'AAP' લાવ્યા ચૂટણીની પ્રચાર અવનવી રીત !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 14:29:58

આપ ગુજરાત જીતવા માટે પૂરી તૈયારીઑ કરી રહી છે ત્યારે આપ રોજ કઈક નવો પ્રચાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને અવનવી રીતો અપનાવી રહ્યા છે લોકોને આકર્ષવા માટે અને હવે  તેવામાં રાકેશ હિરપરાએ ગરબાના અંદાજમાં ગીત ગાઈને ગેરન્ટીઓ વિશે જણાવ્યું હતું.  જેમાં અરવિંદ કેજરીવાલ આવશે એવી રીતે ચુંટણી પ્રચારનું ગીત ગાયું હતું. આમાં શિક્ષણ, વીજળી અને રોજગારીના સંકલ્પના મુદ્દાઓ લઈને આમ આદમી પાર્ટીના નેતા રાકેશ હિરપરાએ ગરબો ગાયો હતો.

 

આવશે કેજરીવાલ.. નવરાત્રી ગરબો !!!!!

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જોરશોરથી બનાવાય છે. અને દરમિયાન આમ આદમી પાર્ટીએ પણ નવરાત્રીની થીમ પર ચુંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ગરબાના અંદાજમાં કેજરીવાલે આવશે અને તેની સરકાર બનશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


 

હમણાં જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા ત્યારે તેમણે ગરબામાં ભાગ લીધો હતો અને ભગવંતમાન પણ ગરબે રમતા જોવા મળ્યા હતા. એટલે હવે આમ આદમી પાર્ટી નવરાત્રી તહેવારને પણ રાજનીતિનું રૂપ આપી રહી છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .