જથ્થાબંધ ફુગાવો ઓક્ટોબરમાં ઘટીને 8.39 ટકા, જો કે વાસ્તવિક મોંઘવારી જૈસે થે


  • Published By :
  • Published Date : 2022-11-14 19:16:08

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીથી દરેક વ્યક્તિ પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વિસ્તારોમાં મોંઘવારી વધી છે. જો કે એવા ઘણા સેક્ટર છે જ્યાં મોંઘવારી પણ નીચે આવી છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 8.39 ટકા નોંધાયો છે. જે સપ્ટેમ્બરમાં 10.7 ટકા હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં આ વાતનો ખુલાસો થયો છે. દેશમાં જથ્થાબંધ ફુગાવો માર્ચ 2021 પછી પ્રથમ વખત ડબલ ડિજિટના આંકથી નીચે આવી ગયો છે. તે સમયે જથ્થાબંધ મોંઘવારી દર 7.89 ટકા હતો. આવી સ્થિતિમાં 19 મહિના બાદ જથ્થાબંધ મોંઘવારીનો આંકડો સિંગલ ડિજિટમાં આવ્યો છે.


પ્રાથમિક વસ્તુઓની સ્થિતિ કેવી છે?


પ્રાથમિક વસ્તુઓની વાત કરીએ તો મે મહિનામાં ફુગાવો 18.84 ટકા હતો. જુલાઈમાં તે ઘટીને 14.78 ટકા થઈ ગયો. આ પછી ઓગસ્ટમાં તે 14.74 ટકા પર પહોંચી ગયો. સપ્ટેમ્બરમાં તે વધુ ઘટીને 11.73 ટકા પર પહોંચ્યો હતો. ઓક્ટોબરમાં તે ઘટીને 11.04 ટકા થયો હતો.


સરકાર અને RBIએ મોંઘવારી રોકવા શું પ્રયાસ કર્યા?


રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે છેલ્લા છ કે સાત મહિના દરમિયાન આરબીઆઈ અને સરકાર બંને મોંઘવારી ઘટાડવા માટે અનેક પગલાં લીધા છે. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા મુજબ, કેન્દ્રીય બેંકે તેના તરફથી વ્યાજ દરમાં વધારો કર્યો છે, જ્યારે સરકાર દ્વારા સપ્લાય સાઇડ સંબંધિત ઘણા પગલાં લેવામાં આવ્યા છે. રિઝર્વ બેન્કે ફુગાવાને કાબૂમાં લેવા માટે મે અને સપ્ટેમ્બર વચ્ચે કી પોલિસી રેપો રેટમાં 1.9 ટકાનો વધારો કર્યો છે. હવે રેપો રેટ 5.90 ટકા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.