની સ્થિતિ કેવી છે?


પ્રાથમિક વસ્તુઓની વાત કરીએ તો મે મહિનામાં ફુગાવો 18.84 ટકા હતો. જુલાઈમાં તે ઘટીને 14.78 ટકા થઈ ગયો. આ પછી ઓગસ્ટમાં તે 14.74 ટકા પર પહોંચી ગયો. સપ્ટેમ્બરમાં તે વધુ ઘટીને 11.73 ટકા પર પહોંચ્યો હતો. ઓક્ટોબરમાં તે ઘટીને 11.04 ટકા થયો હતો.


સરકાર અને RBIએ મોંઘવારી રોકવા શું પ્રયાસ કર્યા?


રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે છેલ્લા છ કે સાત મહિના દરમિયાન આરબીઆઈ અને સરકાર બંને મોંઘવારી ઘટાડવા માટે અનેક પગલાં લીધા છે. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા મુજબ, કેન્દ્રીય બેંકે તેના તરફથી વ્યાજ દરમાં વધારો કર્યો છે, જ્યારે સરકાર દ્વારા સપ્લાય સાઇડ સંબંધિત ઘણા પગલાં લેવામાં આવ્યા છે. રિઝર્વ બેન્કે ફુગાવાને કાબૂમાં લેવા માટે મે અને સપ્ટેમ્બર વચ્ચે કી પોલિસી રેપો રેટમાં 1.9 ટકાનો વધારો કર્યો છે. હવે રેપો રેટ 5.90 ટકા છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.