યાત્રાધામ મતક્ષેત્રો પર હિંદુત્વને વરેલી ભાજપ કરતા બિનસાંપ્રદાયિક કોંગ્રેસ પાર્ટીનું પ્રભુત્વ વધુ


  • Published By :
  • Published Date : 2022-11-09 18:26:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા તમામ રાજકીય પક્ષોનું પ્રચાર અભિયાન જોરશોરથી શરૂ થઈ ગયું છે. રાજ્યની 182 સીટ માટે યોજાનારી આ ચૂંટણીમાં રાજ્યના પ્રખ્યાત યાત્રાધામોનો પણ સમાવેશ થાય છે. હવે સવાલ એ થાય છે કે વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ પવિત્ર યાત્રાધામો પર કયા પક્ષનો વિજય થયો છે. 


વર્ષ 2017માં પરિણામો કેવા રહ્યા હતા


મતદારોમાં ભાજપ હિંદુત્વની વિચારધારા ધરાવતો પક્ષ મનાય છે. કટ્ટર હિંદુ મતદારો પણ તે પાર્ટીને આંખો બંધ કરીને મત આપે છે. જો કે હિંદુ ધર્મના પવિત્ર યાત્રાધામો પર બિનસાપ્રદાયિક મનાતા કોંગ્રેસ પક્ષનું વર્ચસ્વ છે. રાજ્યના ખ્યાતનામ અને હિંદુ-જૈન આસ્થાનું પ્રતિક મનાતા 11 યાત્રાધામોમાંથી 8 બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. જ્યારે માત્ર ત્રણ જ સીટ ભાજપના ફાળે જઈ છે.


વર્ષ 2022માં યાત્રાધામ મતક્ષેત્રમાં સસ્પેન્સ ચથાવત


ગુજરાતના 11  પ્રસિદ્ધ યાત્રાધામ ધરાવતા મતક્ષેત્રમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન હંમેશાથી સસ્પેન્સ જોવા મળ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ત્રણમાં ભાજપનો અને આઠમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. હવે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં શું પરિણામો આવશે તેને લઈને કુતુહલતા જોવા મળી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.