WTC Final : ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, આ ખેલાડીઓને મળ્યું ટીમમાં સ્થાન


  • Published By :
  • Published Date : 2023-06-07 15:27:38

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ લંડનના ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં ટોસ ઉછળ્યાં બાદ ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે, કાંગારુઓને માત આપવા ઉતરેલી ભારતીય ટીમ એક સ્પિનર અને ચાર પેસર્સ સાથે ફિલ્ડિંગમા ઉતરી છે.  


ટીમ ઈન્ડિયામાં એક સ્પિનર અને ચાર પેસર્સ

ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાને એક સ્પિનર તરીકે અને શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને પેસર્સ તરીકે સ્થાન મળ્યું છે. જ્યારે રોહિત શર્મા,શુભમન ગિલ,ચેતેશ્લર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને કે એસ ભરતને બેટર્સ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. 


બંને ટીમના પ્લેઈંગ ઈલેવન 

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા,વિરાટ કોહલી,અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર),રવિન્દ્ર જાડેજા,શાર્દુલ ઠાકુર,ઉમેશ યાદવ,મોહમ્મદ શમી,મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયા : ડેવિડ વોર્નર,ઉસ્માન ખ્વાજા,માર્નસ લેબુશેન,સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), નાથન લિયોન,સ્કોટ બોલેન્ડ.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.