ગુજરાતમાં યલો એલર્ટ, અમદાવાદમાં 4 કલાક બંધ રહેશે 125 ટ્રાફિક સિગ્નલ, જાણો કેમ


  • Published By :
  • Published Date : 2023-04-22 15:49:43

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીને લઈ હવામાન વિભાગે પણ રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરી છે. યલો એલર્ટને ધ્યાનમાં લઈ અમદાવાદ ટ્રાફિક વિભાગે પણ મોટા નિર્ણય લેતા શહેરના 125 જેટલા ટ્રાફિક સિગ્નલોને બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 


લોકોને ગરમીથી બચાવવા માટે નિર્ણય


અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે ભીષણ ગરમી અને લૂમાં લોકોને લાંબા સમય સુધી રોડ પર રોકાવું ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે બપોરના 12થી 4 વાગ્યા સુધી એટલે કે ચાર કલાક સુધી 125 સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શહેરના 58 મોટા અને મહત્વના સિગ્નલોના સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ સમગ્ર વ્યવસ્થા આખા ઉનાળા દરમિયાન અમલી રહેશે, શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.