જથ્થાબંધ ફુગાવો ઓક્ટોબરમાં ઘટીને 8.39 ટકા, જો કે વાસ્તવિક મોંઘવારી જૈસે થે


  • Published By :
  • Published Date : 2022-11-14 19:16:08

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીથી દરેક વ્યક્તિ પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વિસ્તારોમાં મોંઘવારી વધી છે. જો કે એવા ઘણા સેક્ટર છે જ્યાં મોંઘવારી પણ નીચે આવી છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 8.39 ટકા નોંધાયો છે. જે સપ્ટેમ્બરમાં 10.7 ટકા હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં આ વાતનો ખુલાસો થયો છે. દેશમાં જથ્થાબંધ ફુગાવો માર્ચ 2021 પછી પ્રથમ વખત ડબલ ડિજિટના આંકથી નીચે આવી ગયો છે. તે સમયે જથ્થાબંધ મોંઘવારી દર 7.89 ટકા હતો. આવી સ્થિતિમાં 19 મહિના બાદ જથ્થાબંધ મોંઘવારીનો આંકડો સિંગલ ડિજિટમાં આવ્યો છે.


પ્રાથમિક વસ્તુઓની સ્થિતિ કેવી છે?


પ્રાથમિક વસ્તુઓની વાત કરીએ તો મે મહિનામાં ફુગાવો 18.84 ટકા હતો. જુલાઈમાં તે ઘટીને 14.78 ટકા થઈ ગયો. આ પછી ઓગસ્ટમાં તે 14.74 ટકા પર પહોંચી ગયો. સપ્ટેમ્બરમાં તે વધુ ઘટીને 11.73 ટકા પર પહોંચ્યો હતો. ઓક્ટોબરમાં તે ઘટીને 11.04 ટકા થયો હતો.


સરકાર અને RBIએ મોંઘવારી રોકવા શું પ્રયાસ કર્યા?


રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે છેલ્લા છ કે સાત મહિના દરમિયાન આરબીઆઈ અને સરકાર બંને મોંઘવારી ઘટાડવા માટે અનેક પગલાં લીધા છે. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા મુજબ, કેન્દ્રીય બેંકે તેના તરફથી વ્યાજ દરમાં વધારો કર્યો છે, જ્યારે સરકાર દ્વારા સપ્લાય સાઇડ સંબંધિત ઘણા પગલાં લેવામાં આવ્યા છે. રિઝર્વ બેન્કે ફુગાવાને કાબૂમાં લેવા માટે મે અને સપ્ટેમ્બર વચ્ચે કી પોલિસી રેપો રેટમાં 1.9 ટકાનો વધારો કર્યો છે. હવે રેપો રેટ 5.90 ટકા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે