બ્રિજભૂષણના રાજીનામાની માગ પર પહેલવાનો અડીખમ, આજે પણ અનુરાગ ઠાકુર સાથે યોજાઈ શકે છે બેઠક


  • Published By :
  • Published Date : 2023-01-20 09:59:43

દિલ્હીના જંતર-મંતર ખાતે ભારતીય કુશ્તીબાજ ધરણા પ્રદર્શન કરી પોતાનો વિરોધ નોધાવી રહ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ પર યૌન શૌષણના આરોપો મહિલા પહેલવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. બ્રિજભૂષણ વિરૂદ્ધ તેઓ ધરણા કરી રહ્યા છે. આ ધરણાને લઈને ખેલમંત્રાલય પણ ગંભીર થઈ છે. કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. મંત્રી સાથે લગભગ ચાર-સાડા ચાર કલાક સુધી બેઠક થઈ હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો.

   


WFI અધ્યક્ષના રાજીનામાની કરી રહ્યા છે માગ  

બુધવારથી WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ભારતના પહેલવાનો વિરોધ નોંધાવી રહ્યા છે. જંતર મંતર ખાતે વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક જેવા રમતવીરો ધરણા કરી રહ્યા છે. ગુરૂવારે પણ તેમના ધરણા યથાવત જોવા મળ્યા હતા. યૌન શોષણને લઈ પહેલવાનો વિરોધ કરી રહ્યા છે. અને WFIના અધ્યક્ષના રાજીનામાની માગ કરી રહ્યા છે. આ મામલાને ધ્યાનમાં રાખી ખેલમંત્રાલય પણ ગંભીર બન્યું છે.

  

આજે પણ યોજાવાની છે બેઠક 

ગુરૂવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. મંત્રીએ પહેલવાનો સાથે ડિનર પણ કર્યું હતું અને બેઠક કરી હતી. આ બેઠક અંદાજીત ચાર કલાક જેટલી લાંબી ચાલી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ખેલમંત્રાલયના અધિકારીઓ સાથે મળીને અધ્યક્ષ બ્રિજભૂષણને હટાવવાની માગ કરી છે. આ મામલાને લઈ આજે ફરી એક વખત બેઠક થવાની છે. મળતી માહિતી અનુસાર બેઠક પહેલા નવાબગંજ સ્થિત કુશ્તી કેન્દ્ર ખાતે બ્રિજભૂષણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.