ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર યજ્ઞેશ દવેનો કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 15:13:31

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપનો દોર શરૂ થઈ ગયો છે. પંજાબમાં સરકાર જૂની પેન્શન યોજના લાગૂ કરવા વિચારણા કરી છે. તેવી ટ્વિટ મુકાતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના ટ્વિટ પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રહાર કર્યો હતો. વ્યંગ કરતા યજ્ઞેશ દવેએ કહ્યું કે આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતની કરતા પણ નથી આવડતું.  

ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર થઈ રાજનીતિ 

ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરાવા આંદોલનો થઈ રહ્યા છે. પોતાની પડતર માગને લઈ સરકાર વિરૂદ્ધ કર્મચારીઓ આંદોલનો કરી રહ્યા છે. તે બધા વચ્ચે પંજાબની આપ સરકારે ops લાગુ કરવા અંગે વિચારણા શરૂ કરી છે. પંજાબ સરકારે આ અંગેનું ટ્વિટ કર્યું હતું. ગોપાલ ઈટાલીયાએ આ ટ્વિટને રિ-ટ્વિટ કરી હતી. ગોપાલ ઈટાલીયાએ લખ્યું કે આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.  

ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર ભાજપે કર્યો કટાક્ષ  

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ ટ્વિટ પર રાજનીતિ કરી છે. યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલીયા પર નિશાન સાધતા કહ્યું કે જુઓ તો ખરા આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતી કરતા પણ આવડતું નથી. એક બાજુ પંજાબના મુખ્યમંત્રી કહે છે કે અમે ops આપવા વિચારીએ છીએ તો બીજી બાજુ ગુજરાતનો પ્રમુખ કહે છે કે નિર્ણય કરી લીધો છે. ભાઈ ગુજરાતમાં આ પ્રોસીઝર પતી અને 2005 પહેલાના માટે અમલ શરૂ થઈ ગયો છે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.