રિક્ષાચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો આપના આક્ષેપ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 19:49:58

અમદાવાદનો રિક્ષાવાળો અત્યાર સુધી ગુજરાત સુધી ગુજરાતમાં પ્રખ્યાત હતા પરંતુ હવે તે રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થઈ રહ્યો છે. અને હવે રીક્ષચાલક રાજનીતિનો મુદ્દો પણ બની ચૂક્યો છે. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ચાલકના ઘર જમવા ગયા હતા તે કાલ ભાજપની સભામાં ભાજપનો ખેસ પેહરી જોવા મળ્યો હતો. હાલ એક ઓડિયો વાઇરલ થયો છે જેમાં રિક્ષા ચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો હોવાની વાત છે જમાવટ આની પુષ્ટિ કરતું નથી.

 

આપએ કર્યા પ્રહાર

જો કે આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો કે, આ રિક્ષા ચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો છે. અને 20 લાખ રૂપીયામાં ભાજપ દ્વારા સોદો કરવામાં આવ્યો અને તેને ખરીદી અને સભામાં લાવવામાં આવ્યો છે. હાલ સમગ્ર બાબત ખુબ વિવાદિત બની રહી છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .