WTC Final : ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, આ ખેલાડીઓને મળ્યું ટીમમાં સ્થાન


  • Published By :
  • Published Date : 2023-06-07 15:27:38

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ લંડનના ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં ટોસ ઉછળ્યાં બાદ ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે, કાંગારુઓને માત આપવા ઉતરેલી ભારતીય ટીમ એક સ્પિનર અને ચાર પેસર્સ સાથે ફિલ્ડિંગમા ઉતરી છે.  


ટીમ ઈન્ડિયામાં એક સ્પિનર અને ચાર પેસર્સ

ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાને એક સ્પિનર તરીકે અને શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને પેસર્સ તરીકે સ્થાન મળ્યું છે. જ્યારે રોહિત શર્મા,શુભમન ગિલ,ચેતેશ્લર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને કે એસ ભરતને બેટર્સ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. 


બંને ટીમના પ્લેઈંગ ઈલેવન 

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા,વિરાટ કોહલી,અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર),રવિન્દ્ર જાડેજા,શાર્દુલ ઠાકુર,ઉમેશ યાદવ,મોહમ્મદ શમી,મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયા : ડેવિડ વોર્નર,ઉસ્માન ખ્વાજા,માર્નસ લેબુશેન,સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), નાથન લિયોન,સ્કોટ બોલેન્ડ.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.