'AAP' લાવ્યા ચૂટણીની પ્રચાર અવનવી રીત !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 14:29:58

આપ ગુજરાત જીતવા માટે પૂરી તૈયારીઑ કરી રહી છે ત્યારે આપ રોજ કઈક નવો પ્રચાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને અવનવી રીતો અપનાવી રહ્યા છે લોકોને આકર્ષવા માટે અને હવે  તેવામાં રાકેશ હિરપરાએ ગરબાના અંદાજમાં ગીત ગાઈને ગેરન્ટીઓ વિશે જણાવ્યું હતું.  જેમાં અરવિંદ કેજરીવાલ આવશે એવી રીતે ચુંટણી પ્રચારનું ગીત ગાયું હતું. આમાં શિક્ષણ, વીજળી અને રોજગારીના સંકલ્પના મુદ્દાઓ લઈને આમ આદમી પાર્ટીના નેતા રાકેશ હિરપરાએ ગરબો ગાયો હતો.

 

આવશે કેજરીવાલ.. નવરાત્રી ગરબો !!!!!

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જોરશોરથી બનાવાય છે. અને દરમિયાન આમ આદમી પાર્ટીએ પણ નવરાત્રીની થીમ પર ચુંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ગરબાના અંદાજમાં કેજરીવાલે આવશે અને તેની સરકાર બનશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


 

હમણાં જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા ત્યારે તેમણે ગરબામાં ભાગ લીધો હતો અને ભગવંતમાન પણ ગરબે રમતા જોવા મળ્યા હતા. એટલે હવે આમ આદમી પાર્ટી નવરાત્રી તહેવારને પણ રાજનીતિનું રૂપ આપી રહી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.