ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર યજ્ઞેશ દવેનો કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 15:13:31

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપનો દોર શરૂ થઈ ગયો છે. પંજાબમાં સરકાર જૂની પેન્શન યોજના લાગૂ કરવા વિચારણા કરી છે. તેવી ટ્વિટ મુકાતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના ટ્વિટ પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રહાર કર્યો હતો. વ્યંગ કરતા યજ્ઞેશ દવેએ કહ્યું કે આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતની કરતા પણ નથી આવડતું.  

ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર થઈ રાજનીતિ 

ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરાવા આંદોલનો થઈ રહ્યા છે. પોતાની પડતર માગને લઈ સરકાર વિરૂદ્ધ કર્મચારીઓ આંદોલનો કરી રહ્યા છે. તે બધા વચ્ચે પંજાબની આપ સરકારે ops લાગુ કરવા અંગે વિચારણા શરૂ કરી છે. પંજાબ સરકારે આ અંગેનું ટ્વિટ કર્યું હતું. ગોપાલ ઈટાલીયાએ આ ટ્વિટને રિ-ટ્વિટ કરી હતી. ગોપાલ ઈટાલીયાએ લખ્યું કે આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.  

ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર ભાજપે કર્યો કટાક્ષ  

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ ટ્વિટ પર રાજનીતિ કરી છે. યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલીયા પર નિશાન સાધતા કહ્યું કે જુઓ તો ખરા આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતી કરતા પણ આવડતું નથી. એક બાજુ પંજાબના મુખ્યમંત્રી કહે છે કે અમે ops આપવા વિચારીએ છીએ તો બીજી બાજુ ગુજરાતનો પ્રમુખ કહે છે કે નિર્ણય કરી લીધો છે. ભાઈ ગુજરાતમાં આ પ્રોસીઝર પતી અને 2005 પહેલાના માટે અમલ શરૂ થઈ ગયો છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.