ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર યજ્ઞેશ દવેનો કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 15:13:31

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપનો દોર શરૂ થઈ ગયો છે. પંજાબમાં સરકાર જૂની પેન્શન યોજના લાગૂ કરવા વિચારણા કરી છે. તેવી ટ્વિટ મુકાતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના ટ્વિટ પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રહાર કર્યો હતો. વ્યંગ કરતા યજ્ઞેશ દવેએ કહ્યું કે આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતની કરતા પણ નથી આવડતું.  

ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર થઈ રાજનીતિ 

ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરાવા આંદોલનો થઈ રહ્યા છે. પોતાની પડતર માગને લઈ સરકાર વિરૂદ્ધ કર્મચારીઓ આંદોલનો કરી રહ્યા છે. તે બધા વચ્ચે પંજાબની આપ સરકારે ops લાગુ કરવા અંગે વિચારણા શરૂ કરી છે. પંજાબ સરકારે આ અંગેનું ટ્વિટ કર્યું હતું. ગોપાલ ઈટાલીયાએ આ ટ્વિટને રિ-ટ્વિટ કરી હતી. ગોપાલ ઈટાલીયાએ લખ્યું કે આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.  

ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર ભાજપે કર્યો કટાક્ષ  

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ ટ્વિટ પર રાજનીતિ કરી છે. યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલીયા પર નિશાન સાધતા કહ્યું કે જુઓ તો ખરા આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતી કરતા પણ આવડતું નથી. એક બાજુ પંજાબના મુખ્યમંત્રી કહે છે કે અમે ops આપવા વિચારીએ છીએ તો બીજી બાજુ ગુજરાતનો પ્રમુખ કહે છે કે નિર્ણય કરી લીધો છે. ભાઈ ગુજરાતમાં આ પ્રોસીઝર પતી અને 2005 પહેલાના માટે અમલ શરૂ થઈ ગયો છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે