રિક્ષાચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો આપના આક્ષેપ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 19:49:58

અમદાવાદનો રિક્ષાવાળો અત્યાર સુધી ગુજરાત સુધી ગુજરાતમાં પ્રખ્યાત હતા પરંતુ હવે તે રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થઈ રહ્યો છે. અને હવે રીક્ષચાલક રાજનીતિનો મુદ્દો પણ બની ચૂક્યો છે. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ચાલકના ઘર જમવા ગયા હતા તે કાલ ભાજપની સભામાં ભાજપનો ખેસ પેહરી જોવા મળ્યો હતો. હાલ એક ઓડિયો વાઇરલ થયો છે જેમાં રિક્ષા ચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો હોવાની વાત છે જમાવટ આની પુષ્ટિ કરતું નથી.

 

આપએ કર્યા પ્રહાર

જો કે આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો કે, આ રિક્ષા ચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો છે. અને 20 લાખ રૂપીયામાં ભાજપ દ્વારા સોદો કરવામાં આવ્યો અને તેને ખરીદી અને સભામાં લાવવામાં આવ્યો છે. હાલ સમગ્ર બાબત ખુબ વિવાદિત બની રહી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.