જથ્થાબંધ ફુગાવો ઓક્ટોબરમાં ઘટીને 8.39 ટકા, જો કે વાસ્તવિક મોંઘવારી જૈસે થે


  • Published By :
  • Published Date : 2022-11-14 19:16:08

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીથી દરેક વ્યક્તિ પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વિસ્તારોમાં મોંઘવારી વધી છે. જો કે એવા ઘણા સેક્ટર છે જ્યાં મોંઘવારી પણ નીચે આવી છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 8.39 ટકા નોંધાયો છે. જે સપ્ટેમ્બરમાં 10.7 ટકા હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં આ વાતનો ખુલાસો થયો છે. દેશમાં જથ્થાબંધ ફુગાવો માર્ચ 2021 પછી પ્રથમ વખત ડબલ ડિજિટના આંકથી નીચે આવી ગયો છે. તે સમયે જથ્થાબંધ મોંઘવારી દર 7.89 ટકા હતો. આવી સ્થિતિમાં 19 મહિના બાદ જથ્થાબંધ મોંઘવારીનો આંકડો સિંગલ ડિજિટમાં આવ્યો છે.


પ્રાથમિક વસ્તુઓની સ્થિતિ કેવી છે?


પ્રાથમિક વસ્તુઓની વાત કરીએ તો મે મહિનામાં ફુગાવો 18.84 ટકા હતો. જુલાઈમાં તે ઘટીને 14.78 ટકા થઈ ગયો. આ પછી ઓગસ્ટમાં તે 14.74 ટકા પર પહોંચી ગયો. સપ્ટેમ્બરમાં તે વધુ ઘટીને 11.73 ટકા પર પહોંચ્યો હતો. ઓક્ટોબરમાં તે ઘટીને 11.04 ટકા થયો હતો.


સરકાર અને RBIએ મોંઘવારી રોકવા શું પ્રયાસ કર્યા?


રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે છેલ્લા છ કે સાત મહિના દરમિયાન આરબીઆઈ અને સરકાર બંને મોંઘવારી ઘટાડવા માટે અનેક પગલાં લીધા છે. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા મુજબ, કેન્દ્રીય બેંકે તેના તરફથી વ્યાજ દરમાં વધારો કર્યો છે, જ્યારે સરકાર દ્વારા સપ્લાય સાઇડ સંબંધિત ઘણા પગલાં લેવામાં આવ્યા છે. રિઝર્વ બેન્કે ફુગાવાને કાબૂમાં લેવા માટે મે અને સપ્ટેમ્બર વચ્ચે કી પોલિસી રેપો રેટમાં 1.9 ટકાનો વધારો કર્યો છે. હવે રેપો રેટ 5.90 ટકા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.