વર્ષો પહેલા ઈન્દિરા ગાંધીની પણ થઈ હતી સાંસદની સદસ્યતા રદ્દ , જાણો શું હતો સમગ્ર ઘટનાક્રમ


  • Published By :
  • Published Date : 2023-03-25 19:18:29

કહેવાય છે કે ઈતિહાસ પોતાને અનેક વખત પુનરાવર્તિત કરે છે. ગઈકાલે રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સાથે જે થયું તે પહેલા ઈન્દિરા ગાંધી તેમજ સોનિયા ગાંધી સાથે પણ થયું હતું. થોડા વર્ષો પહેલા ઈન્દિરા ગાંધીને પણ લોકસભાના સભ્યપદથી વંચિત રાખવામાં આવ્યા હતા. 

National : આજે કટોકટીની વર્ષગાંઠ, જાણો ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી  ઇમરજન્સીની કેટલીક વરવી વાસ્તવિક્તાઓ | TV9 Gujarati

ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પણ પોતાની સદસ્યતા ગુમાવી હતી. રાયબરેલી બેઠક પરથી ઈન્દિરા ગાંધીએ પોતાની દાવેદારી જાણીતા સમાજવાદી રાજકારણી રાજનારાયણ સામે નોંધાવી હતી. આ બેઠક પરથી ઈન્દિરા ગાંધી ચૂંટણી જીત્યા  હતા. હારેલા ઉમેદવારે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે ચૂંટણી દરમિયાન ઈન્દિરા ગાંધીએ સરકારી તંત્રનો તેમજ અધિકારીનો મોટા પાયે દુરૂપયોગ કર્યો હતો જેને કારણે તેમની સદસ્યતા રદ્દ કરવામાં આવે. અલ્હાબાદ હાઈકોર્ટમાં ઈન્દિરા ગાંધી લગભગ 5 કલાક હાજર રહ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીનું સભ્યપદ રદ્દ કર્યું. સભ્યપદ રદ્દ થતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સભ્યપદથી વંચિત નહીં રખાય પરંતુ તેમનો મતદાન કરવાનો અધિકાર સુપ્રીમ કોર્ટે છીનવી લીધો. આ બાદ ઈન્દિરા સરકાર વિરૂદ્ધ વિપક્ષો એક થયા જે બાદ ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી દીધી. 

મોરારજી દેસાઈ : એ પ્રથમ ગુજરાતી વડા પ્રધાન જેમના પર પાકિસ્તાનને પ્રેમ હતો -  BBC News ગુજરાતી

કટોકટી બાદ વર્ષ 1977માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. રાયબરેલી ખાતેથી ઈન્દિરા ગાંધીએ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ત્યાં ઈન્દિરા ગાંધીની હાર થઈ હતી અને હરાવવા વાળા ઉમેદવાર હતા રાજનારાયણ. વર્ષ 1978માં ઈન્દિરા ગાંધીએ કર્ણાટકની ચિકમંગલૂર સીટ પરથી પેટા ચૂંટણી લડી અને જીતી સંસદ પહોંચ્યા. તે વખતે જનતા પાર્ટીની સરકાર હતી અને વડાપ્રધાન પદ પર હતા મોરારજી દેસાઈ. 14 ડિસેમ્બર 1978માં લોકસભાની સદસ્યતા રદ્દ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.  


UP Election 2022: બીજા તબક્કાના વોટિંગ ટ્રેન્ડે ઊભા કર્યા અનેક સવાલ, અનેક  ઠેકાણે વધેલું મતદાન કોને

એવું કહેવાય છે કે આ વાતથી ઈન્દિરા ગાંધીને આઘાત લાગ્યો હતો કે તે અનેક મહિનાઓ સુધી ઘરની બહાર નિકળ્યા ન હતા. અમુક દિવસો માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ બધી ઘટનાઓને કારણે ઈન્દિરા ગાંધીને લઈ લોકોમાં સહાનુભૂતિ જાગી. ચિકમંગલુરમાં પેટાચૂંટણી જીતી તેઓ સંસદ પહોંચ્યા હતા. લોકસભામાં લગભગ એક સપ્તાહ સુધી ચર્ચા ચાલી હતી. જે બાદ ઈન્દિરા ગાંધીનું સભ્યપદ નાબુદ થઈ ગયું હતું. પરંતુ આ આપત્તિને ઈન્દિરા ગાંધીએ અવસરમાં બદલ્યો. આ નિર્ણયને લઈ દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેને કારણે સરકાર નબળી પડવા લાગી. સરકાર પડી અને ફરી એક વખત ઈન્દિરા ગાંધી સત્તા પર આવ્યા. 1980માં ઈન્દિરા ગાંધીને સારૂ જનસમર્થન મળ્યું અને ફરી એક વખત ઈન્દિરા ગાંધી સરકારમાં આવ્યા હતા. આવી જ ઘટના સોનિયા ગાંધી સાથે થઈ હતી.   

સુરત : 'મોદી' સમાજ વિશેની ટિપ્પણી બદલ રાહુલ ગાંધી દોષિત, બે વર્ષની કેદની  સજા, કોર્ટે જામીન આપ્યા એ બદનક્ષીનો કેસ શું છે? - BBC News ગુજરાતી

ત્યારે ગાંધી પરિવારની આ ત્રીજી પેઢી છે જેની સાથે આવી ઘટના બની છે. ગઈકાલે રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થઈ ગઈ હતી. મોદી સરનેમને લઈ ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જેને પગલે પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. બે વર્ષની જેલ અને દંડની સજા રાહુલ ગાંધીને ફટકારવામાં આવી હતી. સજા થતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી પહેલા આવી ઘટના ઈન્દિરા ગાંધી તેમજ સોનિયા ગાંધી સાથે પણ બની હતી. તે ઉપરાંત એવા અનેક કિસ્સાઓ છે જેમાં આવી રીતે સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. ત્યારે જોવાનુંએ રહેશે શું રાહુલ ગાંધી ઈન્દિરા ગાંધીની જેમ લોકોની સહાનુભૂતિ મેળવવામાં સફળ થાય છે કે નહીં. આપત્તિને અવસરમાં બદલવામાં રાહુલ ગાંધી સફળ થયા છે કે નહીં તે 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામ આવતા ખબર પડશે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.