ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર યજ્ઞેશ દવેનો કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 15:13:31

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપનો દોર શરૂ થઈ ગયો છે. પંજાબમાં સરકાર જૂની પેન્શન યોજના લાગૂ કરવા વિચારણા કરી છે. તેવી ટ્વિટ મુકાતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના ટ્વિટ પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રહાર કર્યો હતો. વ્યંગ કરતા યજ્ઞેશ દવેએ કહ્યું કે આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતની કરતા પણ નથી આવડતું.  

ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર થઈ રાજનીતિ 

ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરાવા આંદોલનો થઈ રહ્યા છે. પોતાની પડતર માગને લઈ સરકાર વિરૂદ્ધ કર્મચારીઓ આંદોલનો કરી રહ્યા છે. તે બધા વચ્ચે પંજાબની આપ સરકારે ops લાગુ કરવા અંગે વિચારણા શરૂ કરી છે. પંજાબ સરકારે આ અંગેનું ટ્વિટ કર્યું હતું. ગોપાલ ઈટાલીયાએ આ ટ્વિટને રિ-ટ્વિટ કરી હતી. ગોપાલ ઈટાલીયાએ લખ્યું કે આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.  

ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર ભાજપે કર્યો કટાક્ષ  

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ ટ્વિટ પર રાજનીતિ કરી છે. યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલીયા પર નિશાન સાધતા કહ્યું કે જુઓ તો ખરા આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતી કરતા પણ આવડતું નથી. એક બાજુ પંજાબના મુખ્યમંત્રી કહે છે કે અમે ops આપવા વિચારીએ છીએ તો બીજી બાજુ ગુજરાતનો પ્રમુખ કહે છે કે નિર્ણય કરી લીધો છે. ભાઈ ગુજરાતમાં આ પ્રોસીઝર પતી અને 2005 પહેલાના માટે અમલ શરૂ થઈ ગયો છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.