ગઈકાલે વરસેલા વરસાદે ગુજરાતને ઘમરોળ્યું! જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-05-29 11:48:36

રવિવાર સાંજે ગુજરાતના અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધારે વરસાદ બહુચરાજીમાં થયો હતો. જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 2.1 ઈંચ વરસાદ વરસ્યો હતો. 


અમદાવાદમાં કરા સાથે વરસ્યો હતો વરસાદ!

ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યના 91 જેટલા તાલુકાઓમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજે 6 વાગ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી. અમદાવાદમાં વરસેલા વરસાદની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં 2.1 ઈંચ વરસાદ વરસ્યો હતો. જોધપુર, ચાંદખેડા, મણિનગર, પાલડી, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે 15થી 20 જેટલા ઝાડ ધરાશાયી થયા હતા ઉપરાંત અનેક હોર્ડિંગને પણ નુકસાન પહોંચ્યું છે. સાબરમતી નદીના પણ દ્રશ્યો આવ્યા હતા જેમાં નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું.   


ગુજરાત માટે કરવામાં આવી છે વરસાદની આગાહી! 

તે સિવાય બનાસકાંઠાના દાતામાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહેસાણાના  જોટાણા અને બાવળામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. કલોલ, સાબરકાંઠાના શિહોર અને વડાલીમાં 1.4 ઈંચ વરસાદ આવ્યો હતો. નડિયાદ, પેટલાદ, કડીમાં 1.2 ઈંચ વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મોટા ભાગના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે આગામી બે દિવસ માટે ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત વરસાદને કારણે ઝાડ પણ ધરાશાયી થયા હતા જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.