ગુજરાતમાં યલો એલર્ટ, અમદાવાદમાં 4 કલાક બંધ રહેશે 125 ટ્રાફિક સિગ્નલ, જાણો કેમ


  • Published By :
  • Published Date : 2023-04-22 15:49:43

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીને લઈ હવામાન વિભાગે પણ રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરી છે. યલો એલર્ટને ધ્યાનમાં લઈ અમદાવાદ ટ્રાફિક વિભાગે પણ મોટા નિર્ણય લેતા શહેરના 125 જેટલા ટ્રાફિક સિગ્નલોને બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 


લોકોને ગરમીથી બચાવવા માટે નિર્ણય


અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે ભીષણ ગરમી અને લૂમાં લોકોને લાંબા સમય સુધી રોડ પર રોકાવું ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે બપોરના 12થી 4 વાગ્યા સુધી એટલે કે ચાર કલાક સુધી 125 સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શહેરના 58 મોટા અને મહત્વના સિગ્નલોના સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ સમગ્ર વ્યવસ્થા આખા ઉનાળા દરમિયાન અમલી રહેશે, શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે