પ્રોટેમ સ્પીકર તરીકે વયોવૃધ્ધ યોગેશ પટેલના નામની જાહેરાત, ચૂંટાયેલા MLAને શપથ લેવડાવશે


  • Published By :
  • Published Date : 2022-12-14 14:16:58

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના 17 સભ્યોના પ્રધાન મંડળે તેમનો હવાલો પણ સંભાળી લીધો. હવે જ્યારે વિધાનસભાના સત્રની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વિધાનસભાના પ્રોટેમ સ્પિકર તરીકે વયોવૃધ્ધ અને ખુબ અનુભવી ધારાસભ્ય યોગેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. 


યોગેશ પટેલ બન્યા નવા પ્રોટેમ સ્પીકર


વડોદરાના માંજલપુરના ધારાસભ્ય  યોગેશ પટેલ નવા પ્રોટેમ સ્પીકર બન્યા છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. પ્રોટેમ સ્પીકર હવે  તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે. સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકરનું કામ વિધાનસભાના નવા સભ્યોને શપથ લેવડાવવા, ફ્લોર ટેસ્ટ કરવાનું અને વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરવાનું હોય છે.


આગામી 23 તારીખે મળશે વિધાનસભાનું સત્ર

 

રાજ્ય સરકારના તમામ મંત્રીઓએ પોત પોતાના વિભાગનું કામ શરૂ કરી દીધું છે. ત્યારે આગામી 23 અને 24 ડિસેમ્બરે વિધાનસભાનું શિયાળુ સત્ર મળે તેવી શક્યતા છે. બે દિવસના આ શિયાળુ સત્ર પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરવામાં આવશે.


બંધારણમાં પ્રોટેમ સ્પીકરના પદની છે જોગવાઈ 


ભારતના બંઘારણની કલમ 180 હેઠળ રાજ્યપાલની પાસે ગૃહના સ્પીકરની પ્રોટેમની નિમણૂક કરવાની સત્તા છે. વિધાનસભાના સૌથી અનુભવી સભ્યની પ્રોટેમ સ્પીકરના પદ માટે કામચલાઉ ધોરણે પસંદગી કરવામાં આવે છે. જો કે જ્યારે વિધાનસભાના નવા સ્પિકરની નિમણૂક થઈ જાય છે બાદમાંપ્રોટેમ સ્પીકરનું પદ અસ્તિત્વમાં રહેતું નથી. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને માત્ર પ્રોટેમ સ્પીકર જ શપથ અપાવે છે. શપથવિધિનો સમગ્ર કાર્યક્રમ પ્રોટેમ સ્પીકરની દેખરેખ હેઠળ થાય છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.