'AAP' લાવ્યા ચૂટણીની પ્રચાર અવનવી રીત !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 14:29:58

આપ ગુજરાત જીતવા માટે પૂરી તૈયારીઑ કરી રહી છે ત્યારે આપ રોજ કઈક નવો પ્રચાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને અવનવી રીતો અપનાવી રહ્યા છે લોકોને આકર્ષવા માટે અને હવે  તેવામાં રાકેશ હિરપરાએ ગરબાના અંદાજમાં ગીત ગાઈને ગેરન્ટીઓ વિશે જણાવ્યું હતું.  જેમાં અરવિંદ કેજરીવાલ આવશે એવી રીતે ચુંટણી પ્રચારનું ગીત ગાયું હતું. આમાં શિક્ષણ, વીજળી અને રોજગારીના સંકલ્પના મુદ્દાઓ લઈને આમ આદમી પાર્ટીના નેતા રાકેશ હિરપરાએ ગરબો ગાયો હતો.

 

આવશે કેજરીવાલ.. નવરાત્રી ગરબો !!!!!

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જોરશોરથી બનાવાય છે. અને દરમિયાન આમ આદમી પાર્ટીએ પણ નવરાત્રીની થીમ પર ચુંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ગરબાના અંદાજમાં કેજરીવાલે આવશે અને તેની સરકાર બનશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


 

હમણાં જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા ત્યારે તેમણે ગરબામાં ભાગ લીધો હતો અને ભગવંતમાન પણ ગરબે રમતા જોવા મળ્યા હતા. એટલે હવે આમ આદમી પાર્ટી નવરાત્રી તહેવારને પણ રાજનીતિનું રૂપ આપી રહી છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .