ગઈકાલે વરસેલા વરસાદે ગુજરાતને ઘમરોળ્યું! જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-05-29 11:48:36

રવિવાર સાંજે ગુજરાતના અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધારે વરસાદ બહુચરાજીમાં થયો હતો. જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 2.1 ઈંચ વરસાદ વરસ્યો હતો. 


અમદાવાદમાં કરા સાથે વરસ્યો હતો વરસાદ!

ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યના 91 જેટલા તાલુકાઓમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજે 6 વાગ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી. અમદાવાદમાં વરસેલા વરસાદની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં 2.1 ઈંચ વરસાદ વરસ્યો હતો. જોધપુર, ચાંદખેડા, મણિનગર, પાલડી, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે 15થી 20 જેટલા ઝાડ ધરાશાયી થયા હતા ઉપરાંત અનેક હોર્ડિંગને પણ નુકસાન પહોંચ્યું છે. સાબરમતી નદીના પણ દ્રશ્યો આવ્યા હતા જેમાં નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું.   


ગુજરાત માટે કરવામાં આવી છે વરસાદની આગાહી! 

તે સિવાય બનાસકાંઠાના દાતામાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહેસાણાના  જોટાણા અને બાવળામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. કલોલ, સાબરકાંઠાના શિહોર અને વડાલીમાં 1.4 ઈંચ વરસાદ આવ્યો હતો. નડિયાદ, પેટલાદ, કડીમાં 1.2 ઈંચ વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મોટા ભાગના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે આગામી બે દિવસ માટે ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત વરસાદને કારણે ઝાડ પણ ધરાશાયી થયા હતા જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.        



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.