ગુજરાતમાં યલો એલર્ટ, અમદાવાદમાં 4 કલાક બંધ રહેશે 125 ટ્રાફિક સિગ્નલ, જાણો કેમ


  • Published By :
  • Published Date : 2023-04-22 15:49:43

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીને લઈ હવામાન વિભાગે પણ રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરી છે. યલો એલર્ટને ધ્યાનમાં લઈ અમદાવાદ ટ્રાફિક વિભાગે પણ મોટા નિર્ણય લેતા શહેરના 125 જેટલા ટ્રાફિક સિગ્નલોને બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 


લોકોને ગરમીથી બચાવવા માટે નિર્ણય


અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે ભીષણ ગરમી અને લૂમાં લોકોને લાંબા સમય સુધી રોડ પર રોકાવું ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે બપોરના 12થી 4 વાગ્યા સુધી એટલે કે ચાર કલાક સુધી 125 સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શહેરના 58 મોટા અને મહત્વના સિગ્નલોના સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ સમગ્ર વ્યવસ્થા આખા ઉનાળા દરમિયાન અમલી રહેશે, શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.