પ્રોટેમ સ્પીકર તરીકે વયોવૃધ્ધ યોગેશ પટેલના નામની જાહેરાત, ચૂંટાયેલા MLAને શપથ લેવડાવશે


  • Published By :
  • Published Date : 2022-12-14 14:16:58

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના 17 સભ્યોના પ્રધાન મંડળે તેમનો હવાલો પણ સંભાળી લીધો. હવે જ્યારે વિધાનસભાના સત્રની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વિધાનસભાના પ્રોટેમ સ્પિકર તરીકે વયોવૃધ્ધ અને ખુબ અનુભવી ધારાસભ્ય યોગેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. 


યોગેશ પટેલ બન્યા નવા પ્રોટેમ સ્પીકર


વડોદરાના માંજલપુરના ધારાસભ્ય  યોગેશ પટેલ નવા પ્રોટેમ સ્પીકર બન્યા છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. પ્રોટેમ સ્પીકર હવે  તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે. સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકરનું કામ વિધાનસભાના નવા સભ્યોને શપથ લેવડાવવા, ફ્લોર ટેસ્ટ કરવાનું અને વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરવાનું હોય છે.


આગામી 23 તારીખે મળશે વિધાનસભાનું સત્ર

 

રાજ્ય સરકારના તમામ મંત્રીઓએ પોત પોતાના વિભાગનું કામ શરૂ કરી દીધું છે. ત્યારે આગામી 23 અને 24 ડિસેમ્બરે વિધાનસભાનું શિયાળુ સત્ર મળે તેવી શક્યતા છે. બે દિવસના આ શિયાળુ સત્ર પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરવામાં આવશે.


બંધારણમાં પ્રોટેમ સ્પીકરના પદની છે જોગવાઈ 


ભારતના બંઘારણની કલમ 180 હેઠળ રાજ્યપાલની પાસે ગૃહના સ્પીકરની પ્રોટેમની નિમણૂક કરવાની સત્તા છે. વિધાનસભાના સૌથી અનુભવી સભ્યની પ્રોટેમ સ્પીકરના પદ માટે કામચલાઉ ધોરણે પસંદગી કરવામાં આવે છે. જો કે જ્યારે વિધાનસભાના નવા સ્પિકરની નિમણૂક થઈ જાય છે બાદમાંપ્રોટેમ સ્પીકરનું પદ અસ્તિત્વમાં રહેતું નથી. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને માત્ર પ્રોટેમ સ્પીકર જ શપથ અપાવે છે. શપથવિધિનો સમગ્ર કાર્યક્રમ પ્રોટેમ સ્પીકરની દેખરેખ હેઠળ થાય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.