બ્રિજભૂષણના રાજીનામાની માગ પર પહેલવાનો અડીખમ, આજે પણ અનુરાગ ઠાકુર સાથે યોજાઈ શકે છે બેઠક


  • Published By :
  • Published Date : 2023-01-20 09:59:43

દિલ્હીના જંતર-મંતર ખાતે ભારતીય કુશ્તીબાજ ધરણા પ્રદર્શન કરી પોતાનો વિરોધ નોધાવી રહ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ પર યૌન શૌષણના આરોપો મહિલા પહેલવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. બ્રિજભૂષણ વિરૂદ્ધ તેઓ ધરણા કરી રહ્યા છે. આ ધરણાને લઈને ખેલમંત્રાલય પણ ગંભીર થઈ છે. કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. મંત્રી સાથે લગભગ ચાર-સાડા ચાર કલાક સુધી બેઠક થઈ હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો.

   


WFI અધ્યક્ષના રાજીનામાની કરી રહ્યા છે માગ  

બુધવારથી WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ભારતના પહેલવાનો વિરોધ નોંધાવી રહ્યા છે. જંતર મંતર ખાતે વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક જેવા રમતવીરો ધરણા કરી રહ્યા છે. ગુરૂવારે પણ તેમના ધરણા યથાવત જોવા મળ્યા હતા. યૌન શોષણને લઈ પહેલવાનો વિરોધ કરી રહ્યા છે. અને WFIના અધ્યક્ષના રાજીનામાની માગ કરી રહ્યા છે. આ મામલાને ધ્યાનમાં રાખી ખેલમંત્રાલય પણ ગંભીર બન્યું છે.

  

આજે પણ યોજાવાની છે બેઠક 

ગુરૂવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. મંત્રીએ પહેલવાનો સાથે ડિનર પણ કર્યું હતું અને બેઠક કરી હતી. આ બેઠક અંદાજીત ચાર કલાક જેટલી લાંબી ચાલી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ખેલમંત્રાલયના અધિકારીઓ સાથે મળીને અધ્યક્ષ બ્રિજભૂષણને હટાવવાની માગ કરી છે. આ મામલાને લઈ આજે ફરી એક વખત બેઠક થવાની છે. મળતી માહિતી અનુસાર બેઠક પહેલા નવાબગંજ સ્થિત કુશ્તી કેન્દ્ર ખાતે બ્રિજભૂષણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.