યાત્રાધામ મતક્ષેત્રો પર હિંદુત્વને વરેલી ભાજપ કરતા બિનસાંપ્રદાયિક કોંગ્રેસ પાર્ટીનું પ્રભુત્વ વધુ


  • Published By :
  • Published Date : 2022-11-09 18:26:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા તમામ રાજકીય પક્ષોનું પ્રચાર અભિયાન જોરશોરથી શરૂ થઈ ગયું છે. રાજ્યની 182 સીટ માટે યોજાનારી આ ચૂંટણીમાં રાજ્યના પ્રખ્યાત યાત્રાધામોનો પણ સમાવેશ થાય છે. હવે સવાલ એ થાય છે કે વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ પવિત્ર યાત્રાધામો પર કયા પક્ષનો વિજય થયો છે. 


વર્ષ 2017માં પરિણામો કેવા રહ્યા હતા


મતદારોમાં ભાજપ હિંદુત્વની વિચારધારા ધરાવતો પક્ષ મનાય છે. કટ્ટર હિંદુ મતદારો પણ તે પાર્ટીને આંખો બંધ કરીને મત આપે છે. જો કે હિંદુ ધર્મના પવિત્ર યાત્રાધામો પર બિનસાપ્રદાયિક મનાતા કોંગ્રેસ પક્ષનું વર્ચસ્વ છે. રાજ્યના ખ્યાતનામ અને હિંદુ-જૈન આસ્થાનું પ્રતિક મનાતા 11 યાત્રાધામોમાંથી 8 બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. જ્યારે માત્ર ત્રણ જ સીટ ભાજપના ફાળે જઈ છે.


વર્ષ 2022માં યાત્રાધામ મતક્ષેત્રમાં સસ્પેન્સ ચથાવત


ગુજરાતના 11  પ્રસિદ્ધ યાત્રાધામ ધરાવતા મતક્ષેત્રમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન હંમેશાથી સસ્પેન્સ જોવા મળ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ત્રણમાં ભાજપનો અને આઠમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. હવે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં શું પરિણામો આવશે તેને લઈને કુતુહલતા જોવા મળી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.