બ્રિજભૂષણના રાજીનામાની માગ પર પહેલવાનો અડીખમ, આજે પણ અનુરાગ ઠાકુર સાથે યોજાઈ શકે છે બેઠક


  • Published By :
  • Published Date : 2023-01-20 09:59:43

દિલ્હીના જંતર-મંતર ખાતે ભારતીય કુશ્તીબાજ ધરણા પ્રદર્શન કરી પોતાનો વિરોધ નોધાવી રહ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ પર યૌન શૌષણના આરોપો મહિલા પહેલવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. બ્રિજભૂષણ વિરૂદ્ધ તેઓ ધરણા કરી રહ્યા છે. આ ધરણાને લઈને ખેલમંત્રાલય પણ ગંભીર થઈ છે. કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. મંત્રી સાથે લગભગ ચાર-સાડા ચાર કલાક સુધી બેઠક થઈ હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો.

   


WFI અધ્યક્ષના રાજીનામાની કરી રહ્યા છે માગ  

બુધવારથી WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ભારતના પહેલવાનો વિરોધ નોંધાવી રહ્યા છે. જંતર મંતર ખાતે વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક જેવા રમતવીરો ધરણા કરી રહ્યા છે. ગુરૂવારે પણ તેમના ધરણા યથાવત જોવા મળ્યા હતા. યૌન શોષણને લઈ પહેલવાનો વિરોધ કરી રહ્યા છે. અને WFIના અધ્યક્ષના રાજીનામાની માગ કરી રહ્યા છે. આ મામલાને ધ્યાનમાં રાખી ખેલમંત્રાલય પણ ગંભીર બન્યું છે.

  

આજે પણ યોજાવાની છે બેઠક 

ગુરૂવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. મંત્રીએ પહેલવાનો સાથે ડિનર પણ કર્યું હતું અને બેઠક કરી હતી. આ બેઠક અંદાજીત ચાર કલાક જેટલી લાંબી ચાલી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ખેલમંત્રાલયના અધિકારીઓ સાથે મળીને અધ્યક્ષ બ્રિજભૂષણને હટાવવાની માગ કરી છે. આ મામલાને લઈ આજે ફરી એક વખત બેઠક થવાની છે. મળતી માહિતી અનુસાર બેઠક પહેલા નવાબગંજ સ્થિત કુશ્તી કેન્દ્ર ખાતે બ્રિજભૂષણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.