WTC Final : ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, આ ખેલાડીઓને મળ્યું ટીમમાં સ્થાન


  • Published By :
  • Published Date : 2023-06-07 15:27:38

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ લંડનના ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં ટોસ ઉછળ્યાં બાદ ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે, કાંગારુઓને માત આપવા ઉતરેલી ભારતીય ટીમ એક સ્પિનર અને ચાર પેસર્સ સાથે ફિલ્ડિંગમા ઉતરી છે.  


ટીમ ઈન્ડિયામાં એક સ્પિનર અને ચાર પેસર્સ

ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાને એક સ્પિનર તરીકે અને શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને પેસર્સ તરીકે સ્થાન મળ્યું છે. જ્યારે રોહિત શર્મા,શુભમન ગિલ,ચેતેશ્લર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને કે એસ ભરતને બેટર્સ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. 


બંને ટીમના પ્લેઈંગ ઈલેવન 

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા,વિરાટ કોહલી,અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર),રવિન્દ્ર જાડેજા,શાર્દુલ ઠાકુર,ઉમેશ યાદવ,મોહમ્મદ શમી,મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયા : ડેવિડ વોર્નર,ઉસ્માન ખ્વાજા,માર્નસ લેબુશેન,સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), નાથન લિયોન,સ્કોટ બોલેન્ડ.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .